5 રાજ્યોમાં આ તારીખો દરમિયાન યોજાશે વિધાનસભા ચૂંટણી, Election Commissionએ કરી જાહેરાત, જાણો ક્યારે યોજાવાની છે આપણા પાડોશી રાજ્યમાં ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2023-10-09 16:46:48

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.  મુખ્ય ચૂંટણી આયોગ રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાંચો રાજ્ય વિશે માહિતી આપી હતી કે આ રાજ્યોમાં કેટલા મતદાતાઓ છે, કેટલા મતદાતાઓ પહેલી વખત મતદાન કરવાના છે... કેટલા પોલિંગ બૂથ હશે તે અંગેની જાણકારી પણ રાજીવ કુમાર દ્વારા આપવામાં આવી છે.



Image

આ તારીખો દરમિયાન યોજાવાની છે વિધાનસભા ચૂંટણી 

મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન સાત અને બીજા તબક્કાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાશે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. 23 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી બધા રાજ્યોની એકસાથે હાથ ધરાશે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ  


રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી 


મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે ચૂંટણી 


તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે 


છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે 


3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

  

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.