5 રાજ્યોમાં આ તારીખો દરમિયાન યોજાશે વિધાનસભા ચૂંટણી, Election Commissionએ કરી જાહેરાત, જાણો ક્યારે યોજાવાની છે આપણા પાડોશી રાજ્યમાં ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2023-10-09 16:46:48

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.  મુખ્ય ચૂંટણી આયોગ રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાંચો રાજ્ય વિશે માહિતી આપી હતી કે આ રાજ્યોમાં કેટલા મતદાતાઓ છે, કેટલા મતદાતાઓ પહેલી વખત મતદાન કરવાના છે... કેટલા પોલિંગ બૂથ હશે તે અંગેની જાણકારી પણ રાજીવ કુમાર દ્વારા આપવામાં આવી છે.



Image

આ તારીખો દરમિયાન યોજાવાની છે વિધાનસભા ચૂંટણી 

મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન સાત અને બીજા તબક્કાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાશે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. 23 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી બધા રાજ્યોની એકસાથે હાથ ધરાશે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ  


રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી 


મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે ચૂંટણી 


તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે 


છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે 


3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

  

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે