5 રાજ્યોમાં આ તારીખો દરમિયાન યોજાશે વિધાનસભા ચૂંટણી, Election Commissionએ કરી જાહેરાત, જાણો ક્યારે યોજાવાની છે આપણા પાડોશી રાજ્યમાં ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2023-10-09 16:46:48

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.  મુખ્ય ચૂંટણી આયોગ રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાંચો રાજ્ય વિશે માહિતી આપી હતી કે આ રાજ્યોમાં કેટલા મતદાતાઓ છે, કેટલા મતદાતાઓ પહેલી વખત મતદાન કરવાના છે... કેટલા પોલિંગ બૂથ હશે તે અંગેની જાણકારી પણ રાજીવ કુમાર દ્વારા આપવામાં આવી છે.



Image

આ તારીખો દરમિયાન યોજાવાની છે વિધાનસભા ચૂંટણી 

મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન સાત અને બીજા તબક્કાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાશે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. 23 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી બધા રાજ્યોની એકસાથે હાથ ધરાશે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ  


રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી 


મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે ચૂંટણી 


તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે 


છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે 


3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

  

 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.