Gandhinagar ખાતે ફિક્સ પે કર્મચારીઓએ કર્યો અનોખો વિરોધ, મટકી ફોડ કાર્યક્રમનું કર્યું આયોજન, જો માગણી નહીં સંતોષાય તો...


  • Published By :
  • Published Date : 2023-09-06 17:14:58

તહેવારોની સિઝન આવી ગઈ છે સાથે સાથે વિરોધ પ્રદર્શન અને આંદોલનોની સિઝન પણ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક બાદ એક આંદોલન શરૂ થઈ ગયા છે. એક તરફ ટેટ-ટાટના ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ દ્વારા ફિક્સ પગારની નીતિ નાબૂદીની માંગ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારથી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


મટકી ફોડ કાર્યક્રમ યોજી ફિક્સ પે કર્મચારીઓએ કર્યો વિરોધ 

ગાંધીનગરમાં સરકારી નોકરીમાં ફિક્સ પગાર પર કામ કરતાં કર્મચારીરીઓએ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ફિક્સ પે રૂપી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો. માટલી ઉપર ફિક્સ પે પોલિસી લખીને પ્રતિકાત્મક રીતે તેને ફોડીને વિરોધ દર્શાવ્યો હતો. સરકાર પણ તેને નાબૂદ કરે તેવો સંદેશ આપતી મટકી ફોડી હતી. તહેવાર પ્રમાણે સરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. જન્માષ્ટમી આવી રહી હતી એટલે મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો એવી જ રીતે રક્ષાબંધનના તહેવાર દરમિયાન કર્મચારીયોએ રાજકીય પ્રતિનિધિઓને રાખડી મોકલી હતી. આ લોકો સતત ફિક્સ પેનો વિરોધ કરી રહ્યા છે.  


આગામી સમયે કરાશે આ પ્રકારે આંદોલન 

હજુ પણ આગળ આ કર્મચારીઓ આવો વિરોધ ચાલુ રાખવાના છે  16 સપ્ટેમ્બરે દરેક ફિક્સ પે પરના કર્મચારી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને હાલની નીતિની નાબૂદીની માગણી કરતો પત્ર લખશે. તે પછી 2 ઓક્ટોબરે ગાંધી જયંતીએ ગાંધીજીને ખુલ્લો વેદના પત્ર લખશે જો રાજ્ય સરકાર તે પછી પણ કોઇ જાહેરાત નહીં કરે તો 15 ઓકટોબરથી 23 ઓકટોબર સુધી નવરાત્રી દરમિયાન દિવા પ્રગટાવી અને કચેરીઓમાં સામુહિક આરતી કરવામાં આવશે તેવી યોજના સરકારી કર્મચારીઓએ બનાવી છે. 4 નવેમ્બરે તમામ કચેરીઓમાં કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને જશે અને 4 નવેમ્બરે બ્લેક સેટરડે મનાવશે. ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વિવિધ સ્વરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.


ગુજરાતમાં ચાલતા આંદોલનો શું રંગ લાવે છે તે જોવું રહ્યું 

એક તરફ ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ લોકોની લડાઈ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું. આ લોકો લડશે કે હારીને બેસી જશે એ પણ એક સવાલ છે... 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."