Gandhinagar ખાતે ફિક્સ પે કર્મચારીઓએ કર્યો અનોખો વિરોધ, મટકી ફોડ કાર્યક્રમનું કર્યું આયોજન, જો માગણી નહીં સંતોષાય તો...


  • Published By :
  • Published Date : 2023-09-06 17:14:58

તહેવારોની સિઝન આવી ગઈ છે સાથે સાથે વિરોધ પ્રદર્શન અને આંદોલનોની સિઝન પણ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક બાદ એક આંદોલન શરૂ થઈ ગયા છે. એક તરફ ટેટ-ટાટના ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ દ્વારા ફિક્સ પગારની નીતિ નાબૂદીની માંગ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારથી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


મટકી ફોડ કાર્યક્રમ યોજી ફિક્સ પે કર્મચારીઓએ કર્યો વિરોધ 

ગાંધીનગરમાં સરકારી નોકરીમાં ફિક્સ પગાર પર કામ કરતાં કર્મચારીરીઓએ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ફિક્સ પે રૂપી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો. માટલી ઉપર ફિક્સ પે પોલિસી લખીને પ્રતિકાત્મક રીતે તેને ફોડીને વિરોધ દર્શાવ્યો હતો. સરકાર પણ તેને નાબૂદ કરે તેવો સંદેશ આપતી મટકી ફોડી હતી. તહેવાર પ્રમાણે સરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. જન્માષ્ટમી આવી રહી હતી એટલે મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો એવી જ રીતે રક્ષાબંધનના તહેવાર દરમિયાન કર્મચારીયોએ રાજકીય પ્રતિનિધિઓને રાખડી મોકલી હતી. આ લોકો સતત ફિક્સ પેનો વિરોધ કરી રહ્યા છે.  


આગામી સમયે કરાશે આ પ્રકારે આંદોલન 

હજુ પણ આગળ આ કર્મચારીઓ આવો વિરોધ ચાલુ રાખવાના છે  16 સપ્ટેમ્બરે દરેક ફિક્સ પે પરના કર્મચારી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને હાલની નીતિની નાબૂદીની માગણી કરતો પત્ર લખશે. તે પછી 2 ઓક્ટોબરે ગાંધી જયંતીએ ગાંધીજીને ખુલ્લો વેદના પત્ર લખશે જો રાજ્ય સરકાર તે પછી પણ કોઇ જાહેરાત નહીં કરે તો 15 ઓકટોબરથી 23 ઓકટોબર સુધી નવરાત્રી દરમિયાન દિવા પ્રગટાવી અને કચેરીઓમાં સામુહિક આરતી કરવામાં આવશે તેવી યોજના સરકારી કર્મચારીઓએ બનાવી છે. 4 નવેમ્બરે તમામ કચેરીઓમાં કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને જશે અને 4 નવેમ્બરે બ્લેક સેટરડે મનાવશે. ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વિવિધ સ્વરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.


ગુજરાતમાં ચાલતા આંદોલનો શું રંગ લાવે છે તે જોવું રહ્યું 

એક તરફ ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ લોકોની લડાઈ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું. આ લોકો લડશે કે હારીને બેસી જશે એ પણ એક સવાલ છે... 



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .