Gandhinagar ખાતે ફિક્સ પે કર્મચારીઓએ કર્યો અનોખો વિરોધ, મટકી ફોડ કાર્યક્રમનું કર્યું આયોજન, જો માગણી નહીં સંતોષાય તો...


  • Published By :
  • Published Date : 2023-09-06 17:14:58

તહેવારોની સિઝન આવી ગઈ છે સાથે સાથે વિરોધ પ્રદર્શન અને આંદોલનોની સિઝન પણ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક બાદ એક આંદોલન શરૂ થઈ ગયા છે. એક તરફ ટેટ-ટાટના ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ દ્વારા ફિક્સ પગારની નીતિ નાબૂદીની માંગ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારથી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


મટકી ફોડ કાર્યક્રમ યોજી ફિક્સ પે કર્મચારીઓએ કર્યો વિરોધ 

ગાંધીનગરમાં સરકારી નોકરીમાં ફિક્સ પગાર પર કામ કરતાં કર્મચારીરીઓએ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ફિક્સ પે રૂપી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો. માટલી ઉપર ફિક્સ પે પોલિસી લખીને પ્રતિકાત્મક રીતે તેને ફોડીને વિરોધ દર્શાવ્યો હતો. સરકાર પણ તેને નાબૂદ કરે તેવો સંદેશ આપતી મટકી ફોડી હતી. તહેવાર પ્રમાણે સરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. જન્માષ્ટમી આવી રહી હતી એટલે મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો એવી જ રીતે રક્ષાબંધનના તહેવાર દરમિયાન કર્મચારીયોએ રાજકીય પ્રતિનિધિઓને રાખડી મોકલી હતી. આ લોકો સતત ફિક્સ પેનો વિરોધ કરી રહ્યા છે.  


આગામી સમયે કરાશે આ પ્રકારે આંદોલન 

હજુ પણ આગળ આ કર્મચારીઓ આવો વિરોધ ચાલુ રાખવાના છે  16 સપ્ટેમ્બરે દરેક ફિક્સ પે પરના કર્મચારી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને હાલની નીતિની નાબૂદીની માગણી કરતો પત્ર લખશે. તે પછી 2 ઓક્ટોબરે ગાંધી જયંતીએ ગાંધીજીને ખુલ્લો વેદના પત્ર લખશે જો રાજ્ય સરકાર તે પછી પણ કોઇ જાહેરાત નહીં કરે તો 15 ઓકટોબરથી 23 ઓકટોબર સુધી નવરાત્રી દરમિયાન દિવા પ્રગટાવી અને કચેરીઓમાં સામુહિક આરતી કરવામાં આવશે તેવી યોજના સરકારી કર્મચારીઓએ બનાવી છે. 4 નવેમ્બરે તમામ કચેરીઓમાં કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને જશે અને 4 નવેમ્બરે બ્લેક સેટરડે મનાવશે. ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વિવિધ સ્વરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.


ગુજરાતમાં ચાલતા આંદોલનો શું રંગ લાવે છે તે જોવું રહ્યું 

એક તરફ ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ લોકોની લડાઈ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું. આ લોકો લડશે કે હારીને બેસી જશે એ પણ એક સવાલ છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.