ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.
ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાની અકસ્માત સર્જાયો છે. લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે , એક નાનું એરક્રાફ્ટ ઉડાન ભર્યા પછી ક્રેશ થયું હતું. એરપોર્ટ પર વિમાન ક્રેશ થયા પછી આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું. ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ જવા માટે ઉડાન ભરવાનું હતું. આ વિમાનનો અંદાજિત ઉડાનનો સમય BST પ્રમાણે 3:45 વાગ્યે હતો. ક્રેશ થયેલ બીચ બી200 સુપરકિંગ એર એક ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ વિમાન છે. તે લગભગ 12 મુસાફરોને લઈ જવા સક્ષમ છે. જોકે, અકસ્માત સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી., ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ રવિવારે (13 જુલાઈ, 2024) સાંજે 4 વાગ્યે સાઉથએન્ડ એરપોર્ટ પર એક વિશાળ આગનો ગોળો જોયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં વિમાનમાંથી ધુમાડા અને જ્વાળાઓ નીકળી રહી છે. અકસ્માત સમયે એરપોર્ટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે રનવે નજીક જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ એસેક્સ પોલીસ , ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે આંકડો હજુ સુધી સ્પષ્ટ સામે આવ્યો નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. એસેક્સ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સાઉથેન્ડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના અહેવાલોનો જવાબ આપી રહ્યા છીએ. અમારી ઈમરજન્સી સેવાઓ સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ તે તકનીકી ખામી અથવા એન્જિન નિષ્ફળતા હોઈ શકે છે. એરપોર્ટ અધિકારીઓએ હાલમાં રનવે બંધ કરી દીધો છે અને બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને એરપોર્ટ વેબસાઈટ પર આપવામાં આવી રહેલા અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.
વાત કરીએ ૧૨ જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની તો , જયારે એર ઇન્ડિયાનું વિમાન AI 171 , મેઘાણીનગરમાં ક્રેશ થયું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે . ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે . મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે .