લંડનમાં થયું પ્લેન ક્રેશ , સાઉથએન્ડ એરપોર્ટ બંધ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-14 20:01:42

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ  ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું .  ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું. 

Plane crashes in 'big fireball', forcing closure of London Southend Airport  - ABC News

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાની અકસ્માત સર્જાયો છે. લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે , એક નાનું એરક્રાફ્ટ ઉડાન ભર્યા પછી ક્રેશ થયું હતું. એરપોર્ટ પર વિમાન ક્રેશ થયા પછી આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું. ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ જવા માટે ઉડાન ભરવાનું હતું. આ વિમાનનો અંદાજિત ઉડાનનો સમય BST પ્રમાણે 3:45 વાગ્યે હતો. ક્રેશ થયેલ બીચ બી200 સુપરકિંગ એર એક ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ વિમાન છે. તે લગભગ 12 મુસાફરોને લઈ જવા સક્ષમ છે. જોકે, અકસ્માત સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી., ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ રવિવારે (13 જુલાઈ, 2024) સાંજે 4 વાગ્યે સાઉથએન્ડ એરપોર્ટ પર એક વિશાળ આગનો ગોળો જોયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં વિમાનમાંથી ધુમાડા અને જ્વાળાઓ નીકળી રહી છે. અકસ્માત સમયે એરપોર્ટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે રનવે નજીક જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ એસેક્સ પોલીસ , ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે આંકડો હજુ સુધી સ્પષ્ટ સામે આવ્યો નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. એસેક્સ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સાઉથેન્ડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના અહેવાલોનો જવાબ આપી રહ્યા છીએ. અમારી ઈમરજન્સી સેવાઓ સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ તે તકનીકી ખામી અથવા એન્જિન નિષ્ફળતા હોઈ શકે છે. એરપોર્ટ અધિકારીઓએ હાલમાં રનવે બંધ કરી દીધો છે અને બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને એરપોર્ટ વેબસાઈટ પર આપવામાં આવી રહેલા અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. 

Southend airport plane crashes:Beechcraft B200 Super King Air, not Boeing  Dreamline was involved London UK plane crash How costly is it? - The Week

વાત કરીએ ૧૨ જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની તો , જયારે એર ઇન્ડિયાનું વિમાન AI 171 , મેઘાણીનગરમાં ક્રેશ થયું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે . ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે . મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે .




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.