ફેબ્રુઆરીની શરૂઆતમાં અમદાવાદનું તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર! જાણો આગામી દિવસમાં વધશે ગરમી, આવશે વરસાદ કે થશે ઠંડીનો અહેસાસ?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:56:18

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે જેને કારણે શિયાળામાં પણ આકરો તાપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. અનેક ઘરોમાં પંખાઓ ચાલવાના શરૂ થઈ ગયા છે. જો રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જ્યારે નલિયાનું તાપમાન 29 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. એવી આગાહી પણ કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે અને કમોસમી વરસાદ પણ આવી શકે છે.


આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ!

હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફ્રેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડીનો અહેસાસ થતો હોય છે. તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવતો જેને લઈ ગરમીનો અહેસાસ થાય. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એટલો બધો વધ્યો છે જેને લઈ ઘરમાં લોકોએ પંખા શરૂ કરી દીધા છે. આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી દિવસોમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું આવી શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 33.6 ડિગ્રી, ગાંધીનગરમાં 33 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 27.6, રાજકોટમાં 35 જ્યારે વેરાવળમાં 32.2, સુરેન્દ્રનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આજે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ અનેક ભાગોમાં રહી શકે છે. ઉપરાંત 5મી તારીખે તેમજ છઠ્ઠી તારીખે કચ્છના અનેક વિસ્તારોમાં છુટોછવયો વરસાદ વરસવાની શક્યતા છે. 



ફરીથી વધી શકે છે ઠંડીનું જોર!

માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ફ્રુબ્રુઆરી મહિનામાં અનેક જગ્યાઓ પર માવઠું વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.મહત્વનું છે કે જો કમોસમી વરસાદ આવે છે તો ગુજરાતમાં બેવડી ઋતુ નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થશે!



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે