ફેબ્રુઆરીની શરૂઆતમાં અમદાવાદનું તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર! જાણો આગામી દિવસમાં વધશે ગરમી, આવશે વરસાદ કે થશે ઠંડીનો અહેસાસ?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:56:18

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે જેને કારણે શિયાળામાં પણ આકરો તાપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. અનેક ઘરોમાં પંખાઓ ચાલવાના શરૂ થઈ ગયા છે. જો રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જ્યારે નલિયાનું તાપમાન 29 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. એવી આગાહી પણ કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે અને કમોસમી વરસાદ પણ આવી શકે છે.


આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ!

હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફ્રેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડીનો અહેસાસ થતો હોય છે. તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવતો જેને લઈ ગરમીનો અહેસાસ થાય. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એટલો બધો વધ્યો છે જેને લઈ ઘરમાં લોકોએ પંખા શરૂ કરી દીધા છે. આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી દિવસોમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું આવી શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 33.6 ડિગ્રી, ગાંધીનગરમાં 33 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 27.6, રાજકોટમાં 35 જ્યારે વેરાવળમાં 32.2, સુરેન્દ્રનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આજે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ અનેક ભાગોમાં રહી શકે છે. ઉપરાંત 5મી તારીખે તેમજ છઠ્ઠી તારીખે કચ્છના અનેક વિસ્તારોમાં છુટોછવયો વરસાદ વરસવાની શક્યતા છે. 



ફરીથી વધી શકે છે ઠંડીનું જોર!

માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ફ્રુબ્રુઆરી મહિનામાં અનેક જગ્યાઓ પર માવઠું વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.મહત્વનું છે કે જો કમોસમી વરસાદ આવે છે તો ગુજરાતમાં બેવડી ઋતુ નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થશે!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.