ફેબ્રુઆરીની શરૂઆતમાં અમદાવાદનું તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર! જાણો આગામી દિવસમાં વધશે ગરમી, આવશે વરસાદ કે થશે ઠંડીનો અહેસાસ?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:56:18

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે જેને કારણે શિયાળામાં પણ આકરો તાપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. અનેક ઘરોમાં પંખાઓ ચાલવાના શરૂ થઈ ગયા છે. જો રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જ્યારે નલિયાનું તાપમાન 29 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. એવી આગાહી પણ કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે અને કમોસમી વરસાદ પણ આવી શકે છે.


આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ!

હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફ્રેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડીનો અહેસાસ થતો હોય છે. તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવતો જેને લઈ ગરમીનો અહેસાસ થાય. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એટલો બધો વધ્યો છે જેને લઈ ઘરમાં લોકોએ પંખા શરૂ કરી દીધા છે. આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી દિવસોમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું આવી શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 33.6 ડિગ્રી, ગાંધીનગરમાં 33 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 27.6, રાજકોટમાં 35 જ્યારે વેરાવળમાં 32.2, સુરેન્દ્રનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આજે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ અનેક ભાગોમાં રહી શકે છે. ઉપરાંત 5મી તારીખે તેમજ છઠ્ઠી તારીખે કચ્છના અનેક વિસ્તારોમાં છુટોછવયો વરસાદ વરસવાની શક્યતા છે. 



ફરીથી વધી શકે છે ઠંડીનું જોર!

માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ફ્રુબ્રુઆરી મહિનામાં અનેક જગ્યાઓ પર માવઠું વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.મહત્વનું છે કે જો કમોસમી વરસાદ આવે છે તો ગુજરાતમાં બેવડી ઋતુ નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થશે!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.