ફેબ્રુઆરીની શરૂઆતમાં અમદાવાદનું તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર! જાણો આગામી દિવસમાં વધશે ગરમી, આવશે વરસાદ કે થશે ઠંડીનો અહેસાસ?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:56:18

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે જેને કારણે શિયાળામાં પણ આકરો તાપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. અનેક ઘરોમાં પંખાઓ ચાલવાના શરૂ થઈ ગયા છે. જો રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જ્યારે નલિયાનું તાપમાન 29 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. એવી આગાહી પણ કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે અને કમોસમી વરસાદ પણ આવી શકે છે.


આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ!

હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફ્રેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડીનો અહેસાસ થતો હોય છે. તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવતો જેને લઈ ગરમીનો અહેસાસ થાય. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એટલો બધો વધ્યો છે જેને લઈ ઘરમાં લોકોએ પંખા શરૂ કરી દીધા છે. આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી દિવસોમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું આવી શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 33.6 ડિગ્રી, ગાંધીનગરમાં 33 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 27.6, રાજકોટમાં 35 જ્યારે વેરાવળમાં 32.2, સુરેન્દ્રનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આજે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ અનેક ભાગોમાં રહી શકે છે. ઉપરાંત 5મી તારીખે તેમજ છઠ્ઠી તારીખે કચ્છના અનેક વિસ્તારોમાં છુટોછવયો વરસાદ વરસવાની શક્યતા છે. 



ફરીથી વધી શકે છે ઠંડીનું જોર!

માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ફ્રુબ્રુઆરી મહિનામાં અનેક જગ્યાઓ પર માવઠું વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.મહત્વનું છે કે જો કમોસમી વરસાદ આવે છે તો ગુજરાતમાં બેવડી ઋતુ નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થશે!



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.