વડોદરામાં પરીક્ષા સેન્ટર પર આટલી મિનિટ મોડી પહોંચતા વિદ્યાર્થિનીને ન આપવા મળી પરીક્ષા! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-21 15:00:23

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ બોર્ડની પરીક્ષા કડક નિયમો હેઠળ લેવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત કડક નિયમોને કારણે પરીક્ષાર્થીઓને નુકસાન ભોગવવું પડતું હોય છે. કડક નિયમોનું દ્રષ્ટાંત પૂરું પાડતો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. ગઈકાલે ધોરણ 10નું સાયન્સનું પેપર હતું, જેમાં વડોદરાની એક વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 35 મિનિટ મોડી પહોંચી હતી, જેને લીધે પરીક્ષા ખંડમાં  તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રવેશ ન મળતા વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો હતો. પરંતુ છોકરીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


વિદ્યાર્થિની તેમજ તેના વાલીઓ ભૂલી ગયા કે આજે પરીક્ષા છે!

બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ તેમજ પરીક્ષાને લઈ ચિંતા જોવા મળતી હોય છે. બોર્ડ સેન્ટર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થાય તે પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચી જતા હોય છે. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લેટ પડવાને કારણે વિદ્યાર્થીનીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઘટના છે વડોદરાની સાધુ વાસવાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયાંશીની. ગઈકાલે સાયન્સનું પેપર હતું જેમાં એક્ઝામ સેન્ટર એટલે કે બ્રાઈટ સ્કુલ ખાતે મોડી પહોંચી હતી. શાળાએ પહોંચવામાં તેને 35 મિનિટ જેટલું મોડું થઈ ગયું હતું. બોર્ડના નિયમોને ધ્યાનમાં રાખી તેને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

બ્રાઇટ સ્કૂલમાં પરીક્ષા આપવાની હતી.

એક્ઝામ સેન્ટર બહાર વાલીઓ કર્યો હોબાળો!

પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીના વાલીએ શાળા બહાર હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીનીના વાલીઓનું કહેવું હતું કે રસ્તામાં તેમનું વાહન બગડી જતા સેન્ટરે આવવામાં તેમને મોડું થયું ઉપરાંત તેમને ખબર પણ ન હતી કે આજે સાયન્સનું પેપર છે. અને જ્યારે તેમને પરીક્ષા અંગે ખબર પડી તો તેઓ શાળાએ દોડી આવ્યા હતા. રસ્તામાં વાહન બગડવાને કારણે વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 10.35એ પહોંચી હતી. વિદ્યાર્થીનીનું ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષામાં બેસવાદે તેવી વિનંતી વાલી દ્વારા કરવામાં આવી હતી.

 

એન્ટ્રીનો સમય વીતી જતા વિદ્યાર્થીનીને ન અપાયો પ્રવેશ  

આ મામલો ઉગ્ર બન્યો જેને લઈ બ્રાઈટ સ્કુલના સ્થળ સંચાલક નિતા સંઘવી બહાર દોડી આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે પ્રવેશખંડમાં 10.30 કલાક બાદ પ્રવેશ આપવામાં આવતો નથી. અને પ્રિયાંશી 5 મિનિટ મોડી પડી હતી. લેટ થવાને કારણે પ્રિયાંશી પેપર આપી શક્શે નહી. આ સાંભળતા વિદ્યાર્થીનીએ વિનંતી કરતા કહ્યું કે 5 મિનિટ માટે મારૂ ભવિષ્ય ન બગાડો. મને પરીક્ષા આપવા દો. જેને લઈ સ્થળ સંચાલકે ડી.ઓ. ઓફિસમાં ફોન કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે બોર્ડના જે નિયમ છે તેને અનુસરવામાં આવે અને તે મુજબના પગલાં લેવામાં આવે. 10.30 બાદ કોઈને પણ શાળામાં પ્રવેશ આપવામાં નથી આવતો. અને નિયમો મુજબ વિદ્યાર્થીનીને એક્ઝામ હોલમાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. જો કે સ્થળ સંચાલકે કહ્યું કે જો વિદ્યાર્થીનીના માર્ક્સ સારા હશે તો તે જુલાઈમાં સાયન્સનું પેપર આપીને પોતાનું વર્ષ બચાવી શકશે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું પ્રિયાંશી પોતાનું વર્ષ બચાવી શકશે કે નહી.


અનેક વખત તંત્રની ભૂલને કારણે વિદ્યાર્થીઓને આવે છે ભોગવવાનો વારો!

પરંતુ ઘણી વખત એવા અનેક બનાવ બનતા હોય છે જેમાં તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવતો હોય છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની સ્કૂલમાં બાળકોને યોગ્ય સમયે પૂરવણી ન મળવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુ્દ્દાને લઈ વાલીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને 15થી 20 મિનિટ બાદ પુરવણી આપવામાં આવી હતી જેને કારણે તેમનું પેપર પણ છુટ્યું હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તંત્રને કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ખરી?            




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.