વડોદરામાં પરીક્ષા સેન્ટર પર આટલી મિનિટ મોડી પહોંચતા વિદ્યાર્થિનીને ન આપવા મળી પરીક્ષા! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-21 15:00:23

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ બોર્ડની પરીક્ષા કડક નિયમો હેઠળ લેવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત કડક નિયમોને કારણે પરીક્ષાર્થીઓને નુકસાન ભોગવવું પડતું હોય છે. કડક નિયમોનું દ્રષ્ટાંત પૂરું પાડતો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. ગઈકાલે ધોરણ 10નું સાયન્સનું પેપર હતું, જેમાં વડોદરાની એક વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 35 મિનિટ મોડી પહોંચી હતી, જેને લીધે પરીક્ષા ખંડમાં  તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રવેશ ન મળતા વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો હતો. પરંતુ છોકરીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


વિદ્યાર્થિની તેમજ તેના વાલીઓ ભૂલી ગયા કે આજે પરીક્ષા છે!

બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ તેમજ પરીક્ષાને લઈ ચિંતા જોવા મળતી હોય છે. બોર્ડ સેન્ટર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થાય તે પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચી જતા હોય છે. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લેટ પડવાને કારણે વિદ્યાર્થીનીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઘટના છે વડોદરાની સાધુ વાસવાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયાંશીની. ગઈકાલે સાયન્સનું પેપર હતું જેમાં એક્ઝામ સેન્ટર એટલે કે બ્રાઈટ સ્કુલ ખાતે મોડી પહોંચી હતી. શાળાએ પહોંચવામાં તેને 35 મિનિટ જેટલું મોડું થઈ ગયું હતું. બોર્ડના નિયમોને ધ્યાનમાં રાખી તેને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

બ્રાઇટ સ્કૂલમાં પરીક્ષા આપવાની હતી.

એક્ઝામ સેન્ટર બહાર વાલીઓ કર્યો હોબાળો!

પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીના વાલીએ શાળા બહાર હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીનીના વાલીઓનું કહેવું હતું કે રસ્તામાં તેમનું વાહન બગડી જતા સેન્ટરે આવવામાં તેમને મોડું થયું ઉપરાંત તેમને ખબર પણ ન હતી કે આજે સાયન્સનું પેપર છે. અને જ્યારે તેમને પરીક્ષા અંગે ખબર પડી તો તેઓ શાળાએ દોડી આવ્યા હતા. રસ્તામાં વાહન બગડવાને કારણે વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 10.35એ પહોંચી હતી. વિદ્યાર્થીનીનું ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષામાં બેસવાદે તેવી વિનંતી વાલી દ્વારા કરવામાં આવી હતી.

 

એન્ટ્રીનો સમય વીતી જતા વિદ્યાર્થીનીને ન અપાયો પ્રવેશ  

આ મામલો ઉગ્ર બન્યો જેને લઈ બ્રાઈટ સ્કુલના સ્થળ સંચાલક નિતા સંઘવી બહાર દોડી આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે પ્રવેશખંડમાં 10.30 કલાક બાદ પ્રવેશ આપવામાં આવતો નથી. અને પ્રિયાંશી 5 મિનિટ મોડી પડી હતી. લેટ થવાને કારણે પ્રિયાંશી પેપર આપી શક્શે નહી. આ સાંભળતા વિદ્યાર્થીનીએ વિનંતી કરતા કહ્યું કે 5 મિનિટ માટે મારૂ ભવિષ્ય ન બગાડો. મને પરીક્ષા આપવા દો. જેને લઈ સ્થળ સંચાલકે ડી.ઓ. ઓફિસમાં ફોન કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે બોર્ડના જે નિયમ છે તેને અનુસરવામાં આવે અને તે મુજબના પગલાં લેવામાં આવે. 10.30 બાદ કોઈને પણ શાળામાં પ્રવેશ આપવામાં નથી આવતો. અને નિયમો મુજબ વિદ્યાર્થીનીને એક્ઝામ હોલમાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. જો કે સ્થળ સંચાલકે કહ્યું કે જો વિદ્યાર્થીનીના માર્ક્સ સારા હશે તો તે જુલાઈમાં સાયન્સનું પેપર આપીને પોતાનું વર્ષ બચાવી શકશે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું પ્રિયાંશી પોતાનું વર્ષ બચાવી શકશે કે નહી.


અનેક વખત તંત્રની ભૂલને કારણે વિદ્યાર્થીઓને આવે છે ભોગવવાનો વારો!

પરંતુ ઘણી વખત એવા અનેક બનાવ બનતા હોય છે જેમાં તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવતો હોય છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની સ્કૂલમાં બાળકોને યોગ્ય સમયે પૂરવણી ન મળવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુ્દ્દાને લઈ વાલીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને 15થી 20 મિનિટ બાદ પુરવણી આપવામાં આવી હતી જેને કારણે તેમનું પેપર પણ છુટ્યું હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તંત્રને કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ખરી?            




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.