India-Pakistanના ભાગલા વખતે ભાઈ ભારતમાં રહી ગયા અને બહેન પાકિસ્તાન પહોંચી ગઈ, વર્ષો પહેલા બંને મળ્યા ત્યારે સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-09 10:03:08

અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવતી સીમાની કહાની સાંભળી, અંજુ કઈ રીતે પાકિસ્તાન ગઈ એ પણ સાંભળ્યું. આજે પણ પ્રેમકહાણીની વાત કરવી છે પરંતુ ભાઈ બહેનના પ્રેમની. એ ભાઈ બહેન જે 75 વર્ષ પહેલા વિખૂટા પડી ગયા હતા. 75 વર્ષ પછી એક ભાઈ બહેન મળે છે વિભાજના સમયે ભાઈ ભારતમાં હતા જ્યારે બહેન પાકિસ્તાન હતા. 

ભાગલા સમયે શું થયું? 

6 ઓગસ્ટ સાંજનો સમય હતો કતારપૂર બોર્ડર પર બંને ભાઈ-બહેન મળ્યા મીટિંગ દરમિયાન બંને એકબીજાને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને જોઈને રડતા રહ્યા, એ ખૂબ કરૂણ દ્રશ્યો હતા. એક અહેવાલ મુજબ આ પાકિસ્તાનમાં જન્મેલી સકીનાની વાર્તા છે. 1947માં ભાગલા સમયે સકીનાનો પરિવાર લુધિયાણામાં રહેતો હતો. વિભાજન સમયે, સકીનાનો પરિવાર પાકિસ્તાન ગયો, જ્યારે તેની માતા ભારતમાં રહી. 


પરિવાર પાકિસ્તાન જતો રહ્યો પરંતુ બાળક ભારતમાં રહી ગયો.. 

આઝાદી બાદ બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે ગુમ થયેલા લોકોને એકબીજાને પરત કરવામાં આવશે. તેના પિતાની અપીલ પર પાકિસ્તાની સેનાના જવાનો તેની માતાને લેવા લુધિયાણા પહોંચ્યા હતા. જ્યારે સેના આવી ત્યારે સકીનાનો 5 વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો. પાકિસ્તાની સેનાની ઉતાવળમાં ગુરમેલ ભારતમાં જ રહ્યો. સકીનાનો જન્મ આઝાદી બાદ પાકિસ્તાનમાં થયો હતો.અને આ કારણે તે પોતાના ભાઈની મળી શકી ન હતી 

યુટ્યુબના માધ્યમથી સકીનાએ ભાઈને શોધવાનો કર્યો પ્રયત્ન 

મીડિયા સાથે વાત કરતાં સકીનાએ જણાવ્યું કે શરૂઆતમાં તેના ભાઈએ પરિવારને ઘણા પત્રો મોકલ્યા હતા. ધીરે ધીરે ભાઈના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. સકીનાના કહેવા પ્રમાણે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના ભાઈની તસવીર બતાવી. પિતાએ તેને કહ્યું હતું કે ભાઈ લુધિયાણામાં રહે છે.મોટા થઈને, તેણે તેના ભાઈને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈપણ મળ્યું નહીં.પછી આ સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોને મળી હતી. તેણે સકીનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં સકીનાએ લોકોને તેના ભાઈને શોધવાની અપીલ કરી હતી. 


6 ઓગષ્ટે ભાઈ બહેનનો થયો મિલાપ, સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો 

આ વીડિયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગતાર સિંહે જોયો હતો. તેણે ગુરમેલ સિંહને ઓળખ્યો.આમ 74 વર્ષીય સકીનાએ તેના 80 વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વીડિયો કોલ પર વાત કરી હતી. સકીના અને ગુરમેલના પરિવારજનોએ કરતારપુર સાહિબ ખાતે મળવાનું આયોજન કર્યું અને 6 ઓગસ્ટે ભાઈ બહેન મળ્યા હવે બંનેને આશા છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તેમને વિઝા આપશે, જેથી બંને ભાઈ-બહેન તેમના જીવનના આગામી વર્ષો એકબીજા સાથે વિતાવી શકે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.