India-Pakistanના ભાગલા વખતે ભાઈ ભારતમાં રહી ગયા અને બહેન પાકિસ્તાન પહોંચી ગઈ, વર્ષો પહેલા બંને મળ્યા ત્યારે સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-09 10:03:08

અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવતી સીમાની કહાની સાંભળી, અંજુ કઈ રીતે પાકિસ્તાન ગઈ એ પણ સાંભળ્યું. આજે પણ પ્રેમકહાણીની વાત કરવી છે પરંતુ ભાઈ બહેનના પ્રેમની. એ ભાઈ બહેન જે 75 વર્ષ પહેલા વિખૂટા પડી ગયા હતા. 75 વર્ષ પછી એક ભાઈ બહેન મળે છે વિભાજના સમયે ભાઈ ભારતમાં હતા જ્યારે બહેન પાકિસ્તાન હતા. 

ભાગલા સમયે શું થયું? 

6 ઓગસ્ટ સાંજનો સમય હતો કતારપૂર બોર્ડર પર બંને ભાઈ-બહેન મળ્યા મીટિંગ દરમિયાન બંને એકબીજાને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને જોઈને રડતા રહ્યા, એ ખૂબ કરૂણ દ્રશ્યો હતા. એક અહેવાલ મુજબ આ પાકિસ્તાનમાં જન્મેલી સકીનાની વાર્તા છે. 1947માં ભાગલા સમયે સકીનાનો પરિવાર લુધિયાણામાં રહેતો હતો. વિભાજન સમયે, સકીનાનો પરિવાર પાકિસ્તાન ગયો, જ્યારે તેની માતા ભારતમાં રહી. 


પરિવાર પાકિસ્તાન જતો રહ્યો પરંતુ બાળક ભારતમાં રહી ગયો.. 

આઝાદી બાદ બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે ગુમ થયેલા લોકોને એકબીજાને પરત કરવામાં આવશે. તેના પિતાની અપીલ પર પાકિસ્તાની સેનાના જવાનો તેની માતાને લેવા લુધિયાણા પહોંચ્યા હતા. જ્યારે સેના આવી ત્યારે સકીનાનો 5 વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો. પાકિસ્તાની સેનાની ઉતાવળમાં ગુરમેલ ભારતમાં જ રહ્યો. સકીનાનો જન્મ આઝાદી બાદ પાકિસ્તાનમાં થયો હતો.અને આ કારણે તે પોતાના ભાઈની મળી શકી ન હતી 

યુટ્યુબના માધ્યમથી સકીનાએ ભાઈને શોધવાનો કર્યો પ્રયત્ન 

મીડિયા સાથે વાત કરતાં સકીનાએ જણાવ્યું કે શરૂઆતમાં તેના ભાઈએ પરિવારને ઘણા પત્રો મોકલ્યા હતા. ધીરે ધીરે ભાઈના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. સકીનાના કહેવા પ્રમાણે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના ભાઈની તસવીર બતાવી. પિતાએ તેને કહ્યું હતું કે ભાઈ લુધિયાણામાં રહે છે.મોટા થઈને, તેણે તેના ભાઈને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈપણ મળ્યું નહીં.પછી આ સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોને મળી હતી. તેણે સકીનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં સકીનાએ લોકોને તેના ભાઈને શોધવાની અપીલ કરી હતી. 


6 ઓગષ્ટે ભાઈ બહેનનો થયો મિલાપ, સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો 

આ વીડિયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગતાર સિંહે જોયો હતો. તેણે ગુરમેલ સિંહને ઓળખ્યો.આમ 74 વર્ષીય સકીનાએ તેના 80 વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વીડિયો કોલ પર વાત કરી હતી. સકીના અને ગુરમેલના પરિવારજનોએ કરતારપુર સાહિબ ખાતે મળવાનું આયોજન કર્યું અને 6 ઓગસ્ટે ભાઈ બહેન મળ્યા હવે બંનેને આશા છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તેમને વિઝા આપશે, જેથી બંને ભાઈ-બહેન તેમના જીવનના આગામી વર્ષો એકબીજા સાથે વિતાવી શકે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .