India-Pakistanના ભાગલા વખતે ભાઈ ભારતમાં રહી ગયા અને બહેન પાકિસ્તાન પહોંચી ગઈ, વર્ષો પહેલા બંને મળ્યા ત્યારે સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-09 10:03:08

અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવતી સીમાની કહાની સાંભળી, અંજુ કઈ રીતે પાકિસ્તાન ગઈ એ પણ સાંભળ્યું. આજે પણ પ્રેમકહાણીની વાત કરવી છે પરંતુ ભાઈ બહેનના પ્રેમની. એ ભાઈ બહેન જે 75 વર્ષ પહેલા વિખૂટા પડી ગયા હતા. 75 વર્ષ પછી એક ભાઈ બહેન મળે છે વિભાજના સમયે ભાઈ ભારતમાં હતા જ્યારે બહેન પાકિસ્તાન હતા. 

ભાગલા સમયે શું થયું? 

6 ઓગસ્ટ સાંજનો સમય હતો કતારપૂર બોર્ડર પર બંને ભાઈ-બહેન મળ્યા મીટિંગ દરમિયાન બંને એકબીજાને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને જોઈને રડતા રહ્યા, એ ખૂબ કરૂણ દ્રશ્યો હતા. એક અહેવાલ મુજબ આ પાકિસ્તાનમાં જન્મેલી સકીનાની વાર્તા છે. 1947માં ભાગલા સમયે સકીનાનો પરિવાર લુધિયાણામાં રહેતો હતો. વિભાજન સમયે, સકીનાનો પરિવાર પાકિસ્તાન ગયો, જ્યારે તેની માતા ભારતમાં રહી. 


પરિવાર પાકિસ્તાન જતો રહ્યો પરંતુ બાળક ભારતમાં રહી ગયો.. 

આઝાદી બાદ બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે ગુમ થયેલા લોકોને એકબીજાને પરત કરવામાં આવશે. તેના પિતાની અપીલ પર પાકિસ્તાની સેનાના જવાનો તેની માતાને લેવા લુધિયાણા પહોંચ્યા હતા. જ્યારે સેના આવી ત્યારે સકીનાનો 5 વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો. પાકિસ્તાની સેનાની ઉતાવળમાં ગુરમેલ ભારતમાં જ રહ્યો. સકીનાનો જન્મ આઝાદી બાદ પાકિસ્તાનમાં થયો હતો.અને આ કારણે તે પોતાના ભાઈની મળી શકી ન હતી 

યુટ્યુબના માધ્યમથી સકીનાએ ભાઈને શોધવાનો કર્યો પ્રયત્ન 

મીડિયા સાથે વાત કરતાં સકીનાએ જણાવ્યું કે શરૂઆતમાં તેના ભાઈએ પરિવારને ઘણા પત્રો મોકલ્યા હતા. ધીરે ધીરે ભાઈના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. સકીનાના કહેવા પ્રમાણે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના ભાઈની તસવીર બતાવી. પિતાએ તેને કહ્યું હતું કે ભાઈ લુધિયાણામાં રહે છે.મોટા થઈને, તેણે તેના ભાઈને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈપણ મળ્યું નહીં.પછી આ સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોને મળી હતી. તેણે સકીનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં સકીનાએ લોકોને તેના ભાઈને શોધવાની અપીલ કરી હતી. 


6 ઓગષ્ટે ભાઈ બહેનનો થયો મિલાપ, સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો 

આ વીડિયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગતાર સિંહે જોયો હતો. તેણે ગુરમેલ સિંહને ઓળખ્યો.આમ 74 વર્ષીય સકીનાએ તેના 80 વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વીડિયો કોલ પર વાત કરી હતી. સકીના અને ગુરમેલના પરિવારજનોએ કરતારપુર સાહિબ ખાતે મળવાનું આયોજન કર્યું અને 6 ઓગસ્ટે ભાઈ બહેન મળ્યા હવે બંનેને આશા છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તેમને વિઝા આપશે, જેથી બંને ભાઈ-બહેન તેમના જીવનના આગામી વર્ષો એકબીજા સાથે વિતાવી શકે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .