ડોન અતીક અહેમદને લેવા માટે યુપી પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-03-26 19:11:06

ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી માફિયા ડોન અતીક અહેમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ  લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ એટીએફની ટીમ રવિવારે અચાનક જ ગુજરાત પહોંચી છે. અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે . હાલ અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. 


45 પોલીસકર્મી સાથે 6 વાહનોનો કાફલો


બાહુબલી નેતા અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવા માટે 45 પોલીસકર્મીઓની ટીમ સાબરમતી જેલ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ DCP રેન્કના અધિકારીઓ કરે છે. અતીકને જે કાફલામાં લાવવામાં આવશે તેમાં 6 વાહનોનો સમાવેશ થાય છે. જેમાં 2 પોલાદી વાહનોનો સમાવેશ થાય છે. અતીક અહેમદને રોડ દ્વારા લાવવામાં આવતા પોલાદી વાહનની અંદર જ રાખવામાં આવશે.


મેડિકલ ટેસ્ટ બાદ પ્રસ્થાન


અતીકને સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવા માટે રોડ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં 36 કલાકનો સમય લાગશે. રવિવારે બપોરે યુપી પોલીસ અતીકને લઈને સાબરમતી જેલમાંથી બહાર આવશે. પ્રસ્થાન પહેલા આતિકનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.



રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવશે


પોલીસ સુત્રોના દ્વારા જણાવ્યા મુજબ પોલીસ અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.પોલીસ પ્રયાગરાજમાં ઉમેશપાલ મર્ડર કેસમાં અતીકની પૂછપરછ કરશે. મળતી માહિતી મુજબ, પોલીસ અતીકને પ્રયાગરાજ લાવવા ઝાંસીથી શિવપુરી થઈને આવશે. પોલીસ અતીક સાથે 24 થી 25 કલાક સતત મુસાફરી કરશે.


સમગ્ર મામલો શું છે?


અતીક અહેમદ પર એવો આરોપ છે કે હત્યાનું સમગ્ર કાવતરું સાબરમતી જેલમાં અતીક અહેમદે ઘડ્યું હતું. તે ઉપરાંત આતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, ભાઈ અશરફ, ત્રીજા પુત્ર અસદ અહેમદ સહિત ગેંગના સભ્યો પર ઉમેશ પાલની હત્યાનો આરોપ છે. અતીકે આ હત્યાકાંડને અંજામ આપવાની જવાબદારી તેની પત્ની શાઇસ્તા પરવીનને સોંપી હતી. શાઇસ્તા ઉમેશ પાલના હત્યારાઓના સીધા સંપર્કમાં હતી. ઉમેશ પાલ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. અતીક અહેમદ અને તેના સાથીદારો પર રાજુ પાલની હત્યાનો આરોપ હતો. 2006માં અતીક ગેંગે આ કેસમાં ઉમેશ પાલનું પણ અપહરણ કર્યું હતું અને તેને પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હતું, રાજુ પાલે તે પ્રમાણે જુબાની પણ આપી હતી. અતીક અહેમદ હવે આ મામલે ઘેરાયા છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .