ડોન અતીક અહેમદને લેવા માટે યુપી પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-03-26 19:11:06

ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી માફિયા ડોન અતીક અહેમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ  લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ એટીએફની ટીમ રવિવારે અચાનક જ ગુજરાત પહોંચી છે. અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે . હાલ અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. 


45 પોલીસકર્મી સાથે 6 વાહનોનો કાફલો


બાહુબલી નેતા અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવા માટે 45 પોલીસકર્મીઓની ટીમ સાબરમતી જેલ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ DCP રેન્કના અધિકારીઓ કરે છે. અતીકને જે કાફલામાં લાવવામાં આવશે તેમાં 6 વાહનોનો સમાવેશ થાય છે. જેમાં 2 પોલાદી વાહનોનો સમાવેશ થાય છે. અતીક અહેમદને રોડ દ્વારા લાવવામાં આવતા પોલાદી વાહનની અંદર જ રાખવામાં આવશે.


મેડિકલ ટેસ્ટ બાદ પ્રસ્થાન


અતીકને સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવા માટે રોડ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં 36 કલાકનો સમય લાગશે. રવિવારે બપોરે યુપી પોલીસ અતીકને લઈને સાબરમતી જેલમાંથી બહાર આવશે. પ્રસ્થાન પહેલા આતિકનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.



રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવશે


પોલીસ સુત્રોના દ્વારા જણાવ્યા મુજબ પોલીસ અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.પોલીસ પ્રયાગરાજમાં ઉમેશપાલ મર્ડર કેસમાં અતીકની પૂછપરછ કરશે. મળતી માહિતી મુજબ, પોલીસ અતીકને પ્રયાગરાજ લાવવા ઝાંસીથી શિવપુરી થઈને આવશે. પોલીસ અતીક સાથે 24 થી 25 કલાક સતત મુસાફરી કરશે.


સમગ્ર મામલો શું છે?


અતીક અહેમદ પર એવો આરોપ છે કે હત્યાનું સમગ્ર કાવતરું સાબરમતી જેલમાં અતીક અહેમદે ઘડ્યું હતું. તે ઉપરાંત આતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, ભાઈ અશરફ, ત્રીજા પુત્ર અસદ અહેમદ સહિત ગેંગના સભ્યો પર ઉમેશ પાલની હત્યાનો આરોપ છે. અતીકે આ હત્યાકાંડને અંજામ આપવાની જવાબદારી તેની પત્ની શાઇસ્તા પરવીનને સોંપી હતી. શાઇસ્તા ઉમેશ પાલના હત્યારાઓના સીધા સંપર્કમાં હતી. ઉમેશ પાલ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. અતીક અહેમદ અને તેના સાથીદારો પર રાજુ પાલની હત્યાનો આરોપ હતો. 2006માં અતીક ગેંગે આ કેસમાં ઉમેશ પાલનું પણ અપહરણ કર્યું હતું અને તેને પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હતું, રાજુ પાલે તે પ્રમાણે જુબાની પણ આપી હતી. અતીક અહેમદ હવે આ મામલે ઘેરાયા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.