Delhiના નવા સીએમ બન્યા Atishi, Arvind Kejriwal આજે આપશે રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-09-17 13:28:30

અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના છે.. સાંજનો સમય પણ એલજી પાસે તેમણે માગ્યો છે.. અરવિંદ કેજરીવાલ બાદ મુખ્યમંત્રી કોણ બનશે દિલ્હીના તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ.. અને આતિશી દિલ્હીના મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવશે. મહત્વનું છે કે જ્યારે આપના દિગ્ગજ નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે આતિશીએ જ પાર્ટીની કમાન સંભાળી હતી..

આતિશી બનશે દિલ્હીના મુખ્યમંત્રી 

આજથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર આતિશી સંભાળશે..કેજરીવાલના ઘરે વિધાયક દળની બેઠક મળી હતી જેમાં ખુદ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો અને સર્વસંમતિથી નામ પર મહોર લાગી..એમ પણ મુખ્યમંત્રીની રેસમાં આતિશી આગળ ચાલી રહ્યા હતા. ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી..મહત્વનું છે કે આતિશી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનાના નજીકના માનવામાં આવે છે અને વિશ્વાસુ પણ માનવામાં આવે છે... આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે પાર્ટીનો કાર્યભાર તેમણે જ સંભાળ્યો હતો.. શિક્ષણ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો...


અરવિંદ કેજરીવાલને કેમ આપવું પડ્યું રાજીનામું?

હવે વાત કરીએ કે અરવિંદ કેજરીવાલને કેમ રાજીનામું કેમ આપવું પડીએ તેની તો એક્સાઈજ પોલીસી કેસમાં તેમને જેલ થઈ.. 13 તારીખે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા કે તે સીએમ ઓફિસ નહીં જઈ શકે.. તે પછી 15 તારીખે એટલે રવિવારે તેમણે જાહેરાત કરી કે બે દિવસ પછી તે રાજીનામું આપી દેશે. આજે સાંજે તે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેશે.. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તે સીએમ પદ ત્યાં સુધી નહીં સંભાળે જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય ના સંભળાવી દે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .