Delhiના નવા સીએમ બન્યા Atishi, Arvind Kejriwal આજે આપશે રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-09-17 13:28:30

અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના છે.. સાંજનો સમય પણ એલજી પાસે તેમણે માગ્યો છે.. અરવિંદ કેજરીવાલ બાદ મુખ્યમંત્રી કોણ બનશે દિલ્હીના તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ.. અને આતિશી દિલ્હીના મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવશે. મહત્વનું છે કે જ્યારે આપના દિગ્ગજ નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે આતિશીએ જ પાર્ટીની કમાન સંભાળી હતી..

આતિશી બનશે દિલ્હીના મુખ્યમંત્રી 

આજથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર આતિશી સંભાળશે..કેજરીવાલના ઘરે વિધાયક દળની બેઠક મળી હતી જેમાં ખુદ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો અને સર્વસંમતિથી નામ પર મહોર લાગી..એમ પણ મુખ્યમંત્રીની રેસમાં આતિશી આગળ ચાલી રહ્યા હતા. ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી..મહત્વનું છે કે આતિશી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનાના નજીકના માનવામાં આવે છે અને વિશ્વાસુ પણ માનવામાં આવે છે... આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે પાર્ટીનો કાર્યભાર તેમણે જ સંભાળ્યો હતો.. શિક્ષણ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો...


અરવિંદ કેજરીવાલને કેમ આપવું પડ્યું રાજીનામું?

હવે વાત કરીએ કે અરવિંદ કેજરીવાલને કેમ રાજીનામું કેમ આપવું પડીએ તેની તો એક્સાઈજ પોલીસી કેસમાં તેમને જેલ થઈ.. 13 તારીખે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા કે તે સીએમ ઓફિસ નહીં જઈ શકે.. તે પછી 15 તારીખે એટલે રવિવારે તેમણે જાહેરાત કરી કે બે દિવસ પછી તે રાજીનામું આપી દેશે. આજે સાંજે તે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેશે.. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તે સીએમ પદ ત્યાં સુધી નહીં સંભાળે જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય ના સંભળાવી દે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.