Delhiના નવા સીએમ બન્યા Atishi, Arvind Kejriwal આજે આપશે રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-09-17 13:28:30

અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના છે.. સાંજનો સમય પણ એલજી પાસે તેમણે માગ્યો છે.. અરવિંદ કેજરીવાલ બાદ મુખ્યમંત્રી કોણ બનશે દિલ્હીના તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ.. અને આતિશી દિલ્હીના મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવશે. મહત્વનું છે કે જ્યારે આપના દિગ્ગજ નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે આતિશીએ જ પાર્ટીની કમાન સંભાળી હતી..

આતિશી બનશે દિલ્હીના મુખ્યમંત્રી 

આજથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર આતિશી સંભાળશે..કેજરીવાલના ઘરે વિધાયક દળની બેઠક મળી હતી જેમાં ખુદ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો અને સર્વસંમતિથી નામ પર મહોર લાગી..એમ પણ મુખ્યમંત્રીની રેસમાં આતિશી આગળ ચાલી રહ્યા હતા. ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી..મહત્વનું છે કે આતિશી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનાના નજીકના માનવામાં આવે છે અને વિશ્વાસુ પણ માનવામાં આવે છે... આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે પાર્ટીનો કાર્યભાર તેમણે જ સંભાળ્યો હતો.. શિક્ષણ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો...


અરવિંદ કેજરીવાલને કેમ આપવું પડ્યું રાજીનામું?

હવે વાત કરીએ કે અરવિંદ કેજરીવાલને કેમ રાજીનામું કેમ આપવું પડીએ તેની તો એક્સાઈજ પોલીસી કેસમાં તેમને જેલ થઈ.. 13 તારીખે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા કે તે સીએમ ઓફિસ નહીં જઈ શકે.. તે પછી 15 તારીખે એટલે રવિવારે તેમણે જાહેરાત કરી કે બે દિવસ પછી તે રાજીનામું આપી દેશે. આજે સાંજે તે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેશે.. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તે સીએમ પદ ત્યાં સુધી નહીં સંભાળે જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય ના સંભળાવી દે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .