પોરબંદરમાં ATSએ કરી મોટી કાર્યવાહી! ISIS સાથે સંકળાયેલા લોકોની કરાઈ ધરપકડ ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-10 13:41:28

ગુજરાત એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. પોરબંદરથી એટીએસે ચાર લોકોની અટકાયત કરી લીધી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આતંકી સંગઠન ISISના સભ્યો છે. ઓપરેશન માટે થઈ ગઈકાલથી પોરબંદર પહોંચી ગયા હતા અને ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઘટસ્ફોટ કર્યો હતો. મસમોટા કાફલા સાથે DIG દિપેન ભદ્રન સહિતના અધિકારીઓએ આ સફળ ઓપરેશન કર્યું હતું.

અનેક લોકોની કરવામાં આવી ધરપકડ!

દેશમાં આતંકી હુમલો ન થાય તેમજ દારૂ, ડ્રગ્સ અને હથિયારો સહિતના ગુનામાં કડક કાર્યવાહી કરવા એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે આવું સર્ચ ઓપરેશન ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે અને તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


વિદેશી નાગરિકને પકડવા હાથ ધરાયું ઓપરેશન!

આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર જે વ્યક્તિને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા તે એક વિદેશી નાગરિક છે. જ્યારે જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે સુરતની છે અને તેનું નામ સુમેરા છે. ISIS મોડ્યુલનો પર્દાફાસ થતા તેનું નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની બાતમી મળી છે. આ ચારેય લોકો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હતા. મહત્વનું છે કે તપાસ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.