પોરબંદરમાં ATSએ કરી મોટી કાર્યવાહી! ISIS સાથે સંકળાયેલા લોકોની કરાઈ ધરપકડ ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-10 13:41:28

ગુજરાત એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. પોરબંદરથી એટીએસે ચાર લોકોની અટકાયત કરી લીધી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આતંકી સંગઠન ISISના સભ્યો છે. ઓપરેશન માટે થઈ ગઈકાલથી પોરબંદર પહોંચી ગયા હતા અને ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઘટસ્ફોટ કર્યો હતો. મસમોટા કાફલા સાથે DIG દિપેન ભદ્રન સહિતના અધિકારીઓએ આ સફળ ઓપરેશન કર્યું હતું.

અનેક લોકોની કરવામાં આવી ધરપકડ!

દેશમાં આતંકી હુમલો ન થાય તેમજ દારૂ, ડ્રગ્સ અને હથિયારો સહિતના ગુનામાં કડક કાર્યવાહી કરવા એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે આવું સર્ચ ઓપરેશન ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે અને તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


વિદેશી નાગરિકને પકડવા હાથ ધરાયું ઓપરેશન!

આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર જે વ્યક્તિને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા તે એક વિદેશી નાગરિક છે. જ્યારે જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે સુરતની છે અને તેનું નામ સુમેરા છે. ISIS મોડ્યુલનો પર્દાફાસ થતા તેનું નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની બાતમી મળી છે. આ ચારેય લોકો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હતા. મહત્વનું છે કે તપાસ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.