પોરબંદરમાં ATSએ કરી મોટી કાર્યવાહી! ISIS સાથે સંકળાયેલા લોકોની કરાઈ ધરપકડ ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-10 13:41:28

ગુજરાત એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. પોરબંદરથી એટીએસે ચાર લોકોની અટકાયત કરી લીધી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આતંકી સંગઠન ISISના સભ્યો છે. ઓપરેશન માટે થઈ ગઈકાલથી પોરબંદર પહોંચી ગયા હતા અને ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઘટસ્ફોટ કર્યો હતો. મસમોટા કાફલા સાથે DIG દિપેન ભદ્રન સહિતના અધિકારીઓએ આ સફળ ઓપરેશન કર્યું હતું.

અનેક લોકોની કરવામાં આવી ધરપકડ!

દેશમાં આતંકી હુમલો ન થાય તેમજ દારૂ, ડ્રગ્સ અને હથિયારો સહિતના ગુનામાં કડક કાર્યવાહી કરવા એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે આવું સર્ચ ઓપરેશન ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે અને તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


વિદેશી નાગરિકને પકડવા હાથ ધરાયું ઓપરેશન!

આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર જે વ્યક્તિને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા તે એક વિદેશી નાગરિક છે. જ્યારે જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે સુરતની છે અને તેનું નામ સુમેરા છે. ISIS મોડ્યુલનો પર્દાફાસ થતા તેનું નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની બાતમી મળી છે. આ ચારેય લોકો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હતા. મહત્વનું છે કે તપાસ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.