આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આરોપ - BJPના કાર્યકરોએ ગાડીઓ તોડી


  • Published By :
  • Published Date : 2024-01-21 16:47:44

આસામના જમુગુરીઘાટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો ન્યાય યાત્રા પર કથિત રીતે ભાજપના સમર્થકોએ હુમલો કર્યો હતો. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધીના આગમન પહેલા ભાજપના કાર્યકર્તાઓ તેમના માર્ગ પર માર્ચ કરી રહ્યા હતા, ત્યારે જ ભારત જોડો ન્યાય યાત્રાના વાહનોનો કાફલો તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના સમર્થકોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી અને ભારત જોડો ન્યાય યાત્રાના કેમેરા ક્રૂ પર પણ હુમલો કર્યો હતો.


જયરામ રમેશની કાર પર હુમલો


કોંગ્રેસે દાવો કર્યો છે કે આસામના સોનિતપુર જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ પાર્ટીના અગ્રણી નેતા જયરામ રમેશની કાર અને કેમેરા ક્રૂ સાથે ભાજપના કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી હતી.આપને જણાવી દઈએ કે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. આસામ. છે. જે બિસવંત જિલ્લાથી સોનિતપુર થઈને નાગાંવ જઈ રહી છે. આ કથિત હુમલો રાહુલ ગાંધી નાગાંવ જિલ્લાના કાલિયાબોરમાં રેલીને સંબોધિત કરે તે પહેલા થયો હતો.


અંધાધૂંધી સર્જી 


સમાચાર એજન્સી PTI અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સંચાર સંયોજક મહિમા સિંહે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે તેમના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું, તેઓએ એક વ્લોગરનો કૅમેરો પરત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે જયરામ રમેશ અને અન્ય કેટલાક લોકોને લઈ જતી કાર જમુગુરીઘાટ નજીક યાત્રામાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.