આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આરોપ - BJPના કાર્યકરોએ ગાડીઓ તોડી


  • Published By :
  • Published Date : 2024-01-21 16:47:44

આસામના જમુગુરીઘાટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો ન્યાય યાત્રા પર કથિત રીતે ભાજપના સમર્થકોએ હુમલો કર્યો હતો. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધીના આગમન પહેલા ભાજપના કાર્યકર્તાઓ તેમના માર્ગ પર માર્ચ કરી રહ્યા હતા, ત્યારે જ ભારત જોડો ન્યાય યાત્રાના વાહનોનો કાફલો તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના સમર્થકોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી અને ભારત જોડો ન્યાય યાત્રાના કેમેરા ક્રૂ પર પણ હુમલો કર્યો હતો.


જયરામ રમેશની કાર પર હુમલો


કોંગ્રેસે દાવો કર્યો છે કે આસામના સોનિતપુર જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ પાર્ટીના અગ્રણી નેતા જયરામ રમેશની કાર અને કેમેરા ક્રૂ સાથે ભાજપના કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી હતી.આપને જણાવી દઈએ કે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. આસામ. છે. જે બિસવંત જિલ્લાથી સોનિતપુર થઈને નાગાંવ જઈ રહી છે. આ કથિત હુમલો રાહુલ ગાંધી નાગાંવ જિલ્લાના કાલિયાબોરમાં રેલીને સંબોધિત કરે તે પહેલા થયો હતો.


અંધાધૂંધી સર્જી 


સમાચાર એજન્સી PTI અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સંચાર સંયોજક મહિમા સિંહે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે તેમના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું, તેઓએ એક વ્લોગરનો કૅમેરો પરત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે જયરામ રમેશ અને અન્ય કેટલાક લોકોને લઈ જતી કાર જમુગુરીઘાટ નજીક યાત્રામાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે