અમદાવાદમાં જાહેર મંચ પર વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 08:23:44

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરકારી આવાસના મકાનોમાં ઘણ સમયથી ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે  સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન હતા. તેઓ દ્વારા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશભાઈ દ્વારા વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી.


વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલોનો વિડિયો 

  

કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચડાવામાં આવ્યા હતા જે આવાસ યોજના ના નિયમ વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મુનીસિપલ કોર્પોરેશન અને ડીસીપી કક્ષાએ અનેક વાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓની આજ દિન સુધી કોઈ જ સુનવણી થઈ નથી.

 

આ પીડિતોની મુલાકાત લેવા જ્યારે જીગ્નેશ મેવાણી જાઈ છે ત્યારે જાહેર મંચ પર લાભુ દેસાઈ દ્વારા આક્રમક રૂપે હુમલો કરવામાં આવે છે. આરોપી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ફોલ્ડર લાભૂ દેસાઈ છે.  

Assam court grants bail to Jignesh Mevani in assault case, pulls up police  for filing false

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફાઇલ તસ્વીર 


તમામ ફરયાદો બાવજુદ આજદિન સુધી આરોપી સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ તમામનો હિસાબ
આજે અમદાવાદના C.P ઓફીસએ સવારે ૧૦ વાગે લેવામાં આવશે : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.