અમદાવાદમાં જાહેર મંચ પર વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 08:23:44

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરકારી આવાસના મકાનોમાં ઘણ સમયથી ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે  સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન હતા. તેઓ દ્વારા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશભાઈ દ્વારા વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી.


વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલોનો વિડિયો 

  

કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચડાવામાં આવ્યા હતા જે આવાસ યોજના ના નિયમ વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મુનીસિપલ કોર્પોરેશન અને ડીસીપી કક્ષાએ અનેક વાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓની આજ દિન સુધી કોઈ જ સુનવણી થઈ નથી.

 

આ પીડિતોની મુલાકાત લેવા જ્યારે જીગ્નેશ મેવાણી જાઈ છે ત્યારે જાહેર મંચ પર લાભુ દેસાઈ દ્વારા આક્રમક રૂપે હુમલો કરવામાં આવે છે. આરોપી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ફોલ્ડર લાભૂ દેસાઈ છે.  

Assam court grants bail to Jignesh Mevani in assault case, pulls up police  for filing false

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફાઇલ તસ્વીર 


તમામ ફરયાદો બાવજુદ આજદિન સુધી આરોપી સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ તમામનો હિસાબ
આજે અમદાવાદના C.P ઓફીસએ સવારે ૧૦ વાગે લેવામાં આવશે : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"