Rajkot એરપોર્ટ ઘટનાને લઈ વિપક્ષના સરકાર પર પ્રહાર! કોંગ્રેસે લખ્યું કે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું તો AAPએ લખ્યું કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે....


  • Published By :
  • Published Date : 2024-06-29 17:44:21

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એવી અનેક ઘટનાઓ બની છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક મુદ્દાઓ એવા છે જેને લઈ વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે હવે રાજકોટના હિરાસર એરપોર્ટ પર જે ઘટની બની તેને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

એરપોર્ટ પર બનાવામાં આવેલી કેનોપી ધરાશાઈ થઈ 

રાજકોટ એરપોર્ટ પર બનાવામાં આવી કેનોપી ભારે પવન તેમજ વરસાદને કારણે તૂટી પડી. જે એરપોર્ટ પર આ ઘટના બની છે તેનું ઉદ્ધાટન એક વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે હવે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું - માત્ર 1 વર્ષ પહેલા..

શક્તિસિંહ ગોહિલ તેમજ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે.. 

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. તે ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના ભ્રષ્ટ નેતા અને તેમના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે રાજકોટ એરપોર્ટનો એક ભાગ તૂટી પડ્યો. જો આ ઘટનામાં કોઈનું મોત થઈ જતું તો જવાબદારી કોણ લેતું?     


આમ આદમી પાર્ટીએ આ દુર્ઘટનાને લઈ કરી આ પોસ્ટ

ના માત્ર કોંગ્રેસ દ્વારા પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આપે સોશિયલ મીડિયા પર લખ્યું તે ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક તસવીર, રાજકોટ એરપોર્ટના બહાર યાત્રી Pick up and Drop ક્ષેત્રના શેડ ધરાશાયી થયો. હવે તો સવાલએ છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે ભ્રષ્ટાચાર ના કર્યો હોય? સામાન્ય જનતા ક્યાં સુધી મોદી અને ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનશે? 



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.