Rajkot એરપોર્ટ ઘટનાને લઈ વિપક્ષના સરકાર પર પ્રહાર! કોંગ્રેસે લખ્યું કે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું તો AAPએ લખ્યું કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે....


  • Published By :
  • Published Date : 2024-06-29 17:44:21

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એવી અનેક ઘટનાઓ બની છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક મુદ્દાઓ એવા છે જેને લઈ વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે હવે રાજકોટના હિરાસર એરપોર્ટ પર જે ઘટની બની તેને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

એરપોર્ટ પર બનાવામાં આવેલી કેનોપી ધરાશાઈ થઈ 

રાજકોટ એરપોર્ટ પર બનાવામાં આવી કેનોપી ભારે પવન તેમજ વરસાદને કારણે તૂટી પડી. જે એરપોર્ટ પર આ ઘટના બની છે તેનું ઉદ્ધાટન એક વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે હવે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું - માત્ર 1 વર્ષ પહેલા..

શક્તિસિંહ ગોહિલ તેમજ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે.. 

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. તે ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના ભ્રષ્ટ નેતા અને તેમના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે રાજકોટ એરપોર્ટનો એક ભાગ તૂટી પડ્યો. જો આ ઘટનામાં કોઈનું મોત થઈ જતું તો જવાબદારી કોણ લેતું?     


આમ આદમી પાર્ટીએ આ દુર્ઘટનાને લઈ કરી આ પોસ્ટ

ના માત્ર કોંગ્રેસ દ્વારા પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આપે સોશિયલ મીડિયા પર લખ્યું તે ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક તસવીર, રાજકોટ એરપોર્ટના બહાર યાત્રી Pick up and Drop ક્ષેત્રના શેડ ધરાશાયી થયો. હવે તો સવાલએ છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે ભ્રષ્ટાચાર ના કર્યો હોય? સામાન્ય જનતા ક્યાં સુધી મોદી અને ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનશે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.