મહેસાણામાં ગરબામાં એન્ટ્રી ન મળતાં યુનિવર્સિટીના સિક્યુરિટી પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-10-15 15:21:47

મહેસાણાના ખેરવા નજીક આવેલ ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર વિદ્યાર્થીઓને જ કોલેજમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો.જ્યાં ખેરવા ગામના કેટલાક ઈસમો કોલેજમાં ગરબા જોવા નું કહેતા સિક્યુરિટી એ ના પાડી તેઓને પરત મોકલી દીધા હતા.બાદમાં આ ઈસમોએ ગરબા જોવા ન દેવા મામલે રાત્રે પોગ્રામ પૂર્ણ થયા બાદ સિક્યુરિટી ઇન્ચાર્જ ની ગાડીના કાચ ફોડી નુકસાન કર્યું હતું


ફરિયાદી અને તેના મિત્રો ગાડીમાં બેસી નીકળ્યા એ દરમિયાન આ ઈસમોએ પોતાની પાસે રહેલા પથ્થરો લઈ ગાડી પર મારતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.પથ્થર મારવાને કારણે ગાડીમાં બે દરવાજા અને પાછળના કાચ ને નુકસાન થવા પામ્યું હતું.સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસમાં ગાડી પર પથ્થર મારો કરનાર યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.