મહેસાણામાં ગરબામાં એન્ટ્રી ન મળતાં યુનિવર્સિટીના સિક્યુરિટી પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-10-15 15:21:47

મહેસાણાના ખેરવા નજીક આવેલ ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર વિદ્યાર્થીઓને જ કોલેજમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો.જ્યાં ખેરવા ગામના કેટલાક ઈસમો કોલેજમાં ગરબા જોવા નું કહેતા સિક્યુરિટી એ ના પાડી તેઓને પરત મોકલી દીધા હતા.બાદમાં આ ઈસમોએ ગરબા જોવા ન દેવા મામલે રાત્રે પોગ્રામ પૂર્ણ થયા બાદ સિક્યુરિટી ઇન્ચાર્જ ની ગાડીના કાચ ફોડી નુકસાન કર્યું હતું


ફરિયાદી અને તેના મિત્રો ગાડીમાં બેસી નીકળ્યા એ દરમિયાન આ ઈસમોએ પોતાની પાસે રહેલા પથ્થરો લઈ ગાડી પર મારતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.પથ્થર મારવાને કારણે ગાડીમાં બે દરવાજા અને પાછળના કાચ ને નુકસાન થવા પામ્યું હતું.સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસમાં ગાડી પર પથ્થર મારો કરનાર યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.