મહેસાણામાં ગરબામાં એન્ટ્રી ન મળતાં યુનિવર્સિટીના સિક્યુરિટી પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-10-15 15:21:47

મહેસાણાના ખેરવા નજીક આવેલ ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર વિદ્યાર્થીઓને જ કોલેજમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો.જ્યાં ખેરવા ગામના કેટલાક ઈસમો કોલેજમાં ગરબા જોવા નું કહેતા સિક્યુરિટી એ ના પાડી તેઓને પરત મોકલી દીધા હતા.બાદમાં આ ઈસમોએ ગરબા જોવા ન દેવા મામલે રાત્રે પોગ્રામ પૂર્ણ થયા બાદ સિક્યુરિટી ઇન્ચાર્જ ની ગાડીના કાચ ફોડી નુકસાન કર્યું હતું


ફરિયાદી અને તેના મિત્રો ગાડીમાં બેસી નીકળ્યા એ દરમિયાન આ ઈસમોએ પોતાની પાસે રહેલા પથ્થરો લઈ ગાડી પર મારતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.પથ્થર મારવાને કારણે ગાડીમાં બે દરવાજા અને પાછળના કાચ ને નુકસાન થવા પામ્યું હતું.સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસમાં ગાડી પર પથ્થર મારો કરનાર યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.