Gujaratમાં શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયાસ, Narmadaના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 16:57:20

ગઈકાલે દેશમાં તેમજ રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. રંગેચંગે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અનેક જગ્યાઓથી મારામારીના તેમજ પથ્થરમારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અસમાજીક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. તે સિવાય પણ દાહોદથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ડાયરામાં બબાલ થઈ હતી. તે દરમિયાન એક ગાડી ગણેશપંડાલમાં આવી પહોંચી હતી અને તોડફોડ કરી હતી.  

Stone pelting on Bajrang Dal Sharya Jagran Yatra | સેલંબા ખાતે વિધર્મી  લોકોએ પથ્થરમારો કરી આગચંપી; જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકાયો -  Divya Bhaskar

સેલંબામાં નિકળેલી શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો 

નર્મદા જિલ્લાના સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જિલ્લાના સેલાંબા ગામમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નિકાળવામાં આવી હતી. જે પથ પરથી યાત્રા નિકળે છે ત્યાં મુસ્લીમ વસ્તી પણ રહે છે. ત્યારે મળતી માહિતી અનુસાર હિંદુ તેમજ મુસ્લિમ સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં અનકે લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ હુમલાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા.    


મુસ્લિમ યુવકોએ યાત્રા પર કર્યો પથ્થરમારો 

ગઈકાલે ગણપતિ વિસર્જન દરમિયાન વડોદરાના મંજુસરમાં પથ્થરમારો થયા હોવાની ઘટના બની હતી. ગુજરાતને આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આ વાતને ખોટી સાબિત કરતા હોય છે. જ્યારે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, રસ્તા પરથી જ્યારે ધાર્મિક યાત્રા નિકળતી હોય છે તે વખતે તેની પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હોય છે. જેને કારણે શાંતિ અશાંતિમાં પ્રવર્તિ ઉઠતી હોય છે. નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા નિકળી હતી. તે દરમિયાન હિંદુઓ તેમજ મુસ્લી જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે કાયદા વ્યવસ્થાને ફરી એક વખત સ્થાપિત કરી દીધી છે. 

Stone pelting on Bajrang Dal Sharya Jagran Yatra | સેલંબા ખાતે વિધર્મી  લોકોએ પથ્થરમારો કરી આગચંપી; જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકાયો -  Divya Bhaskar

પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસને કરાઈ તૈનાત 

સેલંબામાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ જે અશાંતિ ફેલાઈ હતી તે દરમિયાન આગચંપીના બનાવ પણ બન્યા હતા. જે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે આખા નર્મદા જિલ્લામાં ફરવાની હતી.  કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશાંતિને શાંત કરવા માટે પોલીસ કાફલાને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.