નકલી CMOની ઓળખ આપી જામનગર પોલીસને કર્યો છેતરવાનો પ્રયાસ! 'હું CM કાર્યાલયમાંથી બોલું છું....', જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો


  • Published By :
  • Published Date : 2023-08-13 18:14:03

નકલી પીએમ ઓફિસર બની અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર કિરણ પટેલ તો બધાને યાદ જ હશે. કિરણ પટેલનો કિસ્સો સામે આવ્યો તે બાદ અનેક ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એકબાદ એક ઠગાઈના કિસ્સો નોંધાઈ રહ્યા છે. વધુ એક ઠગનો પર્દાફાશ જામનગર પોલીસે કર્યો છે.  થોડા સમય પહેલા સાયબરક્રાઈમના માસ્ટરમાઈન્ડ ગણાતા વ્યક્તિને સુરતથી ઝડપી પાડ્યો છે. ત્યારે તે આરોપીને પોલીસ સકંજામાંથી છોડાવવા માટે એક વ્યક્તિએ નકલી સીએમઓ અધિકારી બની જામનગર પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો અને આમીર અસલમને છોડવામાં આવે તેવી વાત કહી હતી.    


આરોપીને છોડાવવા નકલી સીએમઓ અધિકારી બની આપી ઓળખ!

જામનગર એસપીના નંબર પર એક ફોન આવે છે જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ સીએમઓ ઓફિસરની આપી હતી. નિકુંજ પટેલ તરીકેની ખોટી ઓળખ આપી જામનગર પોલીસે પકડેલા આમીર અસલમને છોડવાની વાત કહી. ફોન પર તેણે કહ્યું કે હું મુખ્યમંત્રી કાર્યાલય પરથી નિકુંજ પટેલ બોલું છું, તમે જે આમીર અસલમને પકડ્યો છે તેને તાત્કાલિક છોડી દેવામાં આવે તેવી ભલામણ કરી હતી. જે આરોપીને છોડવાની વાત ફોન પર કરવામાં આવી હતી તે સાયબરક્રાઈમનો માસ્ટરમાઈન્ડ હતો. લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાના કેસમાં તે આરોપી હતો. ઓનલાઈન ફ્રોડમાં આમીર અસલમનું નામ સામે આવ્યા બાદ સુરતથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યભરના અનેક લોકોને આર્થિક રીતે છેતરનાર ટોળકીને ત્રણ વર્ષ પૂર્વે જામનગર પોલીસે પકડી પાડી હતી. અગાઉ આ પ્રકરણમાં પાંચ આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ આરોપીને દબોચી લેવાયા હતા જયારે માસ્ટર માઈન્ડ એવા આરોપી અસલમને થોડા સમય પહેલા પકડવામાં આવ્યો હતો.


ફોન કરનાર સાચે સીએમઓ અધિકારી છે તે જાણવા પોલીસે કર્યું ક્રોસ ચેક

સુરતથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે નકલી સીએમો અધિકારી બની તેને છોડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ પોલીસે જ્યારે ફોનકોલ અંગે અને નિકુંજ પટેલ અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તે ફોન કોલ ફ્રોડ હતો. નિકુંજ પટેલ નામનો અધિકારી ત્યાં કામ કરતો નથી. આ નામનો અધિકારી કોઈ છે જ નહી. ફોન કોલની વાસ્તવિક્તા અંગે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસે આ મામલે તપાસ કરી. નકલી સીએમઓ અધિકારી બની કોણે ફોન કર્યો હતો તે જાણવા અંગે તજવીજ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન તે અમદાવાદથી ઝડપાયો હતો. 


અમદાવાદથી ઝડપાયો જામનગર એસપીને ફોન કરનાર વ્યક્તિ 

આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે જણાવ્યું કે એસપીના ફોન પર ફોન આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે ઘાટલોડિયા મુખ્યમંત્રી કાર્યાલય પરથી બોલી રહ્યો છે અને આમરીને છોડી મૂકવામાં આવે તેવી વાત કહી હતી. આ મામલે પોલીસને શક ગયો કારણ કે સરકારી અધિકારી આવી રીતે ફોન નથી કરતા. ત્યારે આ ફોન કોલ સાચે મુખ્યમંત્રી કાર્યાલયથી કરવામાં આવ્યો છે તે જાણવા માટે ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. જામનગર પોલીસે ખોટી ઓળખ આપવા બદલ ફોન કોલ કરનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.