AUDA આવી રીતે દૂર કરશે ટ્રાફિકની સમસ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:42:51

અમદાવાદને મળશે વધુ 10 ઓવરબ્રીજ 

અમદાવાદ શહેરનો વિકાસ ખૂબ ઝડપ થઈ રહ્યો છે. અમદાવાદના સોલા, શીલજ, ગોતા જેવા વિસ્તારો ઝડપથી વિકસી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને જોડતો માર્ગ એટલે SP રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વધુ 10 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.  


નિર્માણ દરમ્યાન લોકોને નહીં પડે કોઈ મુશ્કેલી 

આ ઓવરબ્રિજોનું નિર્માણ SP (સરદાર વલ્લભભાઈ પટેલ) રિગં રોડ પર થવાનું છે. જેથી AUDA દ્વારા આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે. જેમાં બ્રિજ નિર્માણ દરમ્યાન સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે  સૌપ્રથમ જે સર્વિસ રોડ છે તેને RCC રોડમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખાડાની સમસ્યા દૂર થશે. આપને જણાવી દઈએ કે AUDAના CEO આરબી દેસાઇના અનુસાર ઓવરબ્રીજ પાછળ કુલ 790 કરોડનો ખર્ચ થશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"