AUDA આવી રીતે દૂર કરશે ટ્રાફિકની સમસ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:42:51

અમદાવાદને મળશે વધુ 10 ઓવરબ્રીજ 

અમદાવાદ શહેરનો વિકાસ ખૂબ ઝડપ થઈ રહ્યો છે. અમદાવાદના સોલા, શીલજ, ગોતા જેવા વિસ્તારો ઝડપથી વિકસી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને જોડતો માર્ગ એટલે SP રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વધુ 10 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.  


નિર્માણ દરમ્યાન લોકોને નહીં પડે કોઈ મુશ્કેલી 

આ ઓવરબ્રિજોનું નિર્માણ SP (સરદાર વલ્લભભાઈ પટેલ) રિગં રોડ પર થવાનું છે. જેથી AUDA દ્વારા આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે. જેમાં બ્રિજ નિર્માણ દરમ્યાન સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે  સૌપ્રથમ જે સર્વિસ રોડ છે તેને RCC રોડમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખાડાની સમસ્યા દૂર થશે. આપને જણાવી દઈએ કે AUDAના CEO આરબી દેસાઇના અનુસાર ઓવરબ્રીજ પાછળ કુલ 790 કરોડનો ખર્ચ થશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.