AUDA આવી રીતે દૂર કરશે ટ્રાફિકની સમસ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:42:51

અમદાવાદને મળશે વધુ 10 ઓવરબ્રીજ 

અમદાવાદ શહેરનો વિકાસ ખૂબ ઝડપ થઈ રહ્યો છે. અમદાવાદના સોલા, શીલજ, ગોતા જેવા વિસ્તારો ઝડપથી વિકસી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને જોડતો માર્ગ એટલે SP રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વધુ 10 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.  


નિર્માણ દરમ્યાન લોકોને નહીં પડે કોઈ મુશ્કેલી 

આ ઓવરબ્રિજોનું નિર્માણ SP (સરદાર વલ્લભભાઈ પટેલ) રિગં રોડ પર થવાનું છે. જેથી AUDA દ્વારા આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે. જેમાં બ્રિજ નિર્માણ દરમ્યાન સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે  સૌપ્રથમ જે સર્વિસ રોડ છે તેને RCC રોડમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખાડાની સમસ્યા દૂર થશે. આપને જણાવી દઈએ કે AUDAના CEO આરબી દેસાઇના અનુસાર ઓવરબ્રીજ પાછળ કુલ 790 કરોડનો ખર્ચ થશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .