AUDA આવી રીતે દૂર કરશે ટ્રાફિકની સમસ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:42:51

અમદાવાદને મળશે વધુ 10 ઓવરબ્રીજ 

અમદાવાદ શહેરનો વિકાસ ખૂબ ઝડપ થઈ રહ્યો છે. અમદાવાદના સોલા, શીલજ, ગોતા જેવા વિસ્તારો ઝડપથી વિકસી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને જોડતો માર્ગ એટલે SP રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વધુ 10 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.  


નિર્માણ દરમ્યાન લોકોને નહીં પડે કોઈ મુશ્કેલી 

આ ઓવરબ્રિજોનું નિર્માણ SP (સરદાર વલ્લભભાઈ પટેલ) રિગં રોડ પર થવાનું છે. જેથી AUDA દ્વારા આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે. જેમાં બ્રિજ નિર્માણ દરમ્યાન સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે  સૌપ્રથમ જે સર્વિસ રોડ છે તેને RCC રોડમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખાડાની સમસ્યા દૂર થશે. આપને જણાવી દઈએ કે AUDAના CEO આરબી દેસાઇના અનુસાર ઓવરબ્રીજ પાછળ કુલ 790 કરોડનો ખર્ચ થશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.