Australia : સિડનીના મોલમાં હુમલાખોરે કર્યો ચપ્પાથી હુમલો, સર્જાઈ અફરા-તફરી, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-04-13 16:10:23

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં એક મોટી ઘટના બની છે જેમાં 5થી 6 લોકોની હત્યા થઈ છે. સીડનીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મોલમાં ફાયરિંગ કરવામાં આવ્યું ઉપરાંત ચપ્પાથી લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો. સીડની શહેરમાં સ્થિત વેસ્ટફીલ્ડ બોન્ડી જંક્શન મોલમાં હુમલો થયો છે અને ગોળીબારી થઈ છે જેને કારણે અફરા તફરી સર્જાઈ છે. પાંચથી 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિએ ચપ્પાથી લોકો પર હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેને પોલીસે ઠાર મારી દીધો છે.     

હુમલામાં થયા પાંચ લોકોના મોત 

ઓસ્ટ્રેલિયાના સિડનીથી જે ઘટના સામે આવી છે તે એકદમ હચમચાવી દે તેવી છે..  હુમલાની અનેક ઘટનાઓ આપણે સાંભળી હશે.. કોઈ વખત હુમલામાં ગોળીબારી થતી હોય છે  તો કોઈ વખત બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવે છે. પરંતુ આ વખતે હુમલાખોરે ચપ્પાથી હુમલો કર્યો છે અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાંચ લોકોના તો મોત થયા પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલામાં એક મહિલા અને બાળકીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે.. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો 


પોલીસે હુમલાખોરને મારી ગોળી અને થઈ ગયું મોત 

મળતી માહિતી અનુસાર હુમલાખોરે અચાનક ચપ્પા વળે હુમલો કરવાનો શરૂ કરી દીધો જેને કારણે અફરા તફરી મચી ગઈ, ભાગાદોડી મચી ગઈ... ત્યાંના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મોલની અંદરથી ફાયરિંગ થવાનો અવાજ આવ્યો, જે બાદ લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસ ત્યાં આવી પહોંચી અને હુમલાખોર પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.