Australia : સિડનીના મોલમાં હુમલાખોરે કર્યો ચપ્પાથી હુમલો, સર્જાઈ અફરા-તફરી, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-04-13 16:10:23

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં એક મોટી ઘટના બની છે જેમાં 5થી 6 લોકોની હત્યા થઈ છે. સીડનીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મોલમાં ફાયરિંગ કરવામાં આવ્યું ઉપરાંત ચપ્પાથી લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો. સીડની શહેરમાં સ્થિત વેસ્ટફીલ્ડ બોન્ડી જંક્શન મોલમાં હુમલો થયો છે અને ગોળીબારી થઈ છે જેને કારણે અફરા તફરી સર્જાઈ છે. પાંચથી 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિએ ચપ્પાથી લોકો પર હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેને પોલીસે ઠાર મારી દીધો છે.     

હુમલામાં થયા પાંચ લોકોના મોત 

ઓસ્ટ્રેલિયાના સિડનીથી જે ઘટના સામે આવી છે તે એકદમ હચમચાવી દે તેવી છે..  હુમલાની અનેક ઘટનાઓ આપણે સાંભળી હશે.. કોઈ વખત હુમલામાં ગોળીબારી થતી હોય છે  તો કોઈ વખત બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવે છે. પરંતુ આ વખતે હુમલાખોરે ચપ્પાથી હુમલો કર્યો છે અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાંચ લોકોના તો મોત થયા પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલામાં એક મહિલા અને બાળકીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે.. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો 


પોલીસે હુમલાખોરને મારી ગોળી અને થઈ ગયું મોત 

મળતી માહિતી અનુસાર હુમલાખોરે અચાનક ચપ્પા વળે હુમલો કરવાનો શરૂ કરી દીધો જેને કારણે અફરા તફરી મચી ગઈ, ભાગાદોડી મચી ગઈ... ત્યાંના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મોલની અંદરથી ફાયરિંગ થવાનો અવાજ આવ્યો, જે બાદ લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસ ત્યાં આવી પહોંચી અને હુમલાખોર પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે... 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?