Australia : સિડનીના મોલમાં હુમલાખોરે કર્યો ચપ્પાથી હુમલો, સર્જાઈ અફરા-તફરી, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-04-13 16:10:23

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં એક મોટી ઘટના બની છે જેમાં 5થી 6 લોકોની હત્યા થઈ છે. સીડનીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મોલમાં ફાયરિંગ કરવામાં આવ્યું ઉપરાંત ચપ્પાથી લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો. સીડની શહેરમાં સ્થિત વેસ્ટફીલ્ડ બોન્ડી જંક્શન મોલમાં હુમલો થયો છે અને ગોળીબારી થઈ છે જેને કારણે અફરા તફરી સર્જાઈ છે. પાંચથી 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિએ ચપ્પાથી લોકો પર હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેને પોલીસે ઠાર મારી દીધો છે.     

હુમલામાં થયા પાંચ લોકોના મોત 

ઓસ્ટ્રેલિયાના સિડનીથી જે ઘટના સામે આવી છે તે એકદમ હચમચાવી દે તેવી છે..  હુમલાની અનેક ઘટનાઓ આપણે સાંભળી હશે.. કોઈ વખત હુમલામાં ગોળીબારી થતી હોય છે  તો કોઈ વખત બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવે છે. પરંતુ આ વખતે હુમલાખોરે ચપ્પાથી હુમલો કર્યો છે અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાંચ લોકોના તો મોત થયા પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલામાં એક મહિલા અને બાળકીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે.. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો 


પોલીસે હુમલાખોરને મારી ગોળી અને થઈ ગયું મોત 

મળતી માહિતી અનુસાર હુમલાખોરે અચાનક ચપ્પા વળે હુમલો કરવાનો શરૂ કરી દીધો જેને કારણે અફરા તફરી મચી ગઈ, ભાગાદોડી મચી ગઈ... ત્યાંના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મોલની અંદરથી ફાયરિંગ થવાનો અવાજ આવ્યો, જે બાદ લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસ ત્યાં આવી પહોંચી અને હુમલાખોર પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે... 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.