Australia : સિડનીના મોલમાં હુમલાખોરે કર્યો ચપ્પાથી હુમલો, સર્જાઈ અફરા-તફરી, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-04-13 16:10:23

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં એક મોટી ઘટના બની છે જેમાં 5થી 6 લોકોની હત્યા થઈ છે. સીડનીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મોલમાં ફાયરિંગ કરવામાં આવ્યું ઉપરાંત ચપ્પાથી લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો. સીડની શહેરમાં સ્થિત વેસ્ટફીલ્ડ બોન્ડી જંક્શન મોલમાં હુમલો થયો છે અને ગોળીબારી થઈ છે જેને કારણે અફરા તફરી સર્જાઈ છે. પાંચથી 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિએ ચપ્પાથી લોકો પર હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેને પોલીસે ઠાર મારી દીધો છે.     

હુમલામાં થયા પાંચ લોકોના મોત 

ઓસ્ટ્રેલિયાના સિડનીથી જે ઘટના સામે આવી છે તે એકદમ હચમચાવી દે તેવી છે..  હુમલાની અનેક ઘટનાઓ આપણે સાંભળી હશે.. કોઈ વખત હુમલામાં ગોળીબારી થતી હોય છે  તો કોઈ વખત બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવે છે. પરંતુ આ વખતે હુમલાખોરે ચપ્પાથી હુમલો કર્યો છે અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાંચ લોકોના તો મોત થયા પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલામાં એક મહિલા અને બાળકીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે.. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો 


પોલીસે હુમલાખોરને મારી ગોળી અને થઈ ગયું મોત 

મળતી માહિતી અનુસાર હુમલાખોરે અચાનક ચપ્પા વળે હુમલો કરવાનો શરૂ કરી દીધો જેને કારણે અફરા તફરી મચી ગઈ, ભાગાદોડી મચી ગઈ... ત્યાંના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મોલની અંદરથી ફાયરિંગ થવાનો અવાજ આવ્યો, જે બાદ લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસ ત્યાં આવી પહોંચી અને હુમલાખોર પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે... 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.