ઓસ્ટ્રેલિયાના PM એલ્બાનિઝ ગાંધી આશ્રમની મુલાકાતે, કાલે પ્રધાનમંત્રી મોદી સાથે ટેસ્ટ મેચ નિહાળશે


  • Published By :
  • Published Date : 2023-03-08 20:35:55

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદના મહેમાન બન્યા છે. તેઓ આવતી કાલે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં PM મોદી સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.આ ટેસ્ટ મેચ કાલે 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને મેયર કિરીટ પરમારે અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.


ગાંધી આશ્રમની મુલાકાત લીધી


ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ એરપોર્ટ પરથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. વિઝિટર બૂકમાં લખ્યું કે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.


ઓસ્ટ્રેલિયાના PMને આ ભેટ અપાઈ 


ઓસ્ટ્રેલિયાના PMને 1982માં ઓસ્ટ્રેલિયાના સંસોધક થોમસ વેબર દ્વારા લખાયેલું  સોલ્ટ માર્ચ તથા ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.


રાજભવન ખાતે ધૂળેટીની મજા માણી


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી રંગાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.