ઓસ્ટ્રેલિયાના PM એલ્બાનિઝ ગાંધી આશ્રમની મુલાકાતે, કાલે પ્રધાનમંત્રી મોદી સાથે ટેસ્ટ મેચ નિહાળશે


  • Published By :
  • Published Date : 2023-03-08 20:35:55

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદના મહેમાન બન્યા છે. તેઓ આવતી કાલે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં PM મોદી સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.આ ટેસ્ટ મેચ કાલે 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને મેયર કિરીટ પરમારે અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.


ગાંધી આશ્રમની મુલાકાત લીધી


ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ એરપોર્ટ પરથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. વિઝિટર બૂકમાં લખ્યું કે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.


ઓસ્ટ્રેલિયાના PMને આ ભેટ અપાઈ 


ઓસ્ટ્રેલિયાના PMને 1982માં ઓસ્ટ્રેલિયાના સંસોધક થોમસ વેબર દ્વારા લખાયેલું  સોલ્ટ માર્ચ તથા ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.


રાજભવન ખાતે ધૂળેટીની મજા માણી


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી રંગાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.