ઓટોમોબાઇલ સેક્ટર્સના 'અચ્છે દિન', જાન્યુઆરી મહિનામાં વાહનોનું વેચાણ 14 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-02-07 13:58:30

સમગ્ર વિશ્વમાં લોકો ભયાનક મોંઘવારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર જોવા મળી રહ્યું છે. વાહન વેચાણના આકડાએ તે બાબત સાબિત કરી છે કે દેશમાં લોકોની ખરીદ શક્તિ હજુ પણ યથાવત છે. દિલ્હી સ્થિત ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)માં યર ટુ યર બેસીસ પર 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. FADA પ્રમાણે જાન્યુઆરી, 2023 દરમિયાન દરેક કેટેગરીમાં કુલ વેચાણ 18,26,669 યુનિટ્સ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16,08,505 યુનિટ્સ રહ્યું હતું.


વાહનોનું વેચાણ કેટલું વધ્યું?


દેશમાં ચાલુ વર્ષની શરૂઆત ઓટો સેક્ટર માટે ઉત્સાહવર્ધક રહી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં પેસેન્જર વાહનો, ટ્રેક્ટર્સ તે ઉપરંત ટૂ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોનું વેચાણ અનુક્રમે 10%, 59%, 8% અને 16%ની વૃધ્ધી જોવા મળી છે. પેસેન્જર વાહનોનું વેચાણ પણ 22 ટકા વધીને 3,40,220 યુનિટ્સ (2,79,050 યુનિટ્સ) નોંધાયું છે. તદુપરાંત, ટૂ-વ્હીલરનું રિટેલ વેચાણ પણ 10 ટકા વધીને અગાઉના 11,49,351 યુનિટ્સથી વધીને 12,65,069 યુનિટ્સ નોંધાયું છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 59 ટકા વધીને અગાઉના 41,487 યુનિટ્સથી વધીને 65,796 યુનિટ્સ નોંધાયું છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 70,853 યુનિટ્સથી 16 ટકા વધીને 82,428 યુનિટ્સ નોંધાયું છે. ટ્રેકટર્સનું વેચાણ પણ 8 ટકા વધીને 73,156 યુનિટ્સ રહ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 67,764 યુનિટ્સ હતું. 


2020ની તુલનામાં વેચાણ 8 ટકા ઓછું


જો કે રસપ્રદ બાબત એ છે કે જાન્યુઆરી 2023માં રિટેલ વેચાણ જાન્યુઆરી 2020ની તુલનામાં હજુ પણ 8 ટકા ઓછું છે. FADAના જણાવ્યા પ્રમાણે ટુ વ્હિલરના વેચાણાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી સારો 22 ટકાનો વધારો જોવા મલ્યો છે.  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.