ઓટોમોબાઇલ સેક્ટર્સના 'અચ્છે દિન', જાન્યુઆરી મહિનામાં વાહનોનું વેચાણ 14 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-02-07 13:58:30

સમગ્ર વિશ્વમાં લોકો ભયાનક મોંઘવારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર જોવા મળી રહ્યું છે. વાહન વેચાણના આકડાએ તે બાબત સાબિત કરી છે કે દેશમાં લોકોની ખરીદ શક્તિ હજુ પણ યથાવત છે. દિલ્હી સ્થિત ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)માં યર ટુ યર બેસીસ પર 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. FADA પ્રમાણે જાન્યુઆરી, 2023 દરમિયાન દરેક કેટેગરીમાં કુલ વેચાણ 18,26,669 યુનિટ્સ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16,08,505 યુનિટ્સ રહ્યું હતું.


વાહનોનું વેચાણ કેટલું વધ્યું?


દેશમાં ચાલુ વર્ષની શરૂઆત ઓટો સેક્ટર માટે ઉત્સાહવર્ધક રહી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં પેસેન્જર વાહનો, ટ્રેક્ટર્સ તે ઉપરંત ટૂ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોનું વેચાણ અનુક્રમે 10%, 59%, 8% અને 16%ની વૃધ્ધી જોવા મળી છે. પેસેન્જર વાહનોનું વેચાણ પણ 22 ટકા વધીને 3,40,220 યુનિટ્સ (2,79,050 યુનિટ્સ) નોંધાયું છે. તદુપરાંત, ટૂ-વ્હીલરનું રિટેલ વેચાણ પણ 10 ટકા વધીને અગાઉના 11,49,351 યુનિટ્સથી વધીને 12,65,069 યુનિટ્સ નોંધાયું છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 59 ટકા વધીને અગાઉના 41,487 યુનિટ્સથી વધીને 65,796 યુનિટ્સ નોંધાયું છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 70,853 યુનિટ્સથી 16 ટકા વધીને 82,428 યુનિટ્સ નોંધાયું છે. ટ્રેકટર્સનું વેચાણ પણ 8 ટકા વધીને 73,156 યુનિટ્સ રહ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 67,764 યુનિટ્સ હતું. 


2020ની તુલનામાં વેચાણ 8 ટકા ઓછું


જો કે રસપ્રદ બાબત એ છે કે જાન્યુઆરી 2023માં રિટેલ વેચાણ જાન્યુઆરી 2020ની તુલનામાં હજુ પણ 8 ટકા ઓછું છે. FADAના જણાવ્યા પ્રમાણે ટુ વ્હિલરના વેચાણાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી સારો 22 ટકાનો વધારો જોવા મલ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.