ઓટોમોબાઇલ સેક્ટર્સના 'અચ્છે દિન', જાન્યુઆરી મહિનામાં વાહનોનું વેચાણ 14 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-02-07 13:58:30

સમગ્ર વિશ્વમાં લોકો ભયાનક મોંઘવારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર જોવા મળી રહ્યું છે. વાહન વેચાણના આકડાએ તે બાબત સાબિત કરી છે કે દેશમાં લોકોની ખરીદ શક્તિ હજુ પણ યથાવત છે. દિલ્હી સ્થિત ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)માં યર ટુ યર બેસીસ પર 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. FADA પ્રમાણે જાન્યુઆરી, 2023 દરમિયાન દરેક કેટેગરીમાં કુલ વેચાણ 18,26,669 યુનિટ્સ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16,08,505 યુનિટ્સ રહ્યું હતું.


વાહનોનું વેચાણ કેટલું વધ્યું?


દેશમાં ચાલુ વર્ષની શરૂઆત ઓટો સેક્ટર માટે ઉત્સાહવર્ધક રહી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં પેસેન્જર વાહનો, ટ્રેક્ટર્સ તે ઉપરંત ટૂ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોનું વેચાણ અનુક્રમે 10%, 59%, 8% અને 16%ની વૃધ્ધી જોવા મળી છે. પેસેન્જર વાહનોનું વેચાણ પણ 22 ટકા વધીને 3,40,220 યુનિટ્સ (2,79,050 યુનિટ્સ) નોંધાયું છે. તદુપરાંત, ટૂ-વ્હીલરનું રિટેલ વેચાણ પણ 10 ટકા વધીને અગાઉના 11,49,351 યુનિટ્સથી વધીને 12,65,069 યુનિટ્સ નોંધાયું છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 59 ટકા વધીને અગાઉના 41,487 યુનિટ્સથી વધીને 65,796 યુનિટ્સ નોંધાયું છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 70,853 યુનિટ્સથી 16 ટકા વધીને 82,428 યુનિટ્સ નોંધાયું છે. ટ્રેકટર્સનું વેચાણ પણ 8 ટકા વધીને 73,156 યુનિટ્સ રહ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 67,764 યુનિટ્સ હતું. 


2020ની તુલનામાં વેચાણ 8 ટકા ઓછું


જો કે રસપ્રદ બાબત એ છે કે જાન્યુઆરી 2023માં રિટેલ વેચાણ જાન્યુઆરી 2020ની તુલનામાં હજુ પણ 8 ટકા ઓછું છે. FADAના જણાવ્યા પ્રમાણે ટુ વ્હિલરના વેચાણાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી સારો 22 ટકાનો વધારો જોવા મલ્યો છે.  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.