ઓટોમોબાઇલ સેક્ટર્સના 'અચ્છે દિન', જાન્યુઆરી મહિનામાં વાહનોનું વેચાણ 14 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-02-07 13:58:30

સમગ્ર વિશ્વમાં લોકો ભયાનક મોંઘવારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર જોવા મળી રહ્યું છે. વાહન વેચાણના આકડાએ તે બાબત સાબિત કરી છે કે દેશમાં લોકોની ખરીદ શક્તિ હજુ પણ યથાવત છે. દિલ્હી સ્થિત ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)માં યર ટુ યર બેસીસ પર 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. FADA પ્રમાણે જાન્યુઆરી, 2023 દરમિયાન દરેક કેટેગરીમાં કુલ વેચાણ 18,26,669 યુનિટ્સ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16,08,505 યુનિટ્સ રહ્યું હતું.


વાહનોનું વેચાણ કેટલું વધ્યું?


દેશમાં ચાલુ વર્ષની શરૂઆત ઓટો સેક્ટર માટે ઉત્સાહવર્ધક રહી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં પેસેન્જર વાહનો, ટ્રેક્ટર્સ તે ઉપરંત ટૂ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોનું વેચાણ અનુક્રમે 10%, 59%, 8% અને 16%ની વૃધ્ધી જોવા મળી છે. પેસેન્જર વાહનોનું વેચાણ પણ 22 ટકા વધીને 3,40,220 યુનિટ્સ (2,79,050 યુનિટ્સ) નોંધાયું છે. તદુપરાંત, ટૂ-વ્હીલરનું રિટેલ વેચાણ પણ 10 ટકા વધીને અગાઉના 11,49,351 યુનિટ્સથી વધીને 12,65,069 યુનિટ્સ નોંધાયું છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 59 ટકા વધીને અગાઉના 41,487 યુનિટ્સથી વધીને 65,796 યુનિટ્સ નોંધાયું છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 70,853 યુનિટ્સથી 16 ટકા વધીને 82,428 યુનિટ્સ નોંધાયું છે. ટ્રેકટર્સનું વેચાણ પણ 8 ટકા વધીને 73,156 યુનિટ્સ રહ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 67,764 યુનિટ્સ હતું. 


2020ની તુલનામાં વેચાણ 8 ટકા ઓછું


જો કે રસપ્રદ બાબત એ છે કે જાન્યુઆરી 2023માં રિટેલ વેચાણ જાન્યુઆરી 2020ની તુલનામાં હજુ પણ 8 ટકા ઓછું છે. FADAના જણાવ્યા પ્રમાણે ટુ વ્હિલરના વેચાણાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી સારો 22 ટકાનો વધારો જોવા મલ્યો છે.  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.