Ayodhya - એક એવી બેઠક જ્યાં ભાજપને મળેલી હારની ખૂબ ચર્ચાઓ થઈ..., જ્યાં સૌથી વધારે વિકાસ થયો ત્યાં BJPની હાર શું બતાવે છે?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:18:10

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા.. જીતની ચર્ચાઓ કરતા એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીને મળેલી હારની ચર્ચાઓ વધારે થઈ રહી છે.. એક એવી લોકસભા બેઠક જેના આધારે ભાજપ દ્વારા દેશભરમાં પ્રચાર કરવામાં આવ્યો.. એક એવી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો... અમે વાત કરી રહ્યા છીએ અયોધ્યા બેઠક પર ભાજપના ઉમેદવારને મળેલી હારની.. ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂત્ર આપવામાં આવ્યું કે જો રામ કો લાયે હેં, હમ ઉનકો લાયેંગે...

આ વખતે પણ સાંસદને આપી ટિકીટ

અયોધ્યા બેઠક જે લોકોસભા બેઠક અંતર્ગત આવે છે તે ફેઝાબાદ લોકસભા બેઠક છે.. આ બેઠકની આસપાસની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.. આ એવા હિસ્સાઓ છે જ્યાં મોટા ભાગે હિન્દુઓ રહે છે... ફેઝાબાદ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ લલૂસિંહને ટિકીટ આપી.. 2014માં ત્યાંની જનતાએ ભાજપના ઉમેદવારને જીતાડી તેમને સાંસદ બનાવ્યા..  2019માં પણ ભાજપે તેમને જ ઉમેદવાર બનાવ્યા. બીજી વખત પણ મતદાતાઓએ તેમના પર વિશ્વાસ રાખી તેમને સાંસદ બનાવ્યા.. બે વખત તેમની જીત થઈ એટલે આ વખતે તેમની હેટ્રિક થશે કદાચ તેમ માનીને આ વખતે પણ ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા.. પરંતુ આ વખતે ત્યાંના મતદાતાએ તેમને સાંસદ તરીકે પસંદ ના કર્યા.. 



આટલા વર્ષો બાદ મતદાતાઓને સવાલ થાય કે... 

આ સમયગાળામાં અયોધ્યામાં ઘણો વિકાસ થયો, અયોધ્યાની કાયાપલટ થઈ ગઈ.. ભવ્ય રામ મંદિર બન્યું, એરપોર્ટ બન્યું.. આ બધું તો થયું પરંતુ આટલા લાંબા સમયગાળા દરમિયાન ત્યાંના મતદાતાઓને એક વખત તો વિચાર આવે કે અમારા સાંસદે અમારા માટે શું કર્યું? કારણ કે એરપોર્ટ તેમજ મંદિરના કોન્ટ્રાક્ટ વગેરેનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું.. તે સિવાયના થયેલા કામો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા.. અનેક મોટા મોટા કાર્યો થયા પરંતુ આમાં સ્થાનિક મુદ્દાઓ ભૂલાઈ ગયા.. 



દેશમાં જ્યારે કોઈ પણ પક્ષની સરકાર બને છે ત્યારે..  

એવા મુદ્દાઓ જે માટે સાંસદે કામ કરવાના હોય.. એવી નાની સમસ્યાઓ, મુદ્દાઓ જેને લઈ પીએમ અથવા તો સીએમ પાસે સહાય માટે ના જવાય.. એવા મુદ્દાઓ જેના માટે પીએમ અથવા સીએમને જવાબદાર ના માની શકાય તેવા મુદ્દાઓ વિશે ક્યારે બોલશો.. મહત્વનું છે કે અનેક લોકો એવું માનતા હોય છે કે મુસ્લિમોએ તેમને વોટ નથી આપ્યા તો તે વાત કદાચ ખોટી છે.. મતદાતા જ્યારે વોટ કરે છે, સરકાર બને છે ત્યારે તે સરકાર કોઈ સમાજ માટેની નથી હોતી.. તે સરકાર દેશના લોકોની હોય છે.. તે આખા દેશના પ્રધાનમંત્રી બને છે, નિર્ણયો બધાને ધ્યાનમાં રાખી લેવામાં આવતા હોય છે..



કદાચ ઉમેદવાર ભૂલી ગયા હશે કે... 

અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર પાછળ શું બીજા ઉમેદવાર જવાબદાર છે? તો જવાબ હશે ના.. એવું કહીએ કે ભાજપના ઉમેદવાર જ આ હારના જવાબદાર છે તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અનેક વખત ના પાડવા છતાંય પોતાના મતવિસ્તારમાં નિવેદન આપતા રહ્યા કે 400 પાર આવીશુંને સંવિધાન બદલી દઈશું! બંધારણને બદલવાની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે તેની અસર મતદાતાઓ પર પડતી હોય છે અને તેમાં પણ જ્યારે રિઝર્વેશનની આજુબાજુ ટિપ્પણી કરતા રહ્યા.. 



સપાના ઉમેદવારને લોકોએ આપ્યો મત

ઉમેદવાર ભૂલી ગયા હતા કે જ્યાં તે આવું નિવેદન આપે છે ત્યાં દલિત સમાજના અનેક લોકો વસે છે.. એટલે જ કદાચ ત્યાંના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પસંદ ના કર્યા અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને પસંદ કર્યા... આ ઉમેદવારો માટે પણ અનેક સૂત્રો લગાવવામાં આવ્યા.. અયોધ્યાનું પરિણામ સૂચવે છે કે સપાના ઉમેદવાર માટે લગાવવામાં આવેલા નારા મતદાતાઓએ સાચા સાબિત કર્યા.. 



જો ઉમેદવારને ના ખબર પડતી હોય કે કયા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ તો.... 

આ બેઠક પર મળેલી હાર બાદ ભાજપે વિચારવું પડશે કે કોને ટિકીટ આપવી જોઈએ.. એવા ઉમેદવારને ટિકીટ ના આપવી જોઈએ જેમને ખબર પણ ના હોય કે પોતાના મતવિસ્તારમાં કેવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ.. ઉમેદવાર સામે મતદાતાનો વિરોધ છેલ્લે ભોગવવો તો ભારતીય જનતા પાર્ટીએ જ પડે છે... જો સાંસદ પાંચ વર્ષનો હિસાબ ના આપી શકતા હોય તો પ્રશ્ન ઉભા થવાના છે...ત્યારે હિસાબથી કયા કારણોસર અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર થઈ તે અમને કમેન્ટમાં જણાવજો.. 



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.