Ayodhya - એક એવી બેઠક જ્યાં ભાજપને મળેલી હારની ખૂબ ચર્ચાઓ થઈ..., જ્યાં સૌથી વધારે વિકાસ થયો ત્યાં BJPની હાર શું બતાવે છે?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:18:10

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા.. જીતની ચર્ચાઓ કરતા એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીને મળેલી હારની ચર્ચાઓ વધારે થઈ રહી છે.. એક એવી લોકસભા બેઠક જેના આધારે ભાજપ દ્વારા દેશભરમાં પ્રચાર કરવામાં આવ્યો.. એક એવી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો... અમે વાત કરી રહ્યા છીએ અયોધ્યા બેઠક પર ભાજપના ઉમેદવારને મળેલી હારની.. ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂત્ર આપવામાં આવ્યું કે જો રામ કો લાયે હેં, હમ ઉનકો લાયેંગે...

આ વખતે પણ સાંસદને આપી ટિકીટ

અયોધ્યા બેઠક જે લોકોસભા બેઠક અંતર્ગત આવે છે તે ફેઝાબાદ લોકસભા બેઠક છે.. આ બેઠકની આસપાસની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.. આ એવા હિસ્સાઓ છે જ્યાં મોટા ભાગે હિન્દુઓ રહે છે... ફેઝાબાદ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ લલૂસિંહને ટિકીટ આપી.. 2014માં ત્યાંની જનતાએ ભાજપના ઉમેદવારને જીતાડી તેમને સાંસદ બનાવ્યા..  2019માં પણ ભાજપે તેમને જ ઉમેદવાર બનાવ્યા. બીજી વખત પણ મતદાતાઓએ તેમના પર વિશ્વાસ રાખી તેમને સાંસદ બનાવ્યા.. બે વખત તેમની જીત થઈ એટલે આ વખતે તેમની હેટ્રિક થશે કદાચ તેમ માનીને આ વખતે પણ ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા.. પરંતુ આ વખતે ત્યાંના મતદાતાએ તેમને સાંસદ તરીકે પસંદ ના કર્યા.. 



આટલા વર્ષો બાદ મતદાતાઓને સવાલ થાય કે... 

આ સમયગાળામાં અયોધ્યામાં ઘણો વિકાસ થયો, અયોધ્યાની કાયાપલટ થઈ ગઈ.. ભવ્ય રામ મંદિર બન્યું, એરપોર્ટ બન્યું.. આ બધું તો થયું પરંતુ આટલા લાંબા સમયગાળા દરમિયાન ત્યાંના મતદાતાઓને એક વખત તો વિચાર આવે કે અમારા સાંસદે અમારા માટે શું કર્યું? કારણ કે એરપોર્ટ તેમજ મંદિરના કોન્ટ્રાક્ટ વગેરેનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું.. તે સિવાયના થયેલા કામો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા.. અનેક મોટા મોટા કાર્યો થયા પરંતુ આમાં સ્થાનિક મુદ્દાઓ ભૂલાઈ ગયા.. 



દેશમાં જ્યારે કોઈ પણ પક્ષની સરકાર બને છે ત્યારે..  

એવા મુદ્દાઓ જે માટે સાંસદે કામ કરવાના હોય.. એવી નાની સમસ્યાઓ, મુદ્દાઓ જેને લઈ પીએમ અથવા તો સીએમ પાસે સહાય માટે ના જવાય.. એવા મુદ્દાઓ જેના માટે પીએમ અથવા સીએમને જવાબદાર ના માની શકાય તેવા મુદ્દાઓ વિશે ક્યારે બોલશો.. મહત્વનું છે કે અનેક લોકો એવું માનતા હોય છે કે મુસ્લિમોએ તેમને વોટ નથી આપ્યા તો તે વાત કદાચ ખોટી છે.. મતદાતા જ્યારે વોટ કરે છે, સરકાર બને છે ત્યારે તે સરકાર કોઈ સમાજ માટેની નથી હોતી.. તે સરકાર દેશના લોકોની હોય છે.. તે આખા દેશના પ્રધાનમંત્રી બને છે, નિર્ણયો બધાને ધ્યાનમાં રાખી લેવામાં આવતા હોય છે..



કદાચ ઉમેદવાર ભૂલી ગયા હશે કે... 

અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર પાછળ શું બીજા ઉમેદવાર જવાબદાર છે? તો જવાબ હશે ના.. એવું કહીએ કે ભાજપના ઉમેદવાર જ આ હારના જવાબદાર છે તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અનેક વખત ના પાડવા છતાંય પોતાના મતવિસ્તારમાં નિવેદન આપતા રહ્યા કે 400 પાર આવીશુંને સંવિધાન બદલી દઈશું! બંધારણને બદલવાની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે તેની અસર મતદાતાઓ પર પડતી હોય છે અને તેમાં પણ જ્યારે રિઝર્વેશનની આજુબાજુ ટિપ્પણી કરતા રહ્યા.. 



સપાના ઉમેદવારને લોકોએ આપ્યો મત

ઉમેદવાર ભૂલી ગયા હતા કે જ્યાં તે આવું નિવેદન આપે છે ત્યાં દલિત સમાજના અનેક લોકો વસે છે.. એટલે જ કદાચ ત્યાંના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પસંદ ના કર્યા અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને પસંદ કર્યા... આ ઉમેદવારો માટે પણ અનેક સૂત્રો લગાવવામાં આવ્યા.. અયોધ્યાનું પરિણામ સૂચવે છે કે સપાના ઉમેદવાર માટે લગાવવામાં આવેલા નારા મતદાતાઓએ સાચા સાબિત કર્યા.. 



જો ઉમેદવારને ના ખબર પડતી હોય કે કયા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ તો.... 

આ બેઠક પર મળેલી હાર બાદ ભાજપે વિચારવું પડશે કે કોને ટિકીટ આપવી જોઈએ.. એવા ઉમેદવારને ટિકીટ ના આપવી જોઈએ જેમને ખબર પણ ના હોય કે પોતાના મતવિસ્તારમાં કેવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ.. ઉમેદવાર સામે મતદાતાનો વિરોધ છેલ્લે ભોગવવો તો ભારતીય જનતા પાર્ટીએ જ પડે છે... જો સાંસદ પાંચ વર્ષનો હિસાબ ના આપી શકતા હોય તો પ્રશ્ન ઉભા થવાના છે...ત્યારે હિસાબથી કયા કારણોસર અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર થઈ તે અમને કમેન્ટમાં જણાવજો.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.