Ayodhya : રામ ભગવાનના દર્શન કરવા ગયેલા બનાસકાંઠાના યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 13:18:15

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ કોમન બની ગયો હતો. ત્યારે હવે હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાજા લાગતા વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે અને જોત જોતામાં માણસ હતો ન હતો થઈ જાય છે. એક સમય હતો જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ મોટી ઉંમરના લોકોને આવતો હતો તેવું માનવામાં આવતું હતું પરંતુ હવે તો ઉંમર અને હાર્ટ એટેકને કોઈ લેવા-દેવા નથી. ત્યારે અયોધ્યમાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે.


બનાસકાંઠાના યુવાનનું મોત થયું અયોધ્યામાં!

અનેક યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકનો ખતરો પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે એક હાર્ટ એટેકનો કિસ્સો અયોધ્યાથી સામે આવ્યો છે. અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર દર્શન કર્યા બાદ તે ત્યાં જ ઢળી પડ્યા. તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

મહત્વનું છે કે આની પહેલા અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું મોત ટ્રેનમાં થઈ ગયું હતું. વડોદરામાં રહેતા વ્યક્તિ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા હતા. અયોધ્યા પહોંચે તે પહેલા જ ટ્રેનમાં તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું. મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.     



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.