Ayodhya : રામ ભગવાનના દર્શન કરવા ગયેલા બનાસકાંઠાના યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-12 13:18:15

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ કોમન બની ગયો હતો. ત્યારે હવે હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાજા લાગતા વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે અને જોત જોતામાં માણસ હતો ન હતો થઈ જાય છે. એક સમય હતો જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ મોટી ઉંમરના લોકોને આવતો હતો તેવું માનવામાં આવતું હતું પરંતુ હવે તો ઉંમર અને હાર્ટ એટેકને કોઈ લેવા-દેવા નથી. ત્યારે અયોધ્યમાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે.


બનાસકાંઠાના યુવાનનું મોત થયું અયોધ્યામાં!

અનેક યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકનો ખતરો પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે એક હાર્ટ એટેકનો કિસ્સો અયોધ્યાથી સામે આવ્યો છે. અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર દર્શન કર્યા બાદ તે ત્યાં જ ઢળી પડ્યા. તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

મહત્વનું છે કે આની પહેલા અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું મોત ટ્રેનમાં થઈ ગયું હતું. વડોદરામાં રહેતા વ્યક્તિ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા હતા. અયોધ્યા પહોંચે તે પહેલા જ ટ્રેનમાં તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું. મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .