અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે લાખો દિવડાઓથી, યોગીજી કરી રહ્યા છે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:44:45

દિવાળીના તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા પ્રમાણે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પાછા ફર્યા હતા. તેમનું આગમન થતા અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે અયોધ્યા ખાતે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં ફરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહ્યો છે. દિવાળી સમયે 18 લાખ દિવળા પ્રજ્વલિત કરવામાં આવશે. 


18 લાખ દિવાઓથી ઝળહળશે રામનગરી અયોધ્યા 

મળતી માહિતી મુજબ રામનગરી અયોધ્યામાં 15 લાખ દિવળા પ્રગટાવવામાં આવશે જ્યારે અન્ય દિવળાઓ રામનગરીના મુખ્ય સ્થળો પર પ્રગટાવવામાં આવશે. 23 ઓક્ટોબરના રોજ દિપોત્સવ યોજાવાનો છે. પર્યટનના પ્રમુખ સચિવ મુકેશ મશ્રામે માહિતી આપતા કહ્યું કે દીપોત્સવની સાથે નવા ઘાટ પર મંત્રોચ્ચાર સાથે ભવ્ય સરયૂ આરતી, રામચરિતમાનસ પર આધારિત ડિજિટલ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.  


યોગી સરકારે શરૂ કરી તૈયારી 

દિવાળીની તૈયારીઓને લઈ યોગી સરકાર અત્યારથી એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળીનો તહેવાર નજીક આવતા યોગી સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગયા વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 9 લાખ દિવડાઓથી રામની નગરી પ્રકાશિત થઈ ઉઠી હતી. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.     




પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.