અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે લાખો દિવડાઓથી, યોગીજી કરી રહ્યા છે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:44:45

દિવાળીના તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા પ્રમાણે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પાછા ફર્યા હતા. તેમનું આગમન થતા અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે અયોધ્યા ખાતે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં ફરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહ્યો છે. દિવાળી સમયે 18 લાખ દિવળા પ્રજ્વલિત કરવામાં આવશે. 


18 લાખ દિવાઓથી ઝળહળશે રામનગરી અયોધ્યા 

મળતી માહિતી મુજબ રામનગરી અયોધ્યામાં 15 લાખ દિવળા પ્રગટાવવામાં આવશે જ્યારે અન્ય દિવળાઓ રામનગરીના મુખ્ય સ્થળો પર પ્રગટાવવામાં આવશે. 23 ઓક્ટોબરના રોજ દિપોત્સવ યોજાવાનો છે. પર્યટનના પ્રમુખ સચિવ મુકેશ મશ્રામે માહિતી આપતા કહ્યું કે દીપોત્સવની સાથે નવા ઘાટ પર મંત્રોચ્ચાર સાથે ભવ્ય સરયૂ આરતી, રામચરિતમાનસ પર આધારિત ડિજિટલ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.  


યોગી સરકારે શરૂ કરી તૈયારી 

દિવાળીની તૈયારીઓને લઈ યોગી સરકાર અત્યારથી એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળીનો તહેવાર નજીક આવતા યોગી સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગયા વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 9 લાખ દિવડાઓથી રામની નગરી પ્રકાશિત થઈ ઉઠી હતી. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.     




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .