અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે લાખો દિવડાઓથી, યોગીજી કરી રહ્યા છે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:44:45

દિવાળીના તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા પ્રમાણે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પાછા ફર્યા હતા. તેમનું આગમન થતા અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે અયોધ્યા ખાતે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં ફરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહ્યો છે. દિવાળી સમયે 18 લાખ દિવળા પ્રજ્વલિત કરવામાં આવશે. 


18 લાખ દિવાઓથી ઝળહળશે રામનગરી અયોધ્યા 

મળતી માહિતી મુજબ રામનગરી અયોધ્યામાં 15 લાખ દિવળા પ્રગટાવવામાં આવશે જ્યારે અન્ય દિવળાઓ રામનગરીના મુખ્ય સ્થળો પર પ્રગટાવવામાં આવશે. 23 ઓક્ટોબરના રોજ દિપોત્સવ યોજાવાનો છે. પર્યટનના પ્રમુખ સચિવ મુકેશ મશ્રામે માહિતી આપતા કહ્યું કે દીપોત્સવની સાથે નવા ઘાટ પર મંત્રોચ્ચાર સાથે ભવ્ય સરયૂ આરતી, રામચરિતમાનસ પર આધારિત ડિજિટલ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.  


યોગી સરકારે શરૂ કરી તૈયારી 

દિવાળીની તૈયારીઓને લઈ યોગી સરકાર અત્યારથી એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળીનો તહેવાર નજીક આવતા યોગી સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગયા વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 9 લાખ દિવડાઓથી રામની નગરી પ્રકાશિત થઈ ઉઠી હતી. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે