Ayodhya : રામ લલ્લાના દર્શન કરવા માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ભક્તોએ કર્યું કરોડોનું દાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 11:10:11

છેલ્લા થોડા સમયથી અયોધ્યા રામ મંદિરને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. અનેક દાયકો બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. એ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.  22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે પણ અનેક ભક્તોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા. અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે પ્રથમ દિવસે 3 કરોડથી વધારે દાન મંદિરમાં કરવામાં આવ્યું છે. બે દિવસમાં અંદાજીત 7થી 8 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.   


દર્શન કરવા માટે ભક્તોનું ઉમટ્યું માનવમહેરામણ

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો તમને કહેતા મળશે કે રામ રામ. 22 જાન્યુઆરી 2024 ભક્તો માટે મહત્વની છે કે તે દિવસે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક દસકો બાદ આ ક્ષણ આવી હતી જ્યારે મંદિરમાં ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. 22 જાન્યુઆરીએ આમંત્રિતો જ મંદિર પરિસરમાં ઉપસ્થિત હતા. ભક્તો માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની પડાપડી જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતા.


3 કરોડથી વધારેનું દાન ભક્તોએ કર્યું! 

જો દર્શનાર્થીઓની વાત કરીએ તો પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ  દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો અને બીજા દિવસે પણ ભક્તોનો માનવમહેરામણ અયોધ્યમાં જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને જોતા વધારે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા તેવી માહિતી સામે આવી હતી. ભક્તોએ મંદિરમાં દિલ ખોલીને દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું હતું. 7.5 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે