Ayodhya : રામ લલ્લાના દર્શન કરવા માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ભક્તોએ કર્યું કરોડોનું દાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 11:10:11

છેલ્લા થોડા સમયથી અયોધ્યા રામ મંદિરને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. અનેક દાયકો બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. એ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.  22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે પણ અનેક ભક્તોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા. અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે પ્રથમ દિવસે 3 કરોડથી વધારે દાન મંદિરમાં કરવામાં આવ્યું છે. બે દિવસમાં અંદાજીત 7થી 8 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.   


દર્શન કરવા માટે ભક્તોનું ઉમટ્યું માનવમહેરામણ

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો તમને કહેતા મળશે કે રામ રામ. 22 જાન્યુઆરી 2024 ભક્તો માટે મહત્વની છે કે તે દિવસે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક દસકો બાદ આ ક્ષણ આવી હતી જ્યારે મંદિરમાં ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. 22 જાન્યુઆરીએ આમંત્રિતો જ મંદિર પરિસરમાં ઉપસ્થિત હતા. ભક્તો માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની પડાપડી જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતા.


3 કરોડથી વધારેનું દાન ભક્તોએ કર્યું! 

જો દર્શનાર્થીઓની વાત કરીએ તો પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ  દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો અને બીજા દિવસે પણ ભક્તોનો માનવમહેરામણ અયોધ્યમાં જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને જોતા વધારે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા તેવી માહિતી સામે આવી હતી. ભક્તોએ મંદિરમાં દિલ ખોલીને દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું હતું. 7.5 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.