Ayodhya : રામલલ્લાના દર્શન કરવા ઉમટી ભક્તોની મેદની! હજી સુધી લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ, મળ્યું કરોડોનું દાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 12:37:04

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દેશ જાણે રામમય બન્યું હોય તેવું લાગતું હતું. બાળકો પણ રામનામ બોલતા હતા. ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન રામ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થવાને 11 દિવસ જેટલો સમય વિતી ગયો છે અને આ સમય દરમિયાન 25 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને દિલ ખોલીને દાન કર્યું છે. 


22 જાન્યુઆરીએ મંદિરમાં બિરાજમાન થયા હતા રામલલ્લા

છેલ્લા ઘણા સમયથી ભગવાન રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે તેની રાહ જોવામાં આવતી હતી. ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો માટે ભગવાન રામ ઈષ્ટ દેવ છે. અનેક દાયકાઓ બાદ એ ક્ષણ આવી હતી જ્યારે રામ ભગવાનની મૂર્તિની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ એવો માહોલ હતો જ્યારે કોઈ તહેવાર હોય. અનેક ભક્તોએ એ દિવસે દિવાળી મનાવી હતી. ધામધૂમથી ભક્તોએ ઉજવણી કરી હતી. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોને અગવડ ના પડે તે માટે અનેક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 25 લાખ ભક્તોએ રામજન્મભૂમિની મુલાકાત લીધી છે. 


ભક્તોએ કર્યું કરોડોનું દાન!

ના માત્ર ભક્તો દર્શન માટે આવી રહ્યા છે પરંતુ દાન પણ દિલ ખોલીને ભક્તો કરી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં લગભગ 8 કરોડ રૂપિયા દાન પેટીઓમાં જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઈન પ્રાપ્ત થયા છે. જે દાનની વાત કરવામાં આવી રહી છે તેમાં પ્રસાદ તેમજ દાનની ભેટનો પણ સમાવેશ થાય છે.   



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..