Ayodhya : રામલલ્લાના દર્શન કરવા ઉમટી ભક્તોની મેદની! હજી સુધી લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ, મળ્યું કરોડોનું દાન


  • Published By :
  • Published Date : 2024-02-02 12:37:04

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દેશ જાણે રામમય બન્યું હોય તેવું લાગતું હતું. બાળકો પણ રામનામ બોલતા હતા. ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન રામ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થવાને 11 દિવસ જેટલો સમય વિતી ગયો છે અને આ સમય દરમિયાન 25 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને દિલ ખોલીને દાન કર્યું છે. 


22 જાન્યુઆરીએ મંદિરમાં બિરાજમાન થયા હતા રામલલ્લા

છેલ્લા ઘણા સમયથી ભગવાન રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે તેની રાહ જોવામાં આવતી હતી. ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો માટે ભગવાન રામ ઈષ્ટ દેવ છે. અનેક દાયકાઓ બાદ એ ક્ષણ આવી હતી જ્યારે રામ ભગવાનની મૂર્તિની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ એવો માહોલ હતો જ્યારે કોઈ તહેવાર હોય. અનેક ભક્તોએ એ દિવસે દિવાળી મનાવી હતી. ધામધૂમથી ભક્તોએ ઉજવણી કરી હતી. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોને અગવડ ના પડે તે માટે અનેક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 25 લાખ ભક્તોએ રામજન્મભૂમિની મુલાકાત લીધી છે. 


ભક્તોએ કર્યું કરોડોનું દાન!

ના માત્ર ભક્તો દર્શન માટે આવી રહ્યા છે પરંતુ દાન પણ દિલ ખોલીને ભક્તો કરી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં લગભગ 8 કરોડ રૂપિયા દાન પેટીઓમાં જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઈન પ્રાપ્ત થયા છે. જે દાનની વાત કરવામાં આવી રહી છે તેમાં પ્રસાદ તેમજ દાનની ભેટનો પણ સમાવેશ થાય છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.