Ayodhya : રામલલ્લાના દર્શન કરવા ઉમટી ભક્તોની મેદની! હજી સુધી લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ, મળ્યું કરોડોનું દાન


  • Published By :
  • Published Date : 2024-02-02 12:37:04

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દેશ જાણે રામમય બન્યું હોય તેવું લાગતું હતું. બાળકો પણ રામનામ બોલતા હતા. ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન રામ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થવાને 11 દિવસ જેટલો સમય વિતી ગયો છે અને આ સમય દરમિયાન 25 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને દિલ ખોલીને દાન કર્યું છે. 


22 જાન્યુઆરીએ મંદિરમાં બિરાજમાન થયા હતા રામલલ્લા

છેલ્લા ઘણા સમયથી ભગવાન રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે તેની રાહ જોવામાં આવતી હતી. ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. અનેક ભક્તો માટે ભગવાન રામ ઈષ્ટ દેવ છે. અનેક દાયકાઓ બાદ એ ક્ષણ આવી હતી જ્યારે રામ ભગવાનની મૂર્તિની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ એવો માહોલ હતો જ્યારે કોઈ તહેવાર હોય. અનેક ભક્તોએ એ દિવસે દિવાળી મનાવી હતી. ધામધૂમથી ભક્તોએ ઉજવણી કરી હતી. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોને અગવડ ના પડે તે માટે અનેક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 25 લાખ ભક્તોએ રામજન્મભૂમિની મુલાકાત લીધી છે. 


ભક્તોએ કર્યું કરોડોનું દાન!

ના માત્ર ભક્તો દર્શન માટે આવી રહ્યા છે પરંતુ દાન પણ દિલ ખોલીને ભક્તો કરી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં લગભગ 8 કરોડ રૂપિયા દાન પેટીઓમાં જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઈન પ્રાપ્ત થયા છે. જે દાનની વાત કરવામાં આવી રહી છે તેમાં પ્રસાદ તેમજ દાનની ભેટનો પણ સમાવેશ થાય છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે