Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM Modi આપશે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ, Airport તેમજ Railway Stationનો સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 11:00:39

22 જાન્યુઆરીએ રામ લલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. રામ મંદિરને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારી દેવાઈ છે. ભકત્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યારે મંદિરમાં મૂર્તિને સ્થાપના કરવામાં આવી ત્યારે પીએમ મોદી સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર હશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા  પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે.પીએમ મોદી 16 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ અયોધ્યાને આપવાના છે.

   

22મી જાન્યુઆરીએ મૂર્તિની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા

છેલ્લા ઘણા વર્ષોથી રામ ભક્તો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ, તે ઘડી 22 જાન્યુઆરીએ આવી રહી છે. ભગવાન રામની મૂર્તિને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ ક્ષણ ભક્તો માટે અલોકિક હશે. એવા દ્રશ્યો પણ સામે આવી શકે છે જેમાં ભક્તની આંખોમાંથી આંસુ આવી જશે, ભક્તો ઈમોશનલ બની જશે, એવું લાગશે કે વર્ષો સુધી તેની રાહ જોઈ તે દ્રશ્ય આપણી સામે છે. 22 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા પીએમ મોદી અનેક કરોડોની ભેટ અયોધ્યાવાસીઓને આપવાના છે. 


મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરાશે ઉદ્ધાટન 

અયોધ્યાના પ્રવાસે આજે પીએમ મોદી ગયા છે. હજારો કરોડોના કામોનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થવાનું છે. રામનગરીમાં આજે પીએમ મોદી રોડ-શો કરવાના છે. તે બાદ અયોધ્યામાં નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. શહેરી શૈલીમાં બની રહેલા આ એરપોર્ટને વિપુલ વાર્શ્નેય અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ બનાવવા પાછળ લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ એરપોર્ટનું આર્કિટેક્ચર શ્રી રામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત છે.

 


6 વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલીઝંડી 

મુલાકાત દરમિયાન પીએમ મોદી લોકોનું અભિવાદન ઝિલ્શે. જ્યાં જ્યાંથી પીએમ મોદી પસાર થવાના છે ત્યાં તેમના આગમન વખતે પુષ્પવર્ષા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ન માત્ર પુષ્પ વર્ષા પરંતુ ઘણી જગ્યાઓએ કલાકારો નૃત્ય અને ગાયન પણ કરશે. રેલવે સ્ટેશન પર નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા સાથે, પીએમ છ વંદે ભારત અને બે અમૃત ભારત સહિત આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.