Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM Modi આપશે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ, Airport તેમજ Railway Stationનો સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 11:00:39

22 જાન્યુઆરીએ રામ લલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. રામ મંદિરને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારી દેવાઈ છે. ભકત્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યારે મંદિરમાં મૂર્તિને સ્થાપના કરવામાં આવી ત્યારે પીએમ મોદી સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર હશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા  પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે.પીએમ મોદી 16 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ અયોધ્યાને આપવાના છે.

   

22મી જાન્યુઆરીએ મૂર્તિની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા

છેલ્લા ઘણા વર્ષોથી રામ ભક્તો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ, તે ઘડી 22 જાન્યુઆરીએ આવી રહી છે. ભગવાન રામની મૂર્તિને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ ક્ષણ ભક્તો માટે અલોકિક હશે. એવા દ્રશ્યો પણ સામે આવી શકે છે જેમાં ભક્તની આંખોમાંથી આંસુ આવી જશે, ભક્તો ઈમોશનલ બની જશે, એવું લાગશે કે વર્ષો સુધી તેની રાહ જોઈ તે દ્રશ્ય આપણી સામે છે. 22 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા પીએમ મોદી અનેક કરોડોની ભેટ અયોધ્યાવાસીઓને આપવાના છે. 


મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરાશે ઉદ્ધાટન 

અયોધ્યાના પ્રવાસે આજે પીએમ મોદી ગયા છે. હજારો કરોડોના કામોનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થવાનું છે. રામનગરીમાં આજે પીએમ મોદી રોડ-શો કરવાના છે. તે બાદ અયોધ્યામાં નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. શહેરી શૈલીમાં બની રહેલા આ એરપોર્ટને વિપુલ વાર્શ્નેય અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ બનાવવા પાછળ લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ એરપોર્ટનું આર્કિટેક્ચર શ્રી રામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત છે.

 


6 વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલીઝંડી 

મુલાકાત દરમિયાન પીએમ મોદી લોકોનું અભિવાદન ઝિલ્શે. જ્યાં જ્યાંથી પીએમ મોદી પસાર થવાના છે ત્યાં તેમના આગમન વખતે પુષ્પવર્ષા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ન માત્ર પુષ્પ વર્ષા પરંતુ ઘણી જગ્યાઓએ કલાકારો નૃત્ય અને ગાયન પણ કરશે. રેલવે સ્ટેશન પર નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા સાથે, પીએમ છ વંદે ભારત અને બે અમૃત ભારત સહિત આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.