Ayodhya Ram mandir : Gujaratથી મોકલવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 14:06:51

22 જાન્યુઆરીની ઘડીઓ ગણાઈ રહી છે. ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રસ્થાપિત થશે. રામ ભક્તોએ અલગ અલગ વસ્તુઓનું દાન કર્યું છે. ભક્તોએ યથાશક્તિ દાન આપ્યું છે. અનેક ગુજરાતીઓએ રામમંદિર માટે વિવિધ વસ્તુઓ મોકલી છે. પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી ગુજરાતના વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી હતી જેને આજે પ્રગટાવવામાં આવી છે. તીર્થ ક્ષેત્રના અધ્યક્ષની હાજરમાં આ અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે. એવું અનુમાન છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી ચાલશે તેમજ તેની સુગંધ અનેક કિલોમીટર સુધી ફેલાશે.

108 ફૂટ લાંબી અગરબત્તીને કરાઈ પ્રજવલિત 

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલશે તેની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યા રામ મંદિર માટે ગુજરાત સહિત દેશભરથી ભક્તોએ વિવિધ વસ્તુઓ, ભેટો આપી છે. ગુજરાતીઓએ પણ અલગ અલગ વસ્તુનું દાન કર્યું છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આ અગરબત્તીને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. સુરક્ષા વચ્ચે અયોધ્યા ખાતે આ અગરબત્તી મોકલવામાં આવી હતી. 


અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવવામાં આવ્યુ છે. આ અજયબાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે.જે અજયબાણને ગબ્બર ઉપર લઇ જવાયું હતું અને તેની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.જેને 10 જાન્યુઆરીના રોજ અયોધ્યા મોકલવામાં આવશે.

અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે. જેને બનાવવાનો ખર્ચે લગભગ 5 લાખ થયો છે.

ગુજરાતીઓએ અનેક વસ્તુઓનું કર્યું છે દાન!

21 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલવાનું છે. આવતીકાલે રથયાત્રા નીકળશે જે બાદ 18મી તારીખે મંદિરમાં મૂર્તિને રાખવામાં આવશે વગેરે વગેરે... આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થતાં ગુજરાતના વડોદરાથી ગયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રજવલિત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતથી નગારું, દીવો, અગરબત્તી સહિતની વસ્તુ ભેટ સ્વરૂપે, દાન સ્વરૂપે આપવામાં આવી છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે