Ayodhya Ram mandir : Gujaratથી મોકલવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 14:06:51

22 જાન્યુઆરીની ઘડીઓ ગણાઈ રહી છે. ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રસ્થાપિત થશે. રામ ભક્તોએ અલગ અલગ વસ્તુઓનું દાન કર્યું છે. ભક્તોએ યથાશક્તિ દાન આપ્યું છે. અનેક ગુજરાતીઓએ રામમંદિર માટે વિવિધ વસ્તુઓ મોકલી છે. પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી ગુજરાતના વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી હતી જેને આજે પ્રગટાવવામાં આવી છે. તીર્થ ક્ષેત્રના અધ્યક્ષની હાજરમાં આ અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે. એવું અનુમાન છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી ચાલશે તેમજ તેની સુગંધ અનેક કિલોમીટર સુધી ફેલાશે.

108 ફૂટ લાંબી અગરબત્તીને કરાઈ પ્રજવલિત 

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલશે તેની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યા રામ મંદિર માટે ગુજરાત સહિત દેશભરથી ભક્તોએ વિવિધ વસ્તુઓ, ભેટો આપી છે. ગુજરાતીઓએ પણ અલગ અલગ વસ્તુનું દાન કર્યું છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આ અગરબત્તીને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. સુરક્ષા વચ્ચે અયોધ્યા ખાતે આ અગરબત્તી મોકલવામાં આવી હતી. 


અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવવામાં આવ્યુ છે. આ અજયબાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે.જે અજયબાણને ગબ્બર ઉપર લઇ જવાયું હતું અને તેની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.જેને 10 જાન્યુઆરીના રોજ અયોધ્યા મોકલવામાં આવશે.

અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે. જેને બનાવવાનો ખર્ચે લગભગ 5 લાખ થયો છે.

ગુજરાતીઓએ અનેક વસ્તુઓનું કર્યું છે દાન!

21 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલવાનું છે. આવતીકાલે રથયાત્રા નીકળશે જે બાદ 18મી તારીખે મંદિરમાં મૂર્તિને રાખવામાં આવશે વગેરે વગેરે... આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થતાં ગુજરાતના વડોદરાથી ગયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રજવલિત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતથી નગારું, દીવો, અગરબત્તી સહિતની વસ્તુ ભેટ સ્વરૂપે, દાન સ્વરૂપે આપવામાં આવી છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.