Ayodhya Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ભગવાન રામના દર્શન કરવા ભક્તોએ કરી પડાપડી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 10:16:30

ગઈકાલે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ. જે ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ ગઈકાલે આવી. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કરોડો લોકો સાક્ષી બન્યા. સમગ્ર દેશ જાણે રામ ભક્તિમાં લીન થઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. લોકો રામમય બન્યા હતા. ગઈકાલે મંદિરમાં માત્ર આમંત્રિતો જ ઉપસ્થિત હતા. સામાન્ય માણસો માટે મંદિરના કપાટ ખુલ્યા ન હતા. ત્યારે આજે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકાયા છે. રામ લલ્લાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. લાંબી લાંબી લાઈનો મંદિર બહાર જોવા મળી રહી છે. 

મંદિરના કપાટ ખુલતા જ ઉમટી ભાવિકોની ભીડ

ભગવાન રામ ગઈકાલે નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી સહિત અનેક મહાનુભાવો ગર્ભગૃહમાં હાજર હતા ઉપરાંત મંદિર પરિસરમાં મોટી હસ્તીઓનો જમાવડો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ છેલ્લા અનેક દિવસો તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ગઈકાલે આ મહોત્સવ સંપન્ન થયો. આ ક્ષણની રાહ અનેક દાયકાઓથી જોવાઈ રહી હતી. આ ક્ષણના સાક્ષી અનેક લોકો બન્યા.ભગવાન રામની મૂર્તિ જોઈ અનેક ભક્તોની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હશે. ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ આજથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલતા જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 


મોડી રાતથી ભક્તોએ લગાવી દીધી લાઈન 

અયોધ્યાથી આજે અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે. ધક્કામુક્કી કરી ભગવાનના દર્શન કરવા માટે ભક્તો જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાતથી જ દર્શન માટે ભાવિકોએ લાઈન લગાવી દીધી હતી. દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલાને પણ ભીડને મેનેજ કરવા માટે તૈનાત કરવામાં આવ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ જગ્યાઓથી અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે.          



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે