Ayodhya Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ભગવાન રામના દર્શન કરવા ભક્તોએ કરી પડાપડી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 10:16:30

ગઈકાલે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ. જે ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ ગઈકાલે આવી. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કરોડો લોકો સાક્ષી બન્યા. સમગ્ર દેશ જાણે રામ ભક્તિમાં લીન થઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. લોકો રામમય બન્યા હતા. ગઈકાલે મંદિરમાં માત્ર આમંત્રિતો જ ઉપસ્થિત હતા. સામાન્ય માણસો માટે મંદિરના કપાટ ખુલ્યા ન હતા. ત્યારે આજે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકાયા છે. રામ લલ્લાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. લાંબી લાંબી લાઈનો મંદિર બહાર જોવા મળી રહી છે. 

મંદિરના કપાટ ખુલતા જ ઉમટી ભાવિકોની ભીડ

ભગવાન રામ ગઈકાલે નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી સહિત અનેક મહાનુભાવો ગર્ભગૃહમાં હાજર હતા ઉપરાંત મંદિર પરિસરમાં મોટી હસ્તીઓનો જમાવડો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ છેલ્લા અનેક દિવસો તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ગઈકાલે આ મહોત્સવ સંપન્ન થયો. આ ક્ષણની રાહ અનેક દાયકાઓથી જોવાઈ રહી હતી. આ ક્ષણના સાક્ષી અનેક લોકો બન્યા.ભગવાન રામની મૂર્તિ જોઈ અનેક ભક્તોની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હશે. ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ આજથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલતા જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 


મોડી રાતથી ભક્તોએ લગાવી દીધી લાઈન 

અયોધ્યાથી આજે અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે. ધક્કામુક્કી કરી ભગવાનના દર્શન કરવા માટે ભક્તો જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાતથી જ દર્શન માટે ભાવિકોએ લાઈન લગાવી દીધી હતી. દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલાને પણ ભીડને મેનેજ કરવા માટે તૈનાત કરવામાં આવ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ જગ્યાઓથી અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે.          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.