Ayodhya Ram Mandir : ભગવાન રામની મૂર્તિના કરો દર્શન, મૂર્તિ એટલી મોહક છે કે એમ થાય કે જોયા જ કરીએ..! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-22 13:07:39

જે ક્ષણની છેલ્લા અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આજે આવી ગઈ છે. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગર્ભ ગૃહમાં પીએમ મોદી, મોહન ભાગવત, આનંદી બહેન પટેલ સહિત પાંચ લોકો હાજર હતા. હજી સુધી મંદિરની તેમજ ભગવાન રામની મૂર્તિના ફોટો સામે આવ્યા હતા ત્યારે આજે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે. ભગવાન રામને એટલી સરસ રીતે શણગારવામાં આવ્યા છે કે એવું થાય કે મૂર્તિને નિહાળતા જ રહીએ. થોડા દિવસ પહેલા મંદિરના વીડિયો, ફોટો સામે આવ્યા હતા, તે બાદ ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી મૂર્તિની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે.   

    

મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામ!  

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી. રામલલ્લાની ભક્તિમાં ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશ રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. રામ ભક્તિમાં ભક્તો લીન દેખાઈ રહ્યા હતા. એવો માહોલ ઉભો થઈ ગયો હતો કે નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ દરેકના મોઢા પર એક ગીત સંભળાતું હતું. બાળક કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા... આ ક્ષણની રાહ છેલ્લા ઘણા વર્ષોથી જોવાઈ રહી હતી. ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે ભગવાન રામ મંદિરમાં પધારે અને ભક્તોની મૂર્તિના દર્શન કરી શકે. ત્યારે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન રામની મૂર્તિની ઝલક સામે આવી છે.      



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..