Ayodhya Ram Mandir : ભગવાન રામની મૂર્તિના કરો દર્શન, મૂર્તિ એટલી મોહક છે કે એમ થાય કે જોયા જ કરીએ..! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:07:39

જે ક્ષણની છેલ્લા અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આજે આવી ગઈ છે. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગર્ભ ગૃહમાં પીએમ મોદી, મોહન ભાગવત, આનંદી બહેન પટેલ સહિત પાંચ લોકો હાજર હતા. હજી સુધી મંદિરની તેમજ ભગવાન રામની મૂર્તિના ફોટો સામે આવ્યા હતા ત્યારે આજે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે. ભગવાન રામને એટલી સરસ રીતે શણગારવામાં આવ્યા છે કે એવું થાય કે મૂર્તિને નિહાળતા જ રહીએ. થોડા દિવસ પહેલા મંદિરના વીડિયો, ફોટો સામે આવ્યા હતા, તે બાદ ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી મૂર્તિની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે.   

    

મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામ!  

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી. રામલલ્લાની ભક્તિમાં ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશ રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. રામ ભક્તિમાં ભક્તો લીન દેખાઈ રહ્યા હતા. એવો માહોલ ઉભો થઈ ગયો હતો કે નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ દરેકના મોઢા પર એક ગીત સંભળાતું હતું. બાળક કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા... આ ક્ષણની રાહ છેલ્લા ઘણા વર્ષોથી જોવાઈ રહી હતી. ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે ભગવાન રામ મંદિરમાં પધારે અને ભક્તોની મૂર્તિના દર્શન કરી શકે. ત્યારે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન રામની મૂર્તિની ઝલક સામે આવી છે.      



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.