Ayodhya Ram Mandir : ભગવાન રામની મૂર્તિના કરો દર્શન, મૂર્તિ એટલી મોહક છે કે એમ થાય કે જોયા જ કરીએ..! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:07:39

જે ક્ષણની છેલ્લા અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આજે આવી ગઈ છે. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગર્ભ ગૃહમાં પીએમ મોદી, મોહન ભાગવત, આનંદી બહેન પટેલ સહિત પાંચ લોકો હાજર હતા. હજી સુધી મંદિરની તેમજ ભગવાન રામની મૂર્તિના ફોટો સામે આવ્યા હતા ત્યારે આજે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે. ભગવાન રામને એટલી સરસ રીતે શણગારવામાં આવ્યા છે કે એવું થાય કે મૂર્તિને નિહાળતા જ રહીએ. થોડા દિવસ પહેલા મંદિરના વીડિયો, ફોટો સામે આવ્યા હતા, તે બાદ ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી મૂર્તિની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે.   

    

મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામ!  

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી. રામલલ્લાની ભક્તિમાં ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશ રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. રામ ભક્તિમાં ભક્તો લીન દેખાઈ રહ્યા હતા. એવો માહોલ ઉભો થઈ ગયો હતો કે નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ દરેકના મોઢા પર એક ગીત સંભળાતું હતું. બાળક કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા... આ ક્ષણની રાહ છેલ્લા ઘણા વર્ષોથી જોવાઈ રહી હતી. ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે ભગવાન રામ મંદિરમાં પધારે અને ભક્તોની મૂર્તિના દર્શન કરી શકે. ત્યારે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન રામની મૂર્તિની ઝલક સામે આવી છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.