Ayodhya - Ram Mandir Pran Pratishtha : ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર, જુઓ પ્રાણપ્રતિષ્ઠા પહેલા શણગારાયેલા મંદિરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 07:50:54

જે ક્ષણની 500 વર્ષ સુધી રાહ જોવાઈ તે ક્ષણ આવી ગઈ છે. રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે થવાની છે. કરોડો ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. ભગવાન રામના કરોડો ભક્તો છે જે આ ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે હિંદુ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે જેના સાક્ષી અનેક લોકો બનશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા લઈ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પહેલા મંદિરને શણગારેલા વીડિયો સામે આવ્યો છે. ન માત્ર અયોધ્યા ભક્તિના રંગમાં રંગાયું છે પરંતુ સમગ્ર દેશ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

આખો દેશ બન્યો રામમય!

રામધુનથી અયોધ્યા ગુંજી ઉઠ્યું છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભક્તોએ ઘડીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના આરાધ્ય પોતાના મંદિરમાં સ્થાન ગ્રહણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિની તસવીર સામે આવી હતી તે બાદ શણગારવામાં આવેલા મંદિરની તસવીર વાયરલ થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરનો વીડિયો સામે આવ્યો છે.  આખો દેશ રામમય બન્યો છે. આજે બપોરે 12.20 કલાકે રામ લલ્લાનો અભિષેક શરૂ થશે.

   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે