Ayodhya - Ram Mandir Pran Pratishtha : ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર, જુઓ પ્રાણપ્રતિષ્ઠા પહેલા શણગારાયેલા મંદિરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 07:50:54

જે ક્ષણની 500 વર્ષ સુધી રાહ જોવાઈ તે ક્ષણ આવી ગઈ છે. રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે થવાની છે. કરોડો ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. ભગવાન રામના કરોડો ભક્તો છે જે આ ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે હિંદુ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે જેના સાક્ષી અનેક લોકો બનશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા લઈ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પહેલા મંદિરને શણગારેલા વીડિયો સામે આવ્યો છે. ન માત્ર અયોધ્યા ભક્તિના રંગમાં રંગાયું છે પરંતુ સમગ્ર દેશ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

આખો દેશ બન્યો રામમય!

રામધુનથી અયોધ્યા ગુંજી ઉઠ્યું છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભક્તોએ ઘડીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના આરાધ્ય પોતાના મંદિરમાં સ્થાન ગ્રહણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિની તસવીર સામે આવી હતી તે બાદ શણગારવામાં આવેલા મંદિરની તસવીર વાયરલ થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરનો વીડિયો સામે આવ્યો છે.  આખો દેશ રામમય બન્યો છે. આજે બપોરે 12.20 કલાકે રામ લલ્લાનો અભિષેક શરૂ થશે.

   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.