Ayodhya : Ram Mandir Pran Pratistha પહેલા સામે આવી ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી રામ ભગવાનની મૂર્તિની તસવીર, જુઓ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 13:11:41

ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની પ્રતિમાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ગઈ છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહોત્સવને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ દેવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલ્લાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. 


ગર્ભગૃહમાં મૂકાયેલી ફોટોની તસવીર થઈ વાયરલ!

22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યમાં આ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલા ગુરૂવારે ભગવાનની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી ગઈ છે. ગર્ભ ગૃહમાં મૂકેલી મૂર્તિનો ફોટો સોશિયલ મીડિચા પર વાયરલ થઈ રહ્યો છે. મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. મૂર્તિના અનેક ભાગને કપડાથી ઢાંકવામાં આવ્યો છે.

lord ram idol taken to ram temple installed in garbhgrah first photo viral ayodhya

અરૂણ યોગીરાજે બનાવી છે રામ લલ્લાની મૂર્તિ

જે મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તે કર્ણાટકના મશહૂર શિલ્પકાર અરૂણ યોગીરાજે બનાવી છે. કઈ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવી તે અંગે ચર્ચાઓ ચાલી હતી. રામ મંદિર ટ્રસ્ટના કુલ 15 સદસ્યોમાંથી 11 સભ્યોએ અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પસંદ કરી હતી. જે વખતે મૂર્તિની પસંદગી થઈ તે વખતે શિલ્પકાર અને મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે  રામલલ્લાની મૂર્તિ બનાવી | who is arun yogiraj sculptor idol selected for  ram mandir in ayodhya



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.