Ayodhya : Ram Mandir Pran Pratistha પહેલા સામે આવી ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી રામ ભગવાનની મૂર્તિની તસવીર, જુઓ


  • Published By :
  • Published Date : 2024-01-19 13:11:41

ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની પ્રતિમાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ગઈ છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહોત્સવને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ દેવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલ્લાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. 


ગર્ભગૃહમાં મૂકાયેલી ફોટોની તસવીર થઈ વાયરલ!

22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યમાં આ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલા ગુરૂવારે ભગવાનની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી ગઈ છે. ગર્ભ ગૃહમાં મૂકેલી મૂર્તિનો ફોટો સોશિયલ મીડિચા પર વાયરલ થઈ રહ્યો છે. મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. મૂર્તિના અનેક ભાગને કપડાથી ઢાંકવામાં આવ્યો છે.

lord ram idol taken to ram temple installed in garbhgrah first photo viral ayodhya

અરૂણ યોગીરાજે બનાવી છે રામ લલ્લાની મૂર્તિ

જે મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તે કર્ણાટકના મશહૂર શિલ્પકાર અરૂણ યોગીરાજે બનાવી છે. કઈ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવી તે અંગે ચર્ચાઓ ચાલી હતી. રામ મંદિર ટ્રસ્ટના કુલ 15 સદસ્યોમાંથી 11 સભ્યોએ અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પસંદ કરી હતી. જે વખતે મૂર્તિની પસંદગી થઈ તે વખતે શિલ્પકાર અને મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે  રામલલ્લાની મૂર્તિ બનાવી | who is arun yogiraj sculptor idol selected for  ram mandir in ayodhya



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.