Ayodhya : Ram Mandir Pran Pratistha પહેલા સામે આવી ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી રામ ભગવાનની મૂર્તિની તસવીર, જુઓ


  • Published By :
  • Published Date : 2024-01-19 13:11:41

ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની પ્રતિમાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ગઈ છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહોત્સવને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ દેવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલ્લાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. 


ગર્ભગૃહમાં મૂકાયેલી ફોટોની તસવીર થઈ વાયરલ!

22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યમાં આ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલા ગુરૂવારે ભગવાનની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી ગઈ છે. ગર્ભ ગૃહમાં મૂકેલી મૂર્તિનો ફોટો સોશિયલ મીડિચા પર વાયરલ થઈ રહ્યો છે. મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. મૂર્તિના અનેક ભાગને કપડાથી ઢાંકવામાં આવ્યો છે.

lord ram idol taken to ram temple installed in garbhgrah first photo viral ayodhya

અરૂણ યોગીરાજે બનાવી છે રામ લલ્લાની મૂર્તિ

જે મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તે કર્ણાટકના મશહૂર શિલ્પકાર અરૂણ યોગીરાજે બનાવી છે. કઈ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવી તે અંગે ચર્ચાઓ ચાલી હતી. રામ મંદિર ટ્રસ્ટના કુલ 15 સદસ્યોમાંથી 11 સભ્યોએ અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પસંદ કરી હતી. જે વખતે મૂર્તિની પસંદગી થઈ તે વખતે શિલ્પકાર અને મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે  રામલલ્લાની મૂર્તિ બનાવી | who is arun yogiraj sculptor idol selected for  ram mandir in ayodhya



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.