Ayodhya : Ram Mandir Pran Pratistha પહેલા સામે આવી ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી રામ ભગવાનની મૂર્તિની તસવીર, જુઓ


  • Published By :
  • Published Date : 2024-01-19 13:11:41

ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની પ્રતિમાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ગઈ છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહોત્સવને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ દેવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલ્લાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. 


ગર્ભગૃહમાં મૂકાયેલી ફોટોની તસવીર થઈ વાયરલ!

22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યમાં આ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલા ગુરૂવારે ભગવાનની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી ગઈ છે. ગર્ભ ગૃહમાં મૂકેલી મૂર્તિનો ફોટો સોશિયલ મીડિચા પર વાયરલ થઈ રહ્યો છે. મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. મૂર્તિના અનેક ભાગને કપડાથી ઢાંકવામાં આવ્યો છે.

lord ram idol taken to ram temple installed in garbhgrah first photo viral ayodhya

અરૂણ યોગીરાજે બનાવી છે રામ લલ્લાની મૂર્તિ

જે મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તે કર્ણાટકના મશહૂર શિલ્પકાર અરૂણ યોગીરાજે બનાવી છે. કઈ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવી તે અંગે ચર્ચાઓ ચાલી હતી. રામ મંદિર ટ્રસ્ટના કુલ 15 સદસ્યોમાંથી 11 સભ્યોએ અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પસંદ કરી હતી. જે વખતે મૂર્તિની પસંદગી થઈ તે વખતે શિલ્પકાર અને મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે  રામલલ્લાની મૂર્તિ બનાવી | who is arun yogiraj sculptor idol selected for  ram mandir in ayodhya



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે