Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિશેષ પૂજાની આજથી થઈ શરૂઆત, જાણો આગામી સાત દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-16 11:35:49

ભગવાન રામના ભક્તો માટે એ ક્ષણ ખૂબ આનંદનો હશે જ્યારે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરી પહેલા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે અંગેની માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય દ્વારા કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શરૂ થઈ જશે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ રાખવામાં આવશે. મૂર્તિને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તે પહેલા 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને લઈ શોભાયાત્રા નીકળશે. 

અયોધ્યામાં 7 દિવસ યોજાશે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM કરશે  ઉદ્ઘાટન, આ નેતાઓ રહેશે ઉપસ્થિત | Ayodhya Ram Mandir Inauguration Grand  Event PM Narendra Modi


પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજથી શરૂ થયા અનુષ્ઠાન 

અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાની પૂજાની વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. 

PM Modi Ayodhya Visit: પીએમ મોદી આજે રામનગરીને 11 હજાર કરોડના પ્રોજેક્ટની  ભેટ આપશે, નવા એરપોર્ટ સહિત રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે - PM nARENDRA Modi  Ayodhya Visit ...

પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર હશે ગર્ભગૃહમાં 

ગર્ભગૃહમાં અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન શરૂ થઈ જશે અને 21 જાન્યુઆરી સુધી તે અનુષ્ઠાન ચાલશે. 22 તારીખે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે. પીએમ મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. 



આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ 

જો કાર્યક્રમ અંગેની વાત કરીએ તો ૧૬મી જાન્યુઆરીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગૌદાન સહિતની વિધી કરવામાં આવશે. ૧૭મી જાન્યુઆરીએ શોભાયાત્રા નીકળશે તેમજ સરયૂ નદીનું જળ મંદિરે પહોંચશે. ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન ૧૮મીના રોજ કરવામાં આવશે. અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન ૧૯મી જાન્યુઆરીએ કરાશે. ૨૦મી જાન્યુઆરીના રોજ ગર્ભગૃહને સરયૂ નદીના જળથી સ્વચ્છ કરવામાં આવશે. ૨૧મી જાન્યુઆરીએ એટલે પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે ૧૨૫ કળશથી મૂર્તિ પર અભિષેક કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ગર્ભગૃહમાં મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને સ્થાપિત કરાશે.  



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.