Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિશેષ પૂજાની આજથી થઈ શરૂઆત, જાણો આગામી સાત દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2024-01-16 11:35:49

ભગવાન રામના ભક્તો માટે એ ક્ષણ ખૂબ આનંદનો હશે જ્યારે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરી પહેલા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે અંગેની માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય દ્વારા કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શરૂ થઈ જશે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ રાખવામાં આવશે. મૂર્તિને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તે પહેલા 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને લઈ શોભાયાત્રા નીકળશે. 

અયોધ્યામાં 7 દિવસ યોજાશે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM કરશે  ઉદ્ઘાટન, આ નેતાઓ રહેશે ઉપસ્થિત | Ayodhya Ram Mandir Inauguration Grand  Event PM Narendra Modi


પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજથી શરૂ થયા અનુષ્ઠાન 

અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાની પૂજાની વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. 

PM Modi Ayodhya Visit: પીએમ મોદી આજે રામનગરીને 11 હજાર કરોડના પ્રોજેક્ટની  ભેટ આપશે, નવા એરપોર્ટ સહિત રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે - PM nARENDRA Modi  Ayodhya Visit ...

પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર હશે ગર્ભગૃહમાં 

ગર્ભગૃહમાં અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન શરૂ થઈ જશે અને 21 જાન્યુઆરી સુધી તે અનુષ્ઠાન ચાલશે. 22 તારીખે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે. પીએમ મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. 



આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ 

જો કાર્યક્રમ અંગેની વાત કરીએ તો ૧૬મી જાન્યુઆરીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગૌદાન સહિતની વિધી કરવામાં આવશે. ૧૭મી જાન્યુઆરીએ શોભાયાત્રા નીકળશે તેમજ સરયૂ નદીનું જળ મંદિરે પહોંચશે. ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન ૧૮મીના રોજ કરવામાં આવશે. અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન ૧૯મી જાન્યુઆરીએ કરાશે. ૨૦મી જાન્યુઆરીના રોજ ગર્ભગૃહને સરયૂ નદીના જળથી સ્વચ્છ કરવામાં આવશે. ૨૧મી જાન્યુઆરીએ એટલે પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે ૧૨૫ કળશથી મૂર્તિ પર અભિષેક કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ગર્ભગૃહમાં મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને સ્થાપિત કરાશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.