Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિશેષ પૂજાની આજથી થઈ શરૂઆત, જાણો આગામી સાત દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2024-01-16 11:35:49

ભગવાન રામના ભક્તો માટે એ ક્ષણ ખૂબ આનંદનો હશે જ્યારે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરી પહેલા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે અંગેની માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય દ્વારા કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શરૂ થઈ જશે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ રાખવામાં આવશે. મૂર્તિને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તે પહેલા 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને લઈ શોભાયાત્રા નીકળશે. 

અયોધ્યામાં 7 દિવસ યોજાશે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM કરશે  ઉદ્ઘાટન, આ નેતાઓ રહેશે ઉપસ્થિત | Ayodhya Ram Mandir Inauguration Grand  Event PM Narendra Modi


પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજથી શરૂ થયા અનુષ્ઠાન 

અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાની પૂજાની વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. 

PM Modi Ayodhya Visit: પીએમ મોદી આજે રામનગરીને 11 હજાર કરોડના પ્રોજેક્ટની  ભેટ આપશે, નવા એરપોર્ટ સહિત રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે - PM nARENDRA Modi  Ayodhya Visit ...

પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર હશે ગર્ભગૃહમાં 

ગર્ભગૃહમાં અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન શરૂ થઈ જશે અને 21 જાન્યુઆરી સુધી તે અનુષ્ઠાન ચાલશે. 22 તારીખે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે. પીએમ મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. 



આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ 

જો કાર્યક્રમ અંગેની વાત કરીએ તો ૧૬મી જાન્યુઆરીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગૌદાન સહિતની વિધી કરવામાં આવશે. ૧૭મી જાન્યુઆરીએ શોભાયાત્રા નીકળશે તેમજ સરયૂ નદીનું જળ મંદિરે પહોંચશે. ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન ૧૮મીના રોજ કરવામાં આવશે. અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન ૧૯મી જાન્યુઆરીએ કરાશે. ૨૦મી જાન્યુઆરીના રોજ ગર્ભગૃહને સરયૂ નદીના જળથી સ્વચ્છ કરવામાં આવશે. ૨૧મી જાન્યુઆરીએ એટલે પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે ૧૨૫ કળશથી મૂર્તિ પર અભિષેક કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ગર્ભગૃહમાં મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને સ્થાપિત કરાશે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.