Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં Sonia Gandhiને આમંત્રણ આપવા મુદ્દે VHPએ શું કહ્યું? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 11:50:05

તમે જ્યારે ન્યુઝ ચેનલ જોતા હશો કે પછી પેપર જોતા હશો ત્યાં અયોધ્યાને લગતા, પ્રાણ પ્રતિષ્ઠાને લગતા સમાચારો જોવા મળતા હશે.  અયોધ્યામાં કેવી રીતે આ પ્રસંગને લઈ તૈયારીઓ ચાલી રહી છે, કેવી રીતે અવધનગરને શણગારવામાં આવ્યું છે તે જાણવામાં તમને રૂચી હશે. રામ મંદિરને લઈ અનેક વખત રાજકીય પાર્ટીઓ આને લઈ સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે. આ બધા વચ્ચે VHPના અંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે આ સમારોહના નિમંત્રણ પર કોઈ રાજનીતિ નથી થઈ રહી. 

Sonia Gandhi, Mallikarjun Kharge and Adhir Ranjan Chowdhury have been invited to the Ram Temple inauguration on January 22(ANI)

22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ભગવાન રામના ભક્તો જે ક્ષણની પ્રતિક્ષા છેલ્લા અનેક વર્ષોથી કરતા હતા તે ક્ષણ 22 જાન્યુઆરી 2024એ આવવાની છે. ભગવાન રામની મૂર્તિ ભવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે. અનેક વર્ષોના સંઘર્ષ બાદ આ ઘડી આવી છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થવાના છે. એક તરફ આ અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પર રામના નામે રાજનીતિ કરવાના આરોપો જાણે વિપક્ષી નેતાઓ લગાવી રહ્યા છે. અનેક એવા નિવેદનો સામે આવ્યા છે. આ બધા વચ્ચે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટેનું નિમંત્રણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

Ayodhya Ram Mandir Inauguration 2024: Booking for Aarti Passes, know  details - Times of India

 

VHPએ આપી આ પ્રતિક્રિયા

કોંગ્રેસના નેતાઓ આ મહોત્સવમાં સામેલ થશે કે નહીં તે અંગેની માહિતી આપવામાં નથી આવી. આ સમારોહમાં તેઓ આવશે કે નહીં તે અંગે અસમંજસ છે અને આ બધે વચ્ચે વીએચપીની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આલોક કુમારે જણાવ્યું છે કે જો આના પર કોઈ રાજનીતિ થઈ રહી હોત તો શું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવ્યા હોત? હું ખડગેજીને અંગત રીતે આમંત્રણ આપવા ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે VHP ટ્રસ્ટના અધિકારી અધીર રંજન અને રામ મંદિર પેનલના વડા નૃપેન્દ્ર મિશ્રા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા ગયા હતા. કુમારે કહ્યું કે તે ઈચ્છે છે કે આ બધા લોકો અભિષેક સમારોહમાં આવે. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.