Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં Sonia Gandhiને આમંત્રણ આપવા મુદ્દે VHPએ શું કહ્યું? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 11:50:05

તમે જ્યારે ન્યુઝ ચેનલ જોતા હશો કે પછી પેપર જોતા હશો ત્યાં અયોધ્યાને લગતા, પ્રાણ પ્રતિષ્ઠાને લગતા સમાચારો જોવા મળતા હશે.  અયોધ્યામાં કેવી રીતે આ પ્રસંગને લઈ તૈયારીઓ ચાલી રહી છે, કેવી રીતે અવધનગરને શણગારવામાં આવ્યું છે તે જાણવામાં તમને રૂચી હશે. રામ મંદિરને લઈ અનેક વખત રાજકીય પાર્ટીઓ આને લઈ સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે. આ બધા વચ્ચે VHPના અંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે આ સમારોહના નિમંત્રણ પર કોઈ રાજનીતિ નથી થઈ રહી. 

Sonia Gandhi, Mallikarjun Kharge and Adhir Ranjan Chowdhury have been invited to the Ram Temple inauguration on January 22(ANI)

22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ભગવાન રામના ભક્તો જે ક્ષણની પ્રતિક્ષા છેલ્લા અનેક વર્ષોથી કરતા હતા તે ક્ષણ 22 જાન્યુઆરી 2024એ આવવાની છે. ભગવાન રામની મૂર્તિ ભવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે. અનેક વર્ષોના સંઘર્ષ બાદ આ ઘડી આવી છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થવાના છે. એક તરફ આ અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પર રામના નામે રાજનીતિ કરવાના આરોપો જાણે વિપક્ષી નેતાઓ લગાવી રહ્યા છે. અનેક એવા નિવેદનો સામે આવ્યા છે. આ બધા વચ્ચે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટેનું નિમંત્રણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

Ayodhya Ram Mandir Inauguration 2024: Booking for Aarti Passes, know  details - Times of India

 

VHPએ આપી આ પ્રતિક્રિયા

કોંગ્રેસના નેતાઓ આ મહોત્સવમાં સામેલ થશે કે નહીં તે અંગેની માહિતી આપવામાં નથી આવી. આ સમારોહમાં તેઓ આવશે કે નહીં તે અંગે અસમંજસ છે અને આ બધે વચ્ચે વીએચપીની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આલોક કુમારે જણાવ્યું છે કે જો આના પર કોઈ રાજનીતિ થઈ રહી હોત તો શું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવ્યા હોત? હું ખડગેજીને અંગત રીતે આમંત્રણ આપવા ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે VHP ટ્રસ્ટના અધિકારી અધીર રંજન અને રામ મંદિર પેનલના વડા નૃપેન્દ્ર મિશ્રા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા ગયા હતા. કુમારે કહ્યું કે તે ઈચ્છે છે કે આ બધા લોકો અભિષેક સમારોહમાં આવે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.