રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-22 18:05:57

રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત થયા બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સતત બીજીવાર સરકાર રચાઈ છે. હવે સરકારે ચૂંટણી વચનો પુરા કરવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ  5 લાખથી વધારીને 10 લાખ કરી દીધી છે.


ઋષિકેશ પટેલે શું કહ્યું?


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે. સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમ જણાવ્યુ હતું.


PMJAYમાં સહાય વધારાશે


ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય 10 લાખ સહાય કરવા માટે અધિકારીઓ કામ હાથ ધર્યું છે. તે ઉપરાંત ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે.



ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.

ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.