બા v/s બેનની લડાઈ ચરમ પર!Jamnagar SPને વચ્ચે પડવું પડ્યું, ઔકાત સુધી વાત પહોંચી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 14:20:24

ભાજપમાં ચાલતા આંતરિક ડખા સતત સામે આવી રહ્યા છે. એક બાદ એક નેતાઓ દ્વારા કરવામાં આવતો વ્યવહાર આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે આજે જામનગરથી એક ઘટના સામે આવી છે જેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ જાહેર મંચ પર લડતા જોવા મળ્યા છે. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ વચ્ચે બોલાચાલી  થઈ હતી અને તે બોલ્યા હતા કે ઔકાતમાં રહેજો..

જાહેર કાર્યક્રમમાં રિવાબા અને પૂનમબેન વચ્ચે થઈ બોલાચાલી!

નેતાઓ એક બીજા સાથે લડતા હોય તેવી ઘટનાઓ ભાજપથી ઓછી સામે આવે છે. જાહેરમાં નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળતી નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં યાદવાસ્થળી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં ચાલતા આંતરિક ડખા જગજાહેર થઈ રહ્યા છે. આ એક કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો અલગ મિજાજ જોવા મળ્યો હતો. મેયર પર ગુસ્સે થઈ ગયા હતા અને જ્યારે સાંસદે તેમને શાંત પાડવાની કોશિશ કરી ત્યારે તે તેમની પર ગુસ્સે થઈ ગયા હતા.  


ઔકાતમાં રહેવા રિવાબાએ કરી વાત!

જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત નેતાઓ ભેગા થયા હતા. તેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. રિવાબા જાડેજા એકદમ આક્રામક અને ખીજાયેલા લાગ્યા હતા. બંને વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયર અને સાંસદ સાથે બોલાચાલી કરી હતી. ભાજપથી આવી ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ધારાસભ્યએ વાપર્યો ઔકાત જેવો શબ્દ! 

મેયર તેમજ સાંસદ સાથે ધારાસભ્ય રિવાબાને બોલાચાલી થઈ હતી. મેયરને રિવાબા કહી રહ્યા છે કે ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. તો મેયર સામે સવાલ કરે છે કે ઔકાતમાં રહો એટલે? મેયર અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે આ વાતમાં સાંસદ પૂનમબેન માડમ બોલે છે. સાંસદ કહે છે એ મેયર છે, તમારાથી મોટા છે. તો રિવાબા પૂનમબેનને કહે છે કે સળગાવવા વાળા તમે  જ છો હવે કાઢવાનો પ્રયાસ ના કરશો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે. મહત્વનું છે કે સાંસદે તેમને શાંત કરવાની કોશિશ કરી પરંતુ તો પણ રિવાબા જાડેજા શાંત ન થયા.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.