બા v/s બેનની લડાઈ ચરમ પર!Jamnagar SPને વચ્ચે પડવું પડ્યું, ઔકાત સુધી વાત પહોંચી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 14:20:24

ભાજપમાં ચાલતા આંતરિક ડખા સતત સામે આવી રહ્યા છે. એક બાદ એક નેતાઓ દ્વારા કરવામાં આવતો વ્યવહાર આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે આજે જામનગરથી એક ઘટના સામે આવી છે જેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ જાહેર મંચ પર લડતા જોવા મળ્યા છે. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ વચ્ચે બોલાચાલી  થઈ હતી અને તે બોલ્યા હતા કે ઔકાતમાં રહેજો..

જાહેર કાર્યક્રમમાં રિવાબા અને પૂનમબેન વચ્ચે થઈ બોલાચાલી!

નેતાઓ એક બીજા સાથે લડતા હોય તેવી ઘટનાઓ ભાજપથી ઓછી સામે આવે છે. જાહેરમાં નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળતી નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં યાદવાસ્થળી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં ચાલતા આંતરિક ડખા જગજાહેર થઈ રહ્યા છે. આ એક કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો અલગ મિજાજ જોવા મળ્યો હતો. મેયર પર ગુસ્સે થઈ ગયા હતા અને જ્યારે સાંસદે તેમને શાંત પાડવાની કોશિશ કરી ત્યારે તે તેમની પર ગુસ્સે થઈ ગયા હતા.  


ઔકાતમાં રહેવા રિવાબાએ કરી વાત!

જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત નેતાઓ ભેગા થયા હતા. તેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. રિવાબા જાડેજા એકદમ આક્રામક અને ખીજાયેલા લાગ્યા હતા. બંને વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયર અને સાંસદ સાથે બોલાચાલી કરી હતી. ભાજપથી આવી ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ધારાસભ્યએ વાપર્યો ઔકાત જેવો શબ્દ! 

મેયર તેમજ સાંસદ સાથે ધારાસભ્ય રિવાબાને બોલાચાલી થઈ હતી. મેયરને રિવાબા કહી રહ્યા છે કે ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. તો મેયર સામે સવાલ કરે છે કે ઔકાતમાં રહો એટલે? મેયર અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે આ વાતમાં સાંસદ પૂનમબેન માડમ બોલે છે. સાંસદ કહે છે એ મેયર છે, તમારાથી મોટા છે. તો રિવાબા પૂનમબેનને કહે છે કે સળગાવવા વાળા તમે  જ છો હવે કાઢવાનો પ્રયાસ ના કરશો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે. મહત્વનું છે કે સાંસદે તેમને શાંત કરવાની કોશિશ કરી પરંતુ તો પણ રિવાબા જાડેજા શાંત ન થયા.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.