બા v/s બેનની લડાઈ ચરમ પર!Jamnagar SPને વચ્ચે પડવું પડ્યું, ઔકાત સુધી વાત પહોંચી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 14:20:24

ભાજપમાં ચાલતા આંતરિક ડખા સતત સામે આવી રહ્યા છે. એક બાદ એક નેતાઓ દ્વારા કરવામાં આવતો વ્યવહાર આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે આજે જામનગરથી એક ઘટના સામે આવી છે જેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ જાહેર મંચ પર લડતા જોવા મળ્યા છે. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ વચ્ચે બોલાચાલી  થઈ હતી અને તે બોલ્યા હતા કે ઔકાતમાં રહેજો..

જાહેર કાર્યક્રમમાં રિવાબા અને પૂનમબેન વચ્ચે થઈ બોલાચાલી!

નેતાઓ એક બીજા સાથે લડતા હોય તેવી ઘટનાઓ ભાજપથી ઓછી સામે આવે છે. જાહેરમાં નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળતી નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં યાદવાસ્થળી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં ચાલતા આંતરિક ડખા જગજાહેર થઈ રહ્યા છે. આ એક કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો અલગ મિજાજ જોવા મળ્યો હતો. મેયર પર ગુસ્સે થઈ ગયા હતા અને જ્યારે સાંસદે તેમને શાંત પાડવાની કોશિશ કરી ત્યારે તે તેમની પર ગુસ્સે થઈ ગયા હતા.  


ઔકાતમાં રહેવા રિવાબાએ કરી વાત!

જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત નેતાઓ ભેગા થયા હતા. તેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. રિવાબા જાડેજા એકદમ આક્રામક અને ખીજાયેલા લાગ્યા હતા. બંને વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયર અને સાંસદ સાથે બોલાચાલી કરી હતી. ભાજપથી આવી ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ધારાસભ્યએ વાપર્યો ઔકાત જેવો શબ્દ! 

મેયર તેમજ સાંસદ સાથે ધારાસભ્ય રિવાબાને બોલાચાલી થઈ હતી. મેયરને રિવાબા કહી રહ્યા છે કે ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. તો મેયર સામે સવાલ કરે છે કે ઔકાતમાં રહો એટલે? મેયર અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે આ વાતમાં સાંસદ પૂનમબેન માડમ બોલે છે. સાંસદ કહે છે એ મેયર છે, તમારાથી મોટા છે. તો રિવાબા પૂનમબેનને કહે છે કે સળગાવવા વાળા તમે  જ છો હવે કાઢવાનો પ્રયાસ ના કરશો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે. મહત્વનું છે કે સાંસદે તેમને શાંત કરવાની કોશિશ કરી પરંતુ તો પણ રિવાબા જાડેજા શાંત ન થયા.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.