બાબા બાગેશ્વરના અમદાવાદના દિવ્ય દરબારમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાસ વગર નહીં મળે એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-05-24 14:14:30

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાવાનો છે આ કાર્યક્રમને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 29 અને 30 મેના રોજ ચાણક્યપુરી વિસ્તારમાં દિવ્ય દરબાર ભરાશે. બાબા બાગેશ્વરના દરબાર માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. બાબાના દરબારને લઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સરો તેમની સુરક્ષામાં ખડે પગે રહેશે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. 


પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત


બાબા બાગેશ્વરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિવ્ય દરબારમાં પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.  પાસ સિસ્ટમથી મુલાકાતીઓ ડોમમાં પ્રવેશ મેળવી શકશે. ચાણક્યપુરી ગ્રાઉન્ડની સવા લાખની છે મર્યાદા છે. જોકે મુલાકાતીઓ માટે પાસનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં યોજાવનાર બાબાનો દિવ્ય દરબારમાં પાસ વિતરણ 27 અને 28 મે એ સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે. પાસ માટે મોબાઇલ નંબર, અને એડ્રેસ જ આપવાનું રહેશે. જ્યારે Vvip માટે અલગથી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.


 22 રૂમના બંગલામાં બે દિવસ રોકાશે


બાબા બાગેશ્વર અમદાવાદના ચાણક્યપુરીના બંગલામાં બે દિવસ રોકાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે. બાબાના દરબારમાં વધુ ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે.1000થી વધુ સ્વયં સેવકો રહેશે પોલીસ સાથે સેવામાં હાજર રહેશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .