બાબા સમાજ સુધારણાના તથા વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. મારું તેમને સમર્થન છે: સાંસદ મનસુખ વસાવા


  • Published By :
  • Published Date : 2023-05-21 11:30:45

 મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર  તરીકે પ્રખ્યાત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટમાં બાબા બાગેશ્વર ત્રણ દિવ્ય દરબાર પણ યોજાવાના છે. બાબા બાગેશ્વરને સમાજના વિવિધ વર્ગના લોકોનું તથા રાજકારણીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી બાબા બાગેશ્વરના ગુજરાત આગમનના પગલે રાજનીતિ ગરમાઈ છે. ભાજપના નેતાઓ બાબાના પ્રવાસને લઈ સૌથી વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ બાબા બાગેશ્વરને તેમનું સમર્થન જાહેર કર્યું છે.  


મનસુખ વસાવાએ બાબાને આપ્યું સમર્થન


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપતું એક મહત્વનું નિવેદન કર્યું છે.નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાના ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપ કારોબારી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે હાલ ચાલી રહેલા બાબા બાગેશ્વર ના વિવાદને લઈ બાબા બાગેશ્વરને સમર્થન વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવાએ ખુલીને બાબા બાગેશ્વરની પ્રશંસા કરી હતી. રામ રાજ્યની બાબાની વાતને પણ તેમણે સમર્થન આપ્યું હતું.  


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


બાબા બાગેશ્વરના કાર્યોના વખાણ કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપએ રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે. બાબા સમાજ સુધારણા સારું કામ કરે છે. રામરાજ્યમાં હિંદુ જ નહીં તમામ ધર્મના લોકો એકસાથે રહે તેવી વાત છે. રામ રાજ્ય દેશની સુખાકારી માટે જરૂર છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ કાર્ડ નહીં પણ વડાપ્રધાન મોદીના અસરકારક કામોના આધારે લડવાના છીએ તે વાત પણ સાંસદે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે જે કામો કર્યા છે તેના પર જ ભાજપ ચૂંટણી જીતવાની છે .જોકે આવા બાગેશ્વર બાબા જેવા અનેક આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ મળી રહે અને એવા લોકોની પણ આજે જરૂર છે. અને આવા આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શનથી વિશ્વમાં ઘણી સરકાર ચાલે છે.




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?