બાબા સમાજ સુધારણાના તથા વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. મારું તેમને સમર્થન છે: સાંસદ મનસુખ વસાવા


  • Published By :
  • Published Date : 2023-05-21 11:30:45

 મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર  તરીકે પ્રખ્યાત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટમાં બાબા બાગેશ્વર ત્રણ દિવ્ય દરબાર પણ યોજાવાના છે. બાબા બાગેશ્વરને સમાજના વિવિધ વર્ગના લોકોનું તથા રાજકારણીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી બાબા બાગેશ્વરના ગુજરાત આગમનના પગલે રાજનીતિ ગરમાઈ છે. ભાજપના નેતાઓ બાબાના પ્રવાસને લઈ સૌથી વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ બાબા બાગેશ્વરને તેમનું સમર્થન જાહેર કર્યું છે.  


મનસુખ વસાવાએ બાબાને આપ્યું સમર્થન


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપતું એક મહત્વનું નિવેદન કર્યું છે.નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાના ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપ કારોબારી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે હાલ ચાલી રહેલા બાબા બાગેશ્વર ના વિવાદને લઈ બાબા બાગેશ્વરને સમર્થન વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવાએ ખુલીને બાબા બાગેશ્વરની પ્રશંસા કરી હતી. રામ રાજ્યની બાબાની વાતને પણ તેમણે સમર્થન આપ્યું હતું.  


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


બાબા બાગેશ્વરના કાર્યોના વખાણ કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપએ રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે. બાબા સમાજ સુધારણા સારું કામ કરે છે. રામરાજ્યમાં હિંદુ જ નહીં તમામ ધર્મના લોકો એકસાથે રહે તેવી વાત છે. રામ રાજ્ય દેશની સુખાકારી માટે જરૂર છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ કાર્ડ નહીં પણ વડાપ્રધાન મોદીના અસરકારક કામોના આધારે લડવાના છીએ તે વાત પણ સાંસદે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે જે કામો કર્યા છે તેના પર જ ભાજપ ચૂંટણી જીતવાની છે .જોકે આવા બાગેશ્વર બાબા જેવા અનેક આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ મળી રહે અને એવા લોકોની પણ આજે જરૂર છે. અને આવા આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શનથી વિશ્વમાં ઘણી સરકાર ચાલે છે.




ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અનેક ભાષણોમાં આ લીડની વાત નથી થતી!

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે.. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થઈ છે.. બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક બેઠકો એવી છે જે ચર્ચામાં રહી છે..