સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવનો ખુલાસો, 'અમારી વિરૂધ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે'


  • Published By :
  • Published Date : 2023-11-22 18:08:34

સુપ્રીમ કોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવને ફટકાર લગાવ્યા બાદ આજે તેમણે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તમે એલોપથી દવાઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરશો તો તમને એક કરોડનો દંડ ફટકારવામાં આવશે. આ સમગ્ર મામલે બાબા રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું  સન્માન કરીએ છીએ પરંતું અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી.


મેડિકલ માફિયાનો દુષ્પ્રચાર 


બાબા રામદેવએ કહ્યું કે 'મેડિકલ માફિયાઓ અમારી પાછળ પડ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રોપેગેંડા ચલાવી રહ્યા છે. તેઓ અમને સતત નિશાન બનાવી રહ્યા છે. અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી, ડોક્ટરોનો એક સમુહ સતત યોગ, આયુર્વેદ વિરૂધ્ધ પ્રચાર કરી રહ્યો છે. અમે ખોટા હોઈએ તો અમારા પર એક હજાર કરોડનો દંડ લગાવવામા આવે અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. ખરેખર તો સુપ્રીમ કોર્ટ તે લોકો દંડ ફટકારે જે ખોટો પ્રચાર કરી રહ્યા છે.'


શું છે સમગ્ર મામલો?


 ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદની તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવાની માગ કરી હતી. IMAનો આરોપ હતો કે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ તેની જાહેરાતો દ્વારા એલોપેથિક દવાઓ અને આધુનિક ચિકિત્સા પ્રણાલીઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે બાબા રામદેવની કંપનીને  તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોનો રોકવા માટે આદેશ કર્યો હતો. બેન્ચે તેમ પણ કહ્યું કે જો આ જાહેરાતોનું પ્રસારણ ચાલુ રહેશે તો તેમના પર એક કરોડનો દંડ લગાવવામાં આવશે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .