સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવનો ખુલાસો, 'અમારી વિરૂધ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે'


  • Published By :
  • Published Date : 2023-11-22 18:08:34

સુપ્રીમ કોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવને ફટકાર લગાવ્યા બાદ આજે તેમણે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તમે એલોપથી દવાઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરશો તો તમને એક કરોડનો દંડ ફટકારવામાં આવશે. આ સમગ્ર મામલે બાબા રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું  સન્માન કરીએ છીએ પરંતું અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી.


મેડિકલ માફિયાનો દુષ્પ્રચાર 


બાબા રામદેવએ કહ્યું કે 'મેડિકલ માફિયાઓ અમારી પાછળ પડ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રોપેગેંડા ચલાવી રહ્યા છે. તેઓ અમને સતત નિશાન બનાવી રહ્યા છે. અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી, ડોક્ટરોનો એક સમુહ સતત યોગ, આયુર્વેદ વિરૂધ્ધ પ્રચાર કરી રહ્યો છે. અમે ખોટા હોઈએ તો અમારા પર એક હજાર કરોડનો દંડ લગાવવામા આવે અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. ખરેખર તો સુપ્રીમ કોર્ટ તે લોકો દંડ ફટકારે જે ખોટો પ્રચાર કરી રહ્યા છે.'


શું છે સમગ્ર મામલો?


 ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદની તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવાની માગ કરી હતી. IMAનો આરોપ હતો કે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ તેની જાહેરાતો દ્વારા એલોપેથિક દવાઓ અને આધુનિક ચિકિત્સા પ્રણાલીઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે બાબા રામદેવની કંપનીને  તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોનો રોકવા માટે આદેશ કર્યો હતો. બેન્ચે તેમ પણ કહ્યું કે જો આ જાહેરાતોનું પ્રસારણ ચાલુ રહેશે તો તેમના પર એક કરોડનો દંડ લગાવવામાં આવશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે