મહીસાગરના વાંકા ગામમાં દબાણ મુદ્દે બબાલ, ગામ લોકોનો સવાલ નિર્દોષોના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય?


  • Published By :
  • Published Date : 2023-05-25 10:19:15

દબાણો હટાવવા મુદ્દે અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે થોડા દિવસો અગાઉ ટ્વીટ કર્યું હતું કે દબાણ થતું હોય ત્યારે સૂતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે. જાણે યુદ્ધ  હોય તેમ પોલીસની ફ્લેગમાર્ચ થાય છે. પ્રાઈવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી, ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર ના બની શકે.... આવા જ બનાવ પર જમાવટને પત્ર આવ્યો કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં દબાણ હટાવવામાં પક્ષપાત થયો છે. દબાણ હટાવવાનું કહેનાર પણ ગામ લોકો હતા છતાં તેમનો આક્ષેપ છે કે જાણ વગર લોકોના ઘરો પર બુલ્ડોઝર ચાલ્યા છે અને જેની જમીન દબાણમાં ન હોય તેના ઘરો પર પણ બુલડોઝર ચાલ્યા છે. બુલડોઝર ચાલવા તો સારી જ વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે દબાણ કરે છે તેના ઘર પર બુલ્ડોઝર ચાલવા જ જોઈએ પણ જેણે દબાણ નથી કર્યા તેના ઘર પર બુલડોઝર ચલાવવા કેટલા યોગ્ય છે?  


સમગ્ર મામલો શું છે?


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં ગામતળમાં દબાણ થતું હતું.  ગામના લોકોએ સામે ચાલીને દબાણ હટાવવા માગ કરી હતી. ગ્રામ જનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો બાદ પણ દબાણ દૂર ન થયું તો તે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય જશે. અંતે તંત્ર પર પ્રેસર આવતા દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી છે. ગ્રામજનોમાં અમુક લોકોની મિલિભગત હોવાના કારણે દબાણ થતા હતા અને દબાણ હટતા પણ નહોતા પણ જ્યારે દબાણ હટાવાનું શરૂ થયું ત્યારે કોઈને જાણ પણ ના કરવામાં આવી અને બુલડોઝર ચલાવાનું શરૂ થઈ ગયું. સર્કલ ઓફિસર કે મામલતદારની હાજરી વગર તલાટી કમ મંત્રી અને સરપંચના છોકરાએ બે કલાકમાં દબાણ હટાવ્યું. સામે ચાલીને જે લોકો દબાણ હટાવાનું કહેતા હતા તે લોકોના ઘર પણ આ દબાણમાં ગયા તેવો ગ્રામ જનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પણ માપણી વગર જ્યાં જ્યાં સામાન્ય લોકોએ કહ્યું ત્યાં દબાણ હટાવી દેવામાં આવ્યું છે. એક દિવસ પછી જોયું તો ખબર પડી કે 15 ફૂટ દબાણ હટાવાનું હતું અને 20 ફૂટ જેટલી જગ્યા પર બુલડોઝર ચાલી ગયા છે. ટૂંકમાં જેના ઘર બરોબર હતા અને જેણે દબાણ નહોતું કર્યું તેના ઘર પર પણ બુલડોઝર લાગ્યા છે. 


ગ્રામ જનોએ શું કહ્યું?


જમાવટે આ મામલે ખાનપુર તાલુકા વિકાસ અધિકારી કે આર ડામોર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનોના કહેવાથી જ દબાણ હટાવાયું છે અને માપણી બાદ જ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ જનોએ પણ તંત્રની કામગીરીને સમર્થન આપ્યું છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે દબાણ હટાવવા મુદ્દે વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી છે. દબાણ કરે તેને હટાવવું જ જોઈએ તેમાં બે મત નથી પણ જે લોકોએ દબાણ કર્યું જ નથી તેના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય કહેવાય તે મોટો સવાલ છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.