મહીસાગરના વાંકા ગામમાં દબાણ મુદ્દે બબાલ, ગામ લોકોનો સવાલ નિર્દોષોના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય?


  • Published By :
  • Published Date : 2023-05-25 10:19:15

દબાણો હટાવવા મુદ્દે અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે થોડા દિવસો અગાઉ ટ્વીટ કર્યું હતું કે દબાણ થતું હોય ત્યારે સૂતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે. જાણે યુદ્ધ  હોય તેમ પોલીસની ફ્લેગમાર્ચ થાય છે. પ્રાઈવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી, ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર ના બની શકે.... આવા જ બનાવ પર જમાવટને પત્ર આવ્યો કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં દબાણ હટાવવામાં પક્ષપાત થયો છે. દબાણ હટાવવાનું કહેનાર પણ ગામ લોકો હતા છતાં તેમનો આક્ષેપ છે કે જાણ વગર લોકોના ઘરો પર બુલ્ડોઝર ચાલ્યા છે અને જેની જમીન દબાણમાં ન હોય તેના ઘરો પર પણ બુલડોઝર ચાલ્યા છે. બુલડોઝર ચાલવા તો સારી જ વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે દબાણ કરે છે તેના ઘર પર બુલ્ડોઝર ચાલવા જ જોઈએ પણ જેણે દબાણ નથી કર્યા તેના ઘર પર બુલડોઝર ચલાવવા કેટલા યોગ્ય છે?  


સમગ્ર મામલો શું છે?


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં ગામતળમાં દબાણ થતું હતું.  ગામના લોકોએ સામે ચાલીને દબાણ હટાવવા માગ કરી હતી. ગ્રામ જનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો બાદ પણ દબાણ દૂર ન થયું તો તે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય જશે. અંતે તંત્ર પર પ્રેસર આવતા દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી છે. ગ્રામજનોમાં અમુક લોકોની મિલિભગત હોવાના કારણે દબાણ થતા હતા અને દબાણ હટતા પણ નહોતા પણ જ્યારે દબાણ હટાવાનું શરૂ થયું ત્યારે કોઈને જાણ પણ ના કરવામાં આવી અને બુલડોઝર ચલાવાનું શરૂ થઈ ગયું. સર્કલ ઓફિસર કે મામલતદારની હાજરી વગર તલાટી કમ મંત્રી અને સરપંચના છોકરાએ બે કલાકમાં દબાણ હટાવ્યું. સામે ચાલીને જે લોકો દબાણ હટાવાનું કહેતા હતા તે લોકોના ઘર પણ આ દબાણમાં ગયા તેવો ગ્રામ જનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પણ માપણી વગર જ્યાં જ્યાં સામાન્ય લોકોએ કહ્યું ત્યાં દબાણ હટાવી દેવામાં આવ્યું છે. એક દિવસ પછી જોયું તો ખબર પડી કે 15 ફૂટ દબાણ હટાવાનું હતું અને 20 ફૂટ જેટલી જગ્યા પર બુલડોઝર ચાલી ગયા છે. ટૂંકમાં જેના ઘર બરોબર હતા અને જેણે દબાણ નહોતું કર્યું તેના ઘર પર પણ બુલડોઝર લાગ્યા છે. 


ગ્રામ જનોએ શું કહ્યું?


જમાવટે આ મામલે ખાનપુર તાલુકા વિકાસ અધિકારી કે આર ડામોર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનોના કહેવાથી જ દબાણ હટાવાયું છે અને માપણી બાદ જ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ જનોએ પણ તંત્રની કામગીરીને સમર્થન આપ્યું છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે દબાણ હટાવવા મુદ્દે વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી છે. દબાણ કરે તેને હટાવવું જ જોઈએ તેમાં બે મત નથી પણ જે લોકોએ દબાણ કર્યું જ નથી તેના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય કહેવાય તે મોટો સવાલ છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.