મહીસાગરના વાંકા ગામમાં દબાણ મુદ્દે બબાલ, ગામ લોકોનો સવાલ નિર્દોષોના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય?


  • Published By :
  • Published Date : 2023-05-25 10:19:15

દબાણો હટાવવા મુદ્દે અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે થોડા દિવસો અગાઉ ટ્વીટ કર્યું હતું કે દબાણ થતું હોય ત્યારે સૂતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે. જાણે યુદ્ધ  હોય તેમ પોલીસની ફ્લેગમાર્ચ થાય છે. પ્રાઈવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી, ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર ના બની શકે.... આવા જ બનાવ પર જમાવટને પત્ર આવ્યો કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં દબાણ હટાવવામાં પક્ષપાત થયો છે. દબાણ હટાવવાનું કહેનાર પણ ગામ લોકો હતા છતાં તેમનો આક્ષેપ છે કે જાણ વગર લોકોના ઘરો પર બુલ્ડોઝર ચાલ્યા છે અને જેની જમીન દબાણમાં ન હોય તેના ઘરો પર પણ બુલડોઝર ચાલ્યા છે. બુલડોઝર ચાલવા તો સારી જ વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે દબાણ કરે છે તેના ઘર પર બુલ્ડોઝર ચાલવા જ જોઈએ પણ જેણે દબાણ નથી કર્યા તેના ઘર પર બુલડોઝર ચલાવવા કેટલા યોગ્ય છે?  


સમગ્ર મામલો શું છે?


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં ગામતળમાં દબાણ થતું હતું.  ગામના લોકોએ સામે ચાલીને દબાણ હટાવવા માગ કરી હતી. ગ્રામ જનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો બાદ પણ દબાણ દૂર ન થયું તો તે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય જશે. અંતે તંત્ર પર પ્રેસર આવતા દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી છે. ગ્રામજનોમાં અમુક લોકોની મિલિભગત હોવાના કારણે દબાણ થતા હતા અને દબાણ હટતા પણ નહોતા પણ જ્યારે દબાણ હટાવાનું શરૂ થયું ત્યારે કોઈને જાણ પણ ના કરવામાં આવી અને બુલડોઝર ચલાવાનું શરૂ થઈ ગયું. સર્કલ ઓફિસર કે મામલતદારની હાજરી વગર તલાટી કમ મંત્રી અને સરપંચના છોકરાએ બે કલાકમાં દબાણ હટાવ્યું. સામે ચાલીને જે લોકો દબાણ હટાવાનું કહેતા હતા તે લોકોના ઘર પણ આ દબાણમાં ગયા તેવો ગ્રામ જનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પણ માપણી વગર જ્યાં જ્યાં સામાન્ય લોકોએ કહ્યું ત્યાં દબાણ હટાવી દેવામાં આવ્યું છે. એક દિવસ પછી જોયું તો ખબર પડી કે 15 ફૂટ દબાણ હટાવાનું હતું અને 20 ફૂટ જેટલી જગ્યા પર બુલડોઝર ચાલી ગયા છે. ટૂંકમાં જેના ઘર બરોબર હતા અને જેણે દબાણ નહોતું કર્યું તેના ઘર પર પણ બુલડોઝર લાગ્યા છે. 


ગ્રામ જનોએ શું કહ્યું?


જમાવટે આ મામલે ખાનપુર તાલુકા વિકાસ અધિકારી કે આર ડામોર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનોના કહેવાથી જ દબાણ હટાવાયું છે અને માપણી બાદ જ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ જનોએ પણ તંત્રની કામગીરીને સમર્થન આપ્યું છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે દબાણ હટાવવા મુદ્દે વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી છે. દબાણ કરે તેને હટાવવું જ જોઈએ તેમાં બે મત નથી પણ જે લોકોએ દબાણ કર્યું જ નથી તેના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય કહેવાય તે મોટો સવાલ છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .