મહીસાગરના વાંકા ગામમાં દબાણ મુદ્દે બબાલ, ગામ લોકોનો સવાલ નિર્દોષોના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય?


  • Published By :
  • Published Date : 2023-05-25 10:19:15

દબાણો હટાવવા મુદ્દે અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે થોડા દિવસો અગાઉ ટ્વીટ કર્યું હતું કે દબાણ થતું હોય ત્યારે સૂતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે. જાણે યુદ્ધ  હોય તેમ પોલીસની ફ્લેગમાર્ચ થાય છે. પ્રાઈવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી, ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર ના બની શકે.... આવા જ બનાવ પર જમાવટને પત્ર આવ્યો કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં દબાણ હટાવવામાં પક્ષપાત થયો છે. દબાણ હટાવવાનું કહેનાર પણ ગામ લોકો હતા છતાં તેમનો આક્ષેપ છે કે જાણ વગર લોકોના ઘરો પર બુલ્ડોઝર ચાલ્યા છે અને જેની જમીન દબાણમાં ન હોય તેના ઘરો પર પણ બુલડોઝર ચાલ્યા છે. બુલડોઝર ચાલવા તો સારી જ વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે દબાણ કરે છે તેના ઘર પર બુલ્ડોઝર ચાલવા જ જોઈએ પણ જેણે દબાણ નથી કર્યા તેના ઘર પર બુલડોઝર ચલાવવા કેટલા યોગ્ય છે?  


સમગ્ર મામલો શું છે?


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંકા ગામમાં ગામતળમાં દબાણ થતું હતું.  ગામના લોકોએ સામે ચાલીને દબાણ હટાવવા માગ કરી હતી. ગ્રામ જનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો બાદ પણ દબાણ દૂર ન થયું તો તે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય જશે. અંતે તંત્ર પર પ્રેસર આવતા દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી છે. ગ્રામજનોમાં અમુક લોકોની મિલિભગત હોવાના કારણે દબાણ થતા હતા અને દબાણ હટતા પણ નહોતા પણ જ્યારે દબાણ હટાવાનું શરૂ થયું ત્યારે કોઈને જાણ પણ ના કરવામાં આવી અને બુલડોઝર ચલાવાનું શરૂ થઈ ગયું. સર્કલ ઓફિસર કે મામલતદારની હાજરી વગર તલાટી કમ મંત્રી અને સરપંચના છોકરાએ બે કલાકમાં દબાણ હટાવ્યું. સામે ચાલીને જે લોકો દબાણ હટાવાનું કહેતા હતા તે લોકોના ઘર પણ આ દબાણમાં ગયા તેવો ગ્રામ જનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પણ માપણી વગર જ્યાં જ્યાં સામાન્ય લોકોએ કહ્યું ત્યાં દબાણ હટાવી દેવામાં આવ્યું છે. એક દિવસ પછી જોયું તો ખબર પડી કે 15 ફૂટ દબાણ હટાવાનું હતું અને 20 ફૂટ જેટલી જગ્યા પર બુલડોઝર ચાલી ગયા છે. ટૂંકમાં જેના ઘર બરોબર હતા અને જેણે દબાણ નહોતું કર્યું તેના ઘર પર પણ બુલડોઝર લાગ્યા છે. 


ગ્રામ જનોએ શું કહ્યું?


જમાવટે આ મામલે ખાનપુર તાલુકા વિકાસ અધિકારી કે આર ડામોર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનોના કહેવાથી જ દબાણ હટાવાયું છે અને માપણી બાદ જ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ જનોએ પણ તંત્રની કામગીરીને સમર્થન આપ્યું છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે દબાણ હટાવવા મુદ્દે વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી છે. દબાણ કરે તેને હટાવવું જ જોઈએ તેમાં બે મત નથી પણ જે લોકોએ દબાણ કર્યું જ નથી તેના ઘર પર બુલડોઝર ચાલે તે કેટલું યોગ્ય કહેવાય તે મોટો સવાલ છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.