બિગ બ્રેકિંગ: પાકિસ્તાનની ટીમમાં મોટો ભૂકંપ, બાબર આઝમે સુકાની પદેથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-11-15 20:58:52

વન ડે વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એક પછી એક ભૂકંપ આવી રહ્યા છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. બાબરની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમે આ વખતે ભારતની યજમાનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી. જો કે ટીમના અત્યંત કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન બાબરને આકરી ટીકાનો સામનો સામનો કરવો પડી રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે  બાબર આઝમ અગાઉ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 


બાબરે  X પર કરી પોસ્ટ


પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તે 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને પ્રશંસકોએ તેની આકરી ટીકા કરી હતી.બાબરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાની જાણકારી આપી હતી. તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ મળવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. જોકે, તેણે કહ્યું છે કે તે ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે.

બાબરે X પર પોતાની પોસ્ટમાં લખ્યું, 'મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને PCB તરફથી 2019માં પાકિસ્તાનનું નેતૃત્વ કરવાનો કોલ આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મેં પૂરા દિલ અને સંપૂર્ણ લગન સાથે ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ યથાવત રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું.' તેણે આગળ લખ્યું, 'વ્હાઈટ બોલ ક્રિકેટમાં નંબર-1ના સ્થાને પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.બાબરે કહ્યું, 'આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. નવા કેપ્ટન અને ટીમને મારો પૂરો સપોર્ટ રહેશે. મને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવા માટે હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પણ આભારી છું.'

આ ક્રિકેટર બન્યા નવા કેપ્ટન


બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું તેના થોડા સમય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. PCBએ અલગ-અલગ ફોર્મેટમાં 2 નવા કેપ્ટનની નિમણૂક કરી છે. ટેસ્ટ ટીમની કમાન સ્ટાર બેટ્સમેન શાન મસૂદને આપવામાં આવી છે, જ્યારે T20 ફોર્મેટની કમાન ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના હાથમાં રહેશે. પીસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. PCBએ વન ડે ટીમના કેપ્ટનની નિમણૂક કરી નથી.

બાબર પહેલા બે રાજીનામા પડી ચુક્યા છે


ઉલ્લેખનિય છે કે વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શનને કારણે ટૂર્નામેન્ટની વચ્ચે જ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. સૌથી પહેલા ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના પર હિતોના ટકરાવનો પણ આરોપ છે. આ પછી, જ્યારે પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ રમીને સ્વદેશ પરત ફરી ત્યારે બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે બાબરે પણ કેપ્ટનશીપ છોડી દીધી છે.


હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.