બિપોરજોય લેન્ડફોલના રુદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રામાં બાળકીનો થયો જન્મ, ડિલીવરી દરમિયાન મેડિકલ કર્મીઓની સરાહનીય કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-16 17:29:23

જન્મ અને મરણ આપણાં હાથમાં નથી હોતું. કોઈ વખત સાજો દેખાતો વ્યક્તિ પણ મોતનો કોળિયો બની જતો હોય છે તો કોઈ વખત વિષમ પરિસ્થિતિમાં પણ બાળકોનો જન્મ જતો હોય છે. આપત્તિના સમયે પણ મેડિકલ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલા સફળતા પૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી હતી. બાળકીનો જન્મ થયો ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનુ ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. મળતી માહિતી અનુસાર અત્યારે માતા અને બાળકો બંને સુરક્ષિત છે.    


વિષમ પરિસ્થિતિ વચ્ચે થયો બાળકીનો જન્મ!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. દરિયાકિનારે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડા દરમિયાન NDRFની તેમજ SDRFની ટીમ દ્વારા તો સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેમની સાથે સાથે આરોગ્ય વિભાગની કામગીરી પણ સરાહનીય હતી. સગર્ભા સ્ત્રીઓને અગવડ ન પડે તે માટે પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરી રહ્યું હતું ત્યારે મુન્દ્રામાં એક બાળકીનો જન્મ થયો હતો. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી તેનું નામ ગીતાબેન ડુંગરિયા હતું. 


લાઈટો બંધ થતાં બેટરીના સહારે કરી સફળ ડિલીવરી!

એક તરફ તેજગતિથી પવન ફૂંકાતો હતો તો બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો. તે સમયે મુન્દ્રા તાલુકાના લુણી ગામની ગીતાબહેનને અચાનક પ્રસુતિપીડા ઉપડી હતી. ચાલુ ઓપરેશન દરમિયાન જનરેટરમાં શોટ સર્કિટ થયું હતું અને લાઈટો બંધ થઈ ગઈ હતી. બેટરીના સહારે આગળનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ  સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.