બિપોરજોય લેન્ડફોલના રુદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રામાં બાળકીનો થયો જન્મ, ડિલીવરી દરમિયાન મેડિકલ કર્મીઓની સરાહનીય કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-16 17:29:23

જન્મ અને મરણ આપણાં હાથમાં નથી હોતું. કોઈ વખત સાજો દેખાતો વ્યક્તિ પણ મોતનો કોળિયો બની જતો હોય છે તો કોઈ વખત વિષમ પરિસ્થિતિમાં પણ બાળકોનો જન્મ જતો હોય છે. આપત્તિના સમયે પણ મેડિકલ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલા સફળતા પૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી હતી. બાળકીનો જન્મ થયો ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનુ ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. મળતી માહિતી અનુસાર અત્યારે માતા અને બાળકો બંને સુરક્ષિત છે.    


વિષમ પરિસ્થિતિ વચ્ચે થયો બાળકીનો જન્મ!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. દરિયાકિનારે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડા દરમિયાન NDRFની તેમજ SDRFની ટીમ દ્વારા તો સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેમની સાથે સાથે આરોગ્ય વિભાગની કામગીરી પણ સરાહનીય હતી. સગર્ભા સ્ત્રીઓને અગવડ ન પડે તે માટે પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરી રહ્યું હતું ત્યારે મુન્દ્રામાં એક બાળકીનો જન્મ થયો હતો. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી તેનું નામ ગીતાબેન ડુંગરિયા હતું. 


લાઈટો બંધ થતાં બેટરીના સહારે કરી સફળ ડિલીવરી!

એક તરફ તેજગતિથી પવન ફૂંકાતો હતો તો બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો. તે સમયે મુન્દ્રા તાલુકાના લુણી ગામની ગીતાબહેનને અચાનક પ્રસુતિપીડા ઉપડી હતી. ચાલુ ઓપરેશન દરમિયાન જનરેટરમાં શોટ સર્કિટ થયું હતું અને લાઈટો બંધ થઈ ગઈ હતી. બેટરીના સહારે આગળનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ  સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.