બિપોરજોય લેન્ડફોલના રુદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રામાં બાળકીનો થયો જન્મ, ડિલીવરી દરમિયાન મેડિકલ કર્મીઓની સરાહનીય કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-16 17:29:23

જન્મ અને મરણ આપણાં હાથમાં નથી હોતું. કોઈ વખત સાજો દેખાતો વ્યક્તિ પણ મોતનો કોળિયો બની જતો હોય છે તો કોઈ વખત વિષમ પરિસ્થિતિમાં પણ બાળકોનો જન્મ જતો હોય છે. આપત્તિના સમયે પણ મેડિકલ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલા સફળતા પૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી હતી. બાળકીનો જન્મ થયો ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનુ ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. મળતી માહિતી અનુસાર અત્યારે માતા અને બાળકો બંને સુરક્ષિત છે.    


વિષમ પરિસ્થિતિ વચ્ચે થયો બાળકીનો જન્મ!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. દરિયાકિનારે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડા દરમિયાન NDRFની તેમજ SDRFની ટીમ દ્વારા તો સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેમની સાથે સાથે આરોગ્ય વિભાગની કામગીરી પણ સરાહનીય હતી. સગર્ભા સ્ત્રીઓને અગવડ ન પડે તે માટે પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરી રહ્યું હતું ત્યારે મુન્દ્રામાં એક બાળકીનો જન્મ થયો હતો. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી તેનું નામ ગીતાબેન ડુંગરિયા હતું. 


લાઈટો બંધ થતાં બેટરીના સહારે કરી સફળ ડિલીવરી!

એક તરફ તેજગતિથી પવન ફૂંકાતો હતો તો બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો. તે સમયે મુન્દ્રા તાલુકાના લુણી ગામની ગીતાબહેનને અચાનક પ્રસુતિપીડા ઉપડી હતી. ચાલુ ઓપરેશન દરમિયાન જનરેટરમાં શોટ સર્કિટ થયું હતું અને લાઈટો બંધ થઈ ગઈ હતી. બેટરીના સહારે આગળનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ  સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.