રાજ્યમાં ભરશિયાળે અષાઢી માહોલ, સવારે 20 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, ખેડૂતો થયા ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-11-26 13:55:56

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


                                 – ખલીલ ધનતેજવી


 

રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.ગુજરાતમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ જ્યારે પાટણ-વેરાવણમાં સવા ઈંચ, વંથલીમાં 1 ઈંચ  વરસાદ નોંધાયો છે. છે. રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.


Image



સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ


સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારમાં શિયાળાની ઠંડીના બદલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, જાફરાબાદ, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના, અરવલ્લી, બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: ભાભર, સુઈગામ અને વાવ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફો઼ડી બની છે.


રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટનાં માલિયાસણ ઓરબ્રિજ પર તો મનાલી જેવો માહોલ છવાયો છે. આ બ્રિજ પર કરાના વરસાદને કારણે બરફની ચાદર છવાઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો આ બ્રિજ પર આવીને આવા વાતાવરણની મઝા માણી રહ્યા છે.



ખેડૂતોની દશા માઠી 


કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે. વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો   તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.