'બદલુરામ કા બદન' ગીત પર ઝુમે છે સેનાના જવાનો, જાણો કોણ છે બદલુરામ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:22:48

તમે ઘણીવાર ભારતીય સેનાના કેટલાક આવા વીડિયો જોયા હશે જેમાં કેટલાક સૈનિકો એક ગીત પર ડાન્સ કરતા હોય છે. આ ગીત છે 'બદલુરામ કા બદન' અને આ ગીત પર ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો ડાન્સ કરતા જોવા મળે છે. આસામ રેજિમેન્ટ સેનાની સૌથી જૂની રેજિમેન્ટ છે અને બદલુરામ આ રેજિમેન્ટનું પ્રખ્યાત ગીત છે. તમને જાણીને નવાઈ લાગશે કે બદલુરામનું રાશન ખાવાથી જ બીજા વિશ્વ યુધ્ધ વખતે ઘણા સૈનિકોના જીવ બચ્યા હતા. બદલુરામ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમનું રાશન અને આ ગીત અમર થઈ ગયા છે. જાણો કોણ હતો એ બદલુરામ જેનું રાશન સેના ખાતી હતી.


આ ગીત પાછળની કહાની શું છે?


‘બદલુરામ કા બદન ઝમીન કે નીચે ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ’, આ ગીત હવે માત્ર આસામ રેજિમેન્ટનું જ નહીં પરંતુ દરેકનું ફેવરિટ છે. સોશિયલ મીડિયાએ આ ગીતને એક નવી ઓળખ આપી છે. લિજેન્ડ બદલુરામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટના સૈનિક હતા. બદલુરામ યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. તેમના મૃત્યુ પછી, તેમના રાશનથી 100થી વધુ સૈનિકોની ભૂખ સંતોષાઈ જ્યારે જાપાની સેનાએ તેમને ઘેરી લીધા અને તેમના રાશનનો પુરવઠો કાપી નાખ્યો હતો. ઘણા દિવસો સુધી આ રાશન પર સૈનિકો જીવતા હતા. આ યુદ્ધ દરમિયાન રાશન પાણીની ભારે તંગી હોવાથી ક્વાર્ટર માસ્ટરે મૃતક બદલુરામના નામનું રાશન ચાલુ જ રાખ્યું હતું. તેથી અન્ય જવાનોને પણ જમવાનું મળી રહ્યું હતું. આ યુદ્ધ ભારત જીતી ગયું હતું. જેમાં બદલુરામના રાશને મદદ કરી હતી. જેથી આસામ રેજીમેન્ટ દ્વારા બદલુરામને યાદ રાખવા આવું ગીત બનવામાં આવ્યું અને આજે પણ જવાનો જોશ વધારવા આના પર ડાન્સ કરે છે.નોંધપાત્ર રીતે, આસામ રેજિમેન્ટની સ્થાપના 15 જૂન 1941ના રોજ શિલોંગમાં કરવામાં આવી હતી. આ રેજિમેન્ટની સ્થાપનાનો હેતુ જાપાનના વધતા જતા ખતરાનો સામનો કરવાનો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.