'બદલુરામ કા બદન' ગીત પર ઝુમે છે સેનાના જવાનો, જાણો કોણ છે બદલુરામ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:22:48

તમે ઘણીવાર ભારતીય સેનાના કેટલાક આવા વીડિયો જોયા હશે જેમાં કેટલાક સૈનિકો એક ગીત પર ડાન્સ કરતા હોય છે. આ ગીત છે 'બદલુરામ કા બદન' અને આ ગીત પર ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો ડાન્સ કરતા જોવા મળે છે. આસામ રેજિમેન્ટ સેનાની સૌથી જૂની રેજિમેન્ટ છે અને બદલુરામ આ રેજિમેન્ટનું પ્રખ્યાત ગીત છે. તમને જાણીને નવાઈ લાગશે કે બદલુરામનું રાશન ખાવાથી જ બીજા વિશ્વ યુધ્ધ વખતે ઘણા સૈનિકોના જીવ બચ્યા હતા. બદલુરામ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમનું રાશન અને આ ગીત અમર થઈ ગયા છે. જાણો કોણ હતો એ બદલુરામ જેનું રાશન સેના ખાતી હતી.


આ ગીત પાછળની કહાની શું છે?


‘બદલુરામ કા બદન ઝમીન કે નીચે ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ’, આ ગીત હવે માત્ર આસામ રેજિમેન્ટનું જ નહીં પરંતુ દરેકનું ફેવરિટ છે. સોશિયલ મીડિયાએ આ ગીતને એક નવી ઓળખ આપી છે. લિજેન્ડ બદલુરામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટના સૈનિક હતા. બદલુરામ યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. તેમના મૃત્યુ પછી, તેમના રાશનથી 100થી વધુ સૈનિકોની ભૂખ સંતોષાઈ જ્યારે જાપાની સેનાએ તેમને ઘેરી લીધા અને તેમના રાશનનો પુરવઠો કાપી નાખ્યો હતો. ઘણા દિવસો સુધી આ રાશન પર સૈનિકો જીવતા હતા. આ યુદ્ધ દરમિયાન રાશન પાણીની ભારે તંગી હોવાથી ક્વાર્ટર માસ્ટરે મૃતક બદલુરામના નામનું રાશન ચાલુ જ રાખ્યું હતું. તેથી અન્ય જવાનોને પણ જમવાનું મળી રહ્યું હતું. આ યુદ્ધ ભારત જીતી ગયું હતું. જેમાં બદલુરામના રાશને મદદ કરી હતી. જેથી આસામ રેજીમેન્ટ દ્વારા બદલુરામને યાદ રાખવા આવું ગીત બનવામાં આવ્યું અને આજે પણ જવાનો જોશ વધારવા આના પર ડાન્સ કરે છે.નોંધપાત્ર રીતે, આસામ રેજિમેન્ટની સ્થાપના 15 જૂન 1941ના રોજ શિલોંગમાં કરવામાં આવી હતી. આ રેજિમેન્ટની સ્થાપનાનો હેતુ જાપાનના વધતા જતા ખતરાનો સામનો કરવાનો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .