'બદલુરામ કા બદન' ગીત પર ઝુમે છે સેનાના જવાનો, જાણો કોણ છે બદલુરામ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:22:48

તમે ઘણીવાર ભારતીય સેનાના કેટલાક આવા વીડિયો જોયા હશે જેમાં કેટલાક સૈનિકો એક ગીત પર ડાન્સ કરતા હોય છે. આ ગીત છે 'બદલુરામ કા બદન' અને આ ગીત પર ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો ડાન્સ કરતા જોવા મળે છે. આસામ રેજિમેન્ટ સેનાની સૌથી જૂની રેજિમેન્ટ છે અને બદલુરામ આ રેજિમેન્ટનું પ્રખ્યાત ગીત છે. તમને જાણીને નવાઈ લાગશે કે બદલુરામનું રાશન ખાવાથી જ બીજા વિશ્વ યુધ્ધ વખતે ઘણા સૈનિકોના જીવ બચ્યા હતા. બદલુરામ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમનું રાશન અને આ ગીત અમર થઈ ગયા છે. જાણો કોણ હતો એ બદલુરામ જેનું રાશન સેના ખાતી હતી.


આ ગીત પાછળની કહાની શું છે?


‘બદલુરામ કા બદન ઝમીન કે નીચે ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ’, આ ગીત હવે માત્ર આસામ રેજિમેન્ટનું જ નહીં પરંતુ દરેકનું ફેવરિટ છે. સોશિયલ મીડિયાએ આ ગીતને એક નવી ઓળખ આપી છે. લિજેન્ડ બદલુરામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટના સૈનિક હતા. બદલુરામ યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. તેમના મૃત્યુ પછી, તેમના રાશનથી 100થી વધુ સૈનિકોની ભૂખ સંતોષાઈ જ્યારે જાપાની સેનાએ તેમને ઘેરી લીધા અને તેમના રાશનનો પુરવઠો કાપી નાખ્યો હતો. ઘણા દિવસો સુધી આ રાશન પર સૈનિકો જીવતા હતા. આ યુદ્ધ દરમિયાન રાશન પાણીની ભારે તંગી હોવાથી ક્વાર્ટર માસ્ટરે મૃતક બદલુરામના નામનું રાશન ચાલુ જ રાખ્યું હતું. તેથી અન્ય જવાનોને પણ જમવાનું મળી રહ્યું હતું. આ યુદ્ધ ભારત જીતી ગયું હતું. જેમાં બદલુરામના રાશને મદદ કરી હતી. જેથી આસામ રેજીમેન્ટ દ્વારા બદલુરામને યાદ રાખવા આવું ગીત બનવામાં આવ્યું અને આજે પણ જવાનો જોશ વધારવા આના પર ડાન્સ કરે છે.નોંધપાત્ર રીતે, આસામ રેજિમેન્ટની સ્થાપના 15 જૂન 1941ના રોજ શિલોંગમાં કરવામાં આવી હતી. આ રેજિમેન્ટની સ્થાપનાનો હેતુ જાપાનના વધતા જતા ખતરાનો સામનો કરવાનો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે