વલ્લભ ભટ્ટનું રુપ લઈ મા બહુચરે રાખી ભટ્ટજીની લાજ, ભર શિયાળે નાતને જમાડી રસ-રોટલી


  • Published By :
  • Published Date : 2022-11-24 14:46:00

ગીતાજીમાં માગશર મહિનાનો મહિમા બતાવવામાં આવ્યો છે. અર્જૂનને ઉપદેશ્ય આપતા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે મહિનાઓમાં હું માગશર છું. માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે વલ્લભભટ્ટની કસોટી કરવા અનેક જ્ઞાતિબંધુએ આખી નાથને શિયાળામાં રસની માગ કરી હતી. ત્યારે વલ્લભ ભટ્ટે માતા બહુચરની આરાધના કરી હતી અને બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ નાતને ભર શિયાળે રસ રોટલી પીરસી હતી.

એવું માનવામાં આવે છે જો તમે સાચા દિલથી ભગવાનને માનો છો તો ભગવાન તમારૂ ક્યારેય નીચે નથી પડવા દેતા. ભગવાન તમારી લાજ રાખી દે છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં ભગવાને ભક્તની લાજ રાખી છે. તેમાં સૌથી પ્રખ્યાત છે માતા બહુચરની કહાની. વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ દેવી બહુચરે તેમનું રૂપ ધારણ કર્યું હતું. ભર શિયાળે વલ્લભ ભટ્ટની જ્ઞાતિના લોકોએ કેરીનો રસ ખાવાની માગ કરી. લોકોએ વલ્લભ ભટ્ટની મજાક ઉડાવા આવી માગ કરી હતી. 

jay bahuchar maa Images Gadhvi Sagar - ShareChat - ભારતનું પોતાનું ભારતીય  સોશ્યલ નેટવર્ક

સમાજના લોકોની આવી માગણી સાંભળતા વલ્લભ ભટ્ટ ચિંતામાં મૂકાઈ ગયા કે ભર શિયાળે કેરી રસ ક્યાંથી લાવો. બધાને પોતાના ઘર પાસે બેસાડી તેઓ નવાપુરા પહોંચ્યા હતા. તે સમયે વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ ધારણ કર્યું હતું અને આખી મેવાડા બ્રાહ્મણની નાતને ભર શિયાળે રસ રોટલી જમાડી હતી. ત્યારથી માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીના મંદિરોમાં કેરીનો રસ અને રોટલીનો જમણવાર રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતાજી બહુચરનો પ્રાગટ્ય થયો હતો.    


આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ આપણને બહુચર બાવનીમાં મળે છે. વલ્લભ ભટ્ટ દ્વારા રચાયેલી બાવનીમાં ઉલ્લેખ છે કે સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને સોમવાર, બહુચરમાના નામે કરી, નોંતરા સૌને કીધાં ફરી, રસ રોટલીની માગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત. ભક્તની લાજ રાખવા માતાજીએ વલ્લભ ભટ્ટનું અને નારસંગા વીર મહારાજનું રૂપ ધારણ કરી ભર શિયાળે બ્રાહ્મણની નાતને રસ-રોટલી જમાડી હતી અને ભક્તની લાજ રાખી. આજે પણ બહુચર માતાના મંદિરે માગશર સુદ બીજના દિવસે પ્રસાદીમાં રસ અને રોટલી આપવામાં આવે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.