કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ, ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરશો તો થશે કાર્યવાહી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 09:46:03

છેલ્લા ઘણા સમયથી કેદારનાથ મંદિર કોઈને કોઈને રીતે ચર્ચામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલાએ મંદિરની સામે તેના બોયફેન્ડને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં બાદ અનેક ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તેવી માગ ઉઠી હતી. ત્યારે કેદારનાથ મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસરથી સામે આવતા વીડિયોને લઈ કેદારનાથ મંદિર કમિટી એક્શન મોડમાં આવી ગઈ છે. મંદિર પરિસરમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેમાં લખાયેલું છે કે મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ  મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર લાગી નો એન્ટ્રી!

યંગસ્ટર્સમાં ચારધામ યાત્રાનો કેઝ વધતો જોવા મળી રહ્યો છે. અનેક યુવાનો ચારધામ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. કેદરાનાથને લઈ બનેલી અનેક ફિલ્મોને કારણે પણ યુવાનો ત્યાં જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુવાનો ફોટો, વીડિયો તેમજ રીલ્સ બનાવતા હોય છે અને તે અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં એક નાનકડી બાળકી જ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે દર્શન કરતી બતાવાઈ હતી, બાકી બધા ફોનમાં ફોટો ક્લીક કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાનો કેઝ યુવાનોમાં જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. મંદિરની સામે એક છોકરી પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી હતી. તે સિવાય પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો તેમજ રિલ્સને રોકવા મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ ફોટો અથવા વીડિયો ગ્રાફી કરતા પકડાશે તે કાર્યવાહી કરવામાં  આવશે.


યોગ્ય કપડાં પહેરીને મંદિરમાં આવવા માટે લાગ્યા બોર્ડ!

વીડિયો તેમજ ફોટોગ્રાફી પર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા લોકોની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિર પરિસરમાં યોગ્ય વસ્ત્રો પહેરીને આવવા માટે પણ બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે અનેક મંદિરો દ્વારા આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના પણ અનેક મંદિરો દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવા વસ્ત્ર પરિધાન પહેરીને મંદિરે દર્શન કરવા આવવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે કેદારનાથધામમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્ત્રોને લઈ લેવાયા નિર્ણયનું ભક્તો સ્વાગત કરી રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.