કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ, ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરશો તો થશે કાર્યવાહી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 09:46:03

છેલ્લા ઘણા સમયથી કેદારનાથ મંદિર કોઈને કોઈને રીતે ચર્ચામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલાએ મંદિરની સામે તેના બોયફેન્ડને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં બાદ અનેક ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તેવી માગ ઉઠી હતી. ત્યારે કેદારનાથ મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસરથી સામે આવતા વીડિયોને લઈ કેદારનાથ મંદિર કમિટી એક્શન મોડમાં આવી ગઈ છે. મંદિર પરિસરમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેમાં લખાયેલું છે કે મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ  મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર લાગી નો એન્ટ્રી!

યંગસ્ટર્સમાં ચારધામ યાત્રાનો કેઝ વધતો જોવા મળી રહ્યો છે. અનેક યુવાનો ચારધામ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. કેદરાનાથને લઈ બનેલી અનેક ફિલ્મોને કારણે પણ યુવાનો ત્યાં જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુવાનો ફોટો, વીડિયો તેમજ રીલ્સ બનાવતા હોય છે અને તે અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં એક નાનકડી બાળકી જ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે દર્શન કરતી બતાવાઈ હતી, બાકી બધા ફોનમાં ફોટો ક્લીક કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાનો કેઝ યુવાનોમાં જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. મંદિરની સામે એક છોકરી પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી હતી. તે સિવાય પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો તેમજ રિલ્સને રોકવા મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ ફોટો અથવા વીડિયો ગ્રાફી કરતા પકડાશે તે કાર્યવાહી કરવામાં  આવશે.


યોગ્ય કપડાં પહેરીને મંદિરમાં આવવા માટે લાગ્યા બોર્ડ!

વીડિયો તેમજ ફોટોગ્રાફી પર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા લોકોની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિર પરિસરમાં યોગ્ય વસ્ત્રો પહેરીને આવવા માટે પણ બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે અનેક મંદિરો દ્વારા આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના પણ અનેક મંદિરો દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવા વસ્ત્ર પરિધાન પહેરીને મંદિરે દર્શન કરવા આવવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે કેદારનાથધામમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્ત્રોને લઈ લેવાયા નિર્ણયનું ભક્તો સ્વાગત કરી રહ્યા છે. 



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.