'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી' પર પ્રતિબંધ, બોમ્બે હાઈકોર્ટે Netflixને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2024-02-22 17:06:37

બોમ્બે હાઈકોર્ટે Netflixની ડોક્યુસિરીઝ ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી -ધ બરીડ ટ્રુથની સ્ક્રીનિંગ પર સ્ટે આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને આ ડોક્યુસિરીઝની સ્પેશિયલ સ્ક્રિનિંગ સીબીઆઈના અધિકારીઓ માટે આયોજીત કરવાની સુચના આપી છે. ઉલ્લેખનિય છે કે શીના બોરા મર્ડર મિસ્ટ્રી પર આધારીત Netflixની આ ડોક્યુસિરીઝ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. 


સ્પેશિયલ સ્ક્રિનિંગથી વાધો શું છે?


બોમ્બે હાઈકોર્ટે સ્ક્રીનિંગને રોકવા સાથે જ  ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સને સવાલ કર્યો કે આ ડોક્યુસિરીઝ સીબીઆઈને બતાવવામાં વાધો શું છે? આ મુદ્દે નેટફ્લિક્સના એડવોકેટે પ્રિ-સેન્સરશિપનો હવાલો આપીને કહ્યું હતું કે સીબીઆઈ પહેલાથી જ સીરીઝ સામે કોર્ટમાં ગઈ હતી.  કોર્ટમાં તેણે કહ્યું હતું કે હજું આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે અને પુરાવાઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ સ્થિતીમાં સિરિઝ હાલ રોકી શકાય છે. તેને એક સપ્તાહ માટે ટાળી શકાય છે.   



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .