'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી' પર પ્રતિબંધ, બોમ્બે હાઈકોર્ટે Netflixને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2024-02-22 17:06:37

બોમ્બે હાઈકોર્ટે Netflixની ડોક્યુસિરીઝ ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી -ધ બરીડ ટ્રુથની સ્ક્રીનિંગ પર સ્ટે આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને આ ડોક્યુસિરીઝની સ્પેશિયલ સ્ક્રિનિંગ સીબીઆઈના અધિકારીઓ માટે આયોજીત કરવાની સુચના આપી છે. ઉલ્લેખનિય છે કે શીના બોરા મર્ડર મિસ્ટ્રી પર આધારીત Netflixની આ ડોક્યુસિરીઝ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. 


સ્પેશિયલ સ્ક્રિનિંગથી વાધો શું છે?


બોમ્બે હાઈકોર્ટે સ્ક્રીનિંગને રોકવા સાથે જ  ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સને સવાલ કર્યો કે આ ડોક્યુસિરીઝ સીબીઆઈને બતાવવામાં વાધો શું છે? આ મુદ્દે નેટફ્લિક્સના એડવોકેટે પ્રિ-સેન્સરશિપનો હવાલો આપીને કહ્યું હતું કે સીબીઆઈ પહેલાથી જ સીરીઝ સામે કોર્ટમાં ગઈ હતી.  કોર્ટમાં તેણે કહ્યું હતું કે હજું આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે અને પુરાવાઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ સ્થિતીમાં સિરિઝ હાલ રોકી શકાય છે. તેને એક સપ્તાહ માટે ટાળી શકાય છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.