'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી' પર પ્રતિબંધ, બોમ્બે હાઈકોર્ટે Netflixને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2024-02-22 17:06:37

બોમ્બે હાઈકોર્ટે Netflixની ડોક્યુસિરીઝ ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી -ધ બરીડ ટ્રુથની સ્ક્રીનિંગ પર સ્ટે આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને આ ડોક્યુસિરીઝની સ્પેશિયલ સ્ક્રિનિંગ સીબીઆઈના અધિકારીઓ માટે આયોજીત કરવાની સુચના આપી છે. ઉલ્લેખનિય છે કે શીના બોરા મર્ડર મિસ્ટ્રી પર આધારીત Netflixની આ ડોક્યુસિરીઝ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. 


સ્પેશિયલ સ્ક્રિનિંગથી વાધો શું છે?


બોમ્બે હાઈકોર્ટે સ્ક્રીનિંગને રોકવા સાથે જ  ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સને સવાલ કર્યો કે આ ડોક્યુસિરીઝ સીબીઆઈને બતાવવામાં વાધો શું છે? આ મુદ્દે નેટફ્લિક્સના એડવોકેટે પ્રિ-સેન્સરશિપનો હવાલો આપીને કહ્યું હતું કે સીબીઆઈ પહેલાથી જ સીરીઝ સામે કોર્ટમાં ગઈ હતી.  કોર્ટમાં તેણે કહ્યું હતું કે હજું આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે અને પુરાવાઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ સ્થિતીમાં સિરિઝ હાલ રોકી શકાય છે. તેને એક સપ્તાહ માટે ટાળી શકાય છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.