Banaskanthaનાં દાંતામાં બાળકો નદી પાર કરી સ્કૂલ જવા મજબૂર! આ છે વિકાસ મોડલ? જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-08-16 15:36:58

વિકસીત ગુજરાતની આપણે વાતો કરતા હોઈએ છીએ, એ મોડલને દુનિયાભરમાં બતાવવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નથી પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં વિકાસ નથી પહોંચ્યો.. અંતરિયાળ વિસ્તાર વિકાસથી વંચિત છે. અનેક વીડિયો આપણી સમક્ષ આવ્યા છે જ્યાં રસ્તો ના હોવાને કારણે લોકોને તકલીફ પડતી હોય છે. ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં 8 ઓગસ્ટે વિદેશ ગયેલા શિક્ષિકાનો મામલો સામે આવતા ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગ ઊંઘમાંથી જાગીને આવા ભૂતિયા શિક્ષકો પર નોટીસ આપીને પગલાં ભર્યા છે.

આઝાદીના આટલા વર્ષો બાદ પણ...

હવે આ જ દાંતાની એક નવી તસવીર આવી છે જેમાં ચોમાસાની ઋતુમાં શાળા જવા માટે બાળકો જીવને જોખમમાં મૂકે છે. નદી પાર કરીને બાળકો શાળાએ જાય છે. અગાઉ શાળાએ જતા નદીમાં પાણી વધારે આવતા બે બાળકોના મોત પણ થયા હતા. એટલે સવારે શાળા શરૂ થાય ત્યારે અને શાળા છૂટે ત્યારે બાળકોને વાલીઓ લેવા મૂકવા આવે છે.આઝાદીના આટલા સમય બાદ પણ આ જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો નથી,નેતાઓ ચૂંટણી સમયે આ વિસ્તારમાં ફરકે છે એના સિવાય જોવા પણ આવતા નથી એવા આરોપો વાલીઓએ લગાવ્યા છે. 


ચોમાસાની ઋતુમાં ગામ સંપર્ક વિહોણા બને છે 

ગનાપીપળી ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ બેગડીયા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમે ઘણી વખત રજૂઆત કરેલ છે પણ હજુ સુધી અમારો નિકાલ આવતો નથી. ભાજપ સરકાર પણ અમારી સમસ્યા સાંભળતી નથી અને દૂર કરતી નથી. ચોમાસાની ઋતુમાં ગામનો સંપર્ક તૂટી જાય છે, ગામમાં 3 હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે. અગાઉ ડીલેવરી સમયે સમયસર ગાડી અમારા ગામમાં ન આવતા કેટલીક મહિલાઓના પણ મોત થયેલા છે .ક્યાંક શિક્ષકો નથી તો ક્યાંક સારી શાળા નથી અને જ્યાં છે ત્યાં રસ્તા નથી નદીઓ કે પાર સ્કૂલ જવું પડે છે બાળકોએ. હવે આને આપણે વિકાસ કહીશું? ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.