Banaskantha : જીત પછી Geniben Thakorએ કોંગ્રેસના સંગઠનને લઈ કરેલી વાતથી કાર્યકર્તાઓમાં નારાજગી? શરૂ થયો વિરોધ?


  • Published By :
  • Published Date : 2024-06-08 11:41:23

ગુજરાતમાં ભાજપને 25 સીટો મળી તેની એટલી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા ગેનીબેન ઠાકોરના વિજયી થવાની થઈ છે.. વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદનમાં તેમણે કોંગ્રેસના સંગઠનને લઈ વાત કરી હતી. ગેનીબેન ઠાકોરના નિવદેન બાદ બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે ગેનીબેન ઠાકોરનું નિવેદન પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે...

વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો ભાજપને મળી જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી છે. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભાજપનો વિજયી રથ રોક્યો છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. કોનો વિજય થશે તેની પર સૌ કોઈની નજર હતી. રસાકસી ભરેલા પરિણામ બાદ ગેનીબેન ઠાકોરનો વિજય થયો. વિજય હાંસલ કર્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ એક ટકોર કરી હતી. 


કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ કકળાટ શરૂ થયો? 

ટકોરમાં તેમણે કોંગ્રેસના સંગઠનની તુલના ભાજપના સંગઠન સાથે કરી હતી. ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસનું સંગઠન નબળું છે તેવું તે કહેવા માગતા હતા.. ગેનીબેનના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે.. બનસકાંઠાના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરતસિંહ વાઘેલા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં તેમણે લખ્યું કે બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુ:ખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે. 


સંગઠનને લઈ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે.. 

મહત્વનું છે કે અનેક વખત જ્યારે સંગઠનને લઈ વાત કરવામાં આવે છે ત્યારે નિષ્ણાતો, લોકો પણ માને છે ભારતીય જનતા પાર્ટીની જીત સંગઠનને કારણે થાય છે. ભાજપનું સંગઠન મજબૂત છે જેનો ફાયદો પાર્ટીને થાય છે અને કોંગ્રેસ પાસે સંગઠનની કમી છે. સંગઠન મજબૂત નથી જેને કારણે કોંગ્રેસ સારૂં પ્રદર્શન નથી કરી શકતી. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.