Banaskantha : જીત પછી Geniben Thakorએ કોંગ્રેસના સંગઠનને લઈ કરેલી વાતથી કાર્યકર્તાઓમાં નારાજગી? શરૂ થયો વિરોધ?


  • Published By :
  • Published Date : 2024-06-08 11:41:23

ગુજરાતમાં ભાજપને 25 સીટો મળી તેની એટલી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા ગેનીબેન ઠાકોરના વિજયી થવાની થઈ છે.. વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદનમાં તેમણે કોંગ્રેસના સંગઠનને લઈ વાત કરી હતી. ગેનીબેન ઠાકોરના નિવદેન બાદ બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે ગેનીબેન ઠાકોરનું નિવેદન પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે...

વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો ભાજપને મળી જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી છે. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભાજપનો વિજયી રથ રોક્યો છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. કોનો વિજય થશે તેની પર સૌ કોઈની નજર હતી. રસાકસી ભરેલા પરિણામ બાદ ગેનીબેન ઠાકોરનો વિજય થયો. વિજય હાંસલ કર્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ એક ટકોર કરી હતી. 


કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ કકળાટ શરૂ થયો? 

ટકોરમાં તેમણે કોંગ્રેસના સંગઠનની તુલના ભાજપના સંગઠન સાથે કરી હતી. ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસનું સંગઠન નબળું છે તેવું તે કહેવા માગતા હતા.. ગેનીબેનના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે.. બનસકાંઠાના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરતસિંહ વાઘેલા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં તેમણે લખ્યું કે બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુ:ખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે. 


સંગઠનને લઈ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે.. 

મહત્વનું છે કે અનેક વખત જ્યારે સંગઠનને લઈ વાત કરવામાં આવે છે ત્યારે નિષ્ણાતો, લોકો પણ માને છે ભારતીય જનતા પાર્ટીની જીત સંગઠનને કારણે થાય છે. ભાજપનું સંગઠન મજબૂત છે જેનો ફાયદો પાર્ટીને થાય છે અને કોંગ્રેસ પાસે સંગઠનની કમી છે. સંગઠન મજબૂત નથી જેને કારણે કોંગ્રેસ સારૂં પ્રદર્શન નથી કરી શકતી. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.