બનાસકાંઠાએ પર્યાવરણની જાળવણી માટે આપ્યો સંદેશ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:26:18

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે . 

બનાસકાંઠા જિલ્લો જેણે , સમગ્ર ગુજરાતને જ નહિ પરંતુ સમગ્ર દેશને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તે માટે , એક સંદેશો આપ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે . આ ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ અને પી.એન.માળી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે "આઓ ધરતી માઁ કો હમ સજાએ, એક પેડ માઁ કે નામ લગાયે" અભિયાન હેઠળ એકસાથે ૫૧૦૦ વ્યક્તિઓ દ્વારા ૫૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. લુણાવા ખાતે કુલ ૨૦ વીઘા જમીનમાં ૧૫ હજાર વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે ૫૧૦૦ સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું છે. 

આ પ્રસંગે જિલ્લા અગ્રણીશ્રી પી એન માળી, શ્રી કનુભાઈ વ્યાસ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે. ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.તો હવે આ પ્રસંગે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ કહ્યું છે કે , "આજે હજારોની સંખ્યામાં વૃક્ષપ્રેમી લોકોએ એકસાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ, બનાસ ડેરી અને પી.એન.માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે. આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરાશે. વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે. આવનારા સમયમાં પીલુડા ખાતે ૧૦૦ વિઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે. જિલ્લામાં જળસંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે. ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, સોષ કુવા બનાવવા સહિત વૃક્ષારોપણ અને નર્મદાના પાણીથી તળાવો ભરવાની કામગીરી થઇ રહી છે. જેના પરીણામે અહી ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે. તેમણે જિલ્લા વાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું. " તો હવે આવનારા સમયમાં વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સાથે જ પીલુડા ખાતે ૧૦૦ વિઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે. આમ બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે , કેવી રીતે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી કરી શકાય. 




ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.