Banaskantha : જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત હતા ત્યાં સર્જાયા એવા દ્રશ્યો જે જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 10:36:37

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પડાપડી કરી રહ્યા છે. એ વીડિયોને જોતા લાગતું હશે કે, એક પ્રશ્ન હશે કે આ પડાપડી શેના માટે થઈ રહી છે. એવી ધક્કામુક્કી લોકો દ્વારા કરવામાં આવી રહી છે જેને જોઈ લાગશે કે જો આ ભીડમાં કોઈ પડ્યું તો તેના તો ભૂક્કા બોલાઈ જશે! તો તમને જણાઈ દઈએ કે આ પડાપડી અને ખેચમતાણીના દ્રશ્યો સરકારી એક કાર્યક્રમથી સામે આવ્યા છે.  જેમાં લોકો ફૂડ પેકેટ માટે અને ટીશર્ટ માટે પડાપડી કરી રહ્યા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો છે કે આને લઇ અલગ અલગ પ્રકારની કમેંટ્સ પાસ કરી રહ્યા છે. 

બનાસકાંઠા ખાતે આયોજીત કરાયો હતો કાર્યક્રમ 

PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એ દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં તેઓ ફૂડ પેકેટ અને ટી-શર્ટ માટે પડાપડી કરતા હોવાનું દેખાય છે.


ટી-શર્ટ અને ફૂડ પેકેટ માટે લોકોએ કરી પડાપડી!

બનાસકાંઠાના ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં લોકોએ રીતસર ટી-શર્ટ અને ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી હતી. પબ્લિકે ફૂડ પેકેટ માટે ગાડીને ઘેરી લીધી હતી. કેટલાક યુવકો ગાડી પર ચડીને ફૂડ પેકેટના થેલાની લૂંટ મચાવીને દોડ્યા હતા. તો ગાડીની પાછળ દોડતા દોડતા વૃદ્ધ અડફેટે આવી જતા પડી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે.


પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે.... 

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં PMS જણાવ્યું હતું કે, "મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે".



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.