Banaskantha : જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત હતા ત્યાં સર્જાયા એવા દ્રશ્યો જે જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 10:36:37

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પડાપડી કરી રહ્યા છે. એ વીડિયોને જોતા લાગતું હશે કે, એક પ્રશ્ન હશે કે આ પડાપડી શેના માટે થઈ રહી છે. એવી ધક્કામુક્કી લોકો દ્વારા કરવામાં આવી રહી છે જેને જોઈ લાગશે કે જો આ ભીડમાં કોઈ પડ્યું તો તેના તો ભૂક્કા બોલાઈ જશે! તો તમને જણાઈ દઈએ કે આ પડાપડી અને ખેચમતાણીના દ્રશ્યો સરકારી એક કાર્યક્રમથી સામે આવ્યા છે.  જેમાં લોકો ફૂડ પેકેટ માટે અને ટીશર્ટ માટે પડાપડી કરી રહ્યા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો છે કે આને લઇ અલગ અલગ પ્રકારની કમેંટ્સ પાસ કરી રહ્યા છે. 

બનાસકાંઠા ખાતે આયોજીત કરાયો હતો કાર્યક્રમ 

PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એ દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં તેઓ ફૂડ પેકેટ અને ટી-શર્ટ માટે પડાપડી કરતા હોવાનું દેખાય છે.


ટી-શર્ટ અને ફૂડ પેકેટ માટે લોકોએ કરી પડાપડી!

બનાસકાંઠાના ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં લોકોએ રીતસર ટી-શર્ટ અને ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી હતી. પબ્લિકે ફૂડ પેકેટ માટે ગાડીને ઘેરી લીધી હતી. કેટલાક યુવકો ગાડી પર ચડીને ફૂડ પેકેટના થેલાની લૂંટ મચાવીને દોડ્યા હતા. તો ગાડીની પાછળ દોડતા દોડતા વૃદ્ધ અડફેટે આવી જતા પડી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે.


પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે.... 

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં PMS જણાવ્યું હતું કે, "મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે".



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.