Banaskantha, Jamnagar, Bharuch Loksabha બેઠકો બની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર, ક્યાંક થઈ બનાસના બેનની ચર્ચા તો ક્યાં જોવા મળ્યો વિરોધ..


  • Published By :
  • Published Date : 2024-05-06 13:22:05

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે.. 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાવાનું છે.. ચૂંટણીના રંગમાં ગુજરાત રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે...ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ ગયો છે.. પરંતુ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જે ચર્ચામાં રહી... કોઈ વિવાદને કારણે તો કોઈ ઉમેદવારના નિવેદનને કારણે.. ત્યારે આજે જોઈએ એવી અનેક બેઠકો જેની ચર્ચા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ...

2002માં પુરષોત્તમ રૂપાલાને હરાવનારા ઉમેદવારને રાજકોટથી લોકસભા લડાવાની  કોંગ્રેસની તૈયારી! | Lok Sabha Elections 2024 Gujarat Seats Rajkot  purshottam Rupala Paresh Dhanani

રાજકોટ લોકસભાની આસપાસ ફરી ગુજરાતની રાજનીતિ!

લોકસભા બેઠકની વાત કરીએ તો સૌથી પહેલા રાજકોટ લોકસભા સીટની... ગુજરાતની રાજનીતિ આ બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો ગુજરાતના અનેક ભાગોમાં વિરોધ થયો.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.. પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ થવાનો શરૂ થયો.. 


પરેશ ધાનાણીની કવિતાઓ વાયરલ થઈ!

વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા.. પરંતુ ક્ષત્રિયનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.. આ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે.. આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે...       

આજા કિસમેં હૈ કિતના દમ, ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી વચ્ચે કાંટે કી  ટક્કર |Ganiben Thakor Vs Rekhaben Chowdhury Kante Ki Takkar

ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન દેખાયા આક્રામક

તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા પણ આ ચૂંટણી દરમિયાન થઈ હતી. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે.. ગેનીબેન ઠાકોર અનેક વખત આક્રામક અંદાજમાં દેખાયા છે.. અનેક એવા નિવેદનો તેમણે આપ્યા છે જેને કારણે ચર્ચા થતી હોય છે.. પોતાના ભાષણ દરમિયાન અનેક વખત પોલીસની કામગીરી પર સવાલ કર્યા છે ઉપરાંત રેખાબેન ચૌધરી પર તેમજ શંકર ચૌધરી પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે.. 


બનાસની બેન અને બનાસની દીકરી વચ્ચે જામશે જંગ!

મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા.. પીએમ મોદીએ ડીસામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ લાખણીમાં જનસભા કરી હતી.. આ બેઠક પર બંને મહિલાઓ વચ્ચે થનારી જંગ પર સૌ કોઈની નજર હશે.. મહત્વનું છે કે ગેનીબેન માટે કહેવા છે બનાસની બેન તો રેખાબેન માટે કહેવાય છે બનાસની દીકરી..  


ભરૂચ લોકસભા ચૂંટણી પહેલા ઘમાસાણ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક  જંગ, જુઓ વીડિયો

ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહી કારણ કે...   

તે સિવાય ભરૂચ લોકસભા બેઠક પર પણ ખરાખરીનો જંગ જામવાનો છે.. ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એક મનસુખ વસાવાને ઉમેદવાર ઘોષિત કરાયા છે. તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચામાં રહે છે.. બંને ઉમેદવારો એક બીજા પર પ્રહાર કરતા અનેક વખત દેખાયા છે... આ બેઠક પર કયા વસાવાની જીત થાય છે તેની પર નજર રહેલી છે...  

સાંસદ પૂનમબેન માડમની રજુઆતને સફળતા મળતા ઈન્ટરસિટી ટ્રેનને જામવણથલી સ્ટેશને

પૂનમબેન માડમને કરવો પડ્યો વિરોધનો સામનો!

તે સિવાય જામનગર બેઠક પણ ચર્ચામાં રહી કારણ કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ જામનગરમાં સૌથી વધારે થયો હોય તેવું લાગ્યું.. જેટલા વિરોધનો સામનો કદાચ પરષોત્તમ રૂપાલાને નહીં કરવો પડ્યો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો તેમની સભામાં જતા હતા અને ત્યાં હાય હાયના નારા લગાવ્યા હતા.. મહત્વનું છે કે પીએમ મોદીએ જામનગરમાં સભા કરી છે. ત્યારે પૂનમબેન માડમ માટે આ ચૂંટણી કઠિન સાબિત થઈ જશે છે...

1710401376_website_final___14_.jpg

અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

આ સિવાય વલસાડ બેઠક પણ ઉમેદવારને કારણે ચર્ચામાં રહી... અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે... અનંત પટેલ પણ અનેક વખત ચર્ચામાં રહ્યા છે... ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર કોની જીત થાય છે?




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.