Banaskantha, Jamnagar, Bharuch Loksabha બેઠકો બની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર, ક્યાંક થઈ બનાસના બેનની ચર્ચા તો ક્યાં જોવા મળ્યો વિરોધ..


  • Published By :
  • Published Date : 2024-05-06 13:22:05

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે.. 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાવાનું છે.. ચૂંટણીના રંગમાં ગુજરાત રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે...ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ ગયો છે.. પરંતુ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જે ચર્ચામાં રહી... કોઈ વિવાદને કારણે તો કોઈ ઉમેદવારના નિવેદનને કારણે.. ત્યારે આજે જોઈએ એવી અનેક બેઠકો જેની ચર્ચા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ...

2002માં પુરષોત્તમ રૂપાલાને હરાવનારા ઉમેદવારને રાજકોટથી લોકસભા લડાવાની  કોંગ્રેસની તૈયારી! | Lok Sabha Elections 2024 Gujarat Seats Rajkot  purshottam Rupala Paresh Dhanani

રાજકોટ લોકસભાની આસપાસ ફરી ગુજરાતની રાજનીતિ!

લોકસભા બેઠકની વાત કરીએ તો સૌથી પહેલા રાજકોટ લોકસભા સીટની... ગુજરાતની રાજનીતિ આ બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો ગુજરાતના અનેક ભાગોમાં વિરોધ થયો.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.. પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ થવાનો શરૂ થયો.. 


પરેશ ધાનાણીની કવિતાઓ વાયરલ થઈ!

વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા.. પરંતુ ક્ષત્રિયનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.. આ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે.. આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે...       

આજા કિસમેં હૈ કિતના દમ, ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી વચ્ચે કાંટે કી  ટક્કર |Ganiben Thakor Vs Rekhaben Chowdhury Kante Ki Takkar

ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન દેખાયા આક્રામક

તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા પણ આ ચૂંટણી દરમિયાન થઈ હતી. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે.. ગેનીબેન ઠાકોર અનેક વખત આક્રામક અંદાજમાં દેખાયા છે.. અનેક એવા નિવેદનો તેમણે આપ્યા છે જેને કારણે ચર્ચા થતી હોય છે.. પોતાના ભાષણ દરમિયાન અનેક વખત પોલીસની કામગીરી પર સવાલ કર્યા છે ઉપરાંત રેખાબેન ચૌધરી પર તેમજ શંકર ચૌધરી પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે.. 


બનાસની બેન અને બનાસની દીકરી વચ્ચે જામશે જંગ!

મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા.. પીએમ મોદીએ ડીસામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ લાખણીમાં જનસભા કરી હતી.. આ બેઠક પર બંને મહિલાઓ વચ્ચે થનારી જંગ પર સૌ કોઈની નજર હશે.. મહત્વનું છે કે ગેનીબેન માટે કહેવા છે બનાસની બેન તો રેખાબેન માટે કહેવાય છે બનાસની દીકરી..  


ભરૂચ લોકસભા ચૂંટણી પહેલા ઘમાસાણ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક  જંગ, જુઓ વીડિયો

ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહી કારણ કે...   

તે સિવાય ભરૂચ લોકસભા બેઠક પર પણ ખરાખરીનો જંગ જામવાનો છે.. ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એક મનસુખ વસાવાને ઉમેદવાર ઘોષિત કરાયા છે. તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચામાં રહે છે.. બંને ઉમેદવારો એક બીજા પર પ્રહાર કરતા અનેક વખત દેખાયા છે... આ બેઠક પર કયા વસાવાની જીત થાય છે તેની પર નજર રહેલી છે...  

સાંસદ પૂનમબેન માડમની રજુઆતને સફળતા મળતા ઈન્ટરસિટી ટ્રેનને જામવણથલી સ્ટેશને

પૂનમબેન માડમને કરવો પડ્યો વિરોધનો સામનો!

તે સિવાય જામનગર બેઠક પણ ચર્ચામાં રહી કારણ કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ જામનગરમાં સૌથી વધારે થયો હોય તેવું લાગ્યું.. જેટલા વિરોધનો સામનો કદાચ પરષોત્તમ રૂપાલાને નહીં કરવો પડ્યો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો તેમની સભામાં જતા હતા અને ત્યાં હાય હાયના નારા લગાવ્યા હતા.. મહત્વનું છે કે પીએમ મોદીએ જામનગરમાં સભા કરી છે. ત્યારે પૂનમબેન માડમ માટે આ ચૂંટણી કઠિન સાબિત થઈ જશે છે...

1710401376_website_final___14_.jpg

અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

આ સિવાય વલસાડ બેઠક પણ ઉમેદવારને કારણે ચર્ચામાં રહી... અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે... અનંત પટેલ પણ અનેક વખત ચર્ચામાં રહ્યા છે... ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર કોની જીત થાય છે?




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.